RBI News: શું 1 જૂલાઈથી 10, 20, 50 અને 100 રૂપિયાની જૂની નોટ બંધ થશે? જાણો સરકારે શું કહ્યુ?
PIB fact check: જ્યારે વાયરલ પોસ્ટનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ સમાચાર ખોટા હતા.

RBI News: સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 જુલાઈથી જૂની 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે અને જો તે સત્ય હોય તો તેના પરિણામો શું હશે તે તમે જાણી શકો છો. આ બાબતે સરકારે શું કહ્યું તે જાણીએ
શું છે સમગ્ર ઘટના?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટ એક પોસ્ટર છે જેના પર બેન્ક ઓફ મહારાષ્ટ્રના લોગો સાથેનું પોસ્ટર છે. પોસ્ટરમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે 1 જુલાઈ, 2026 થી 10, 20, 50 અને 100 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પ્રતિબંધ બધી નોટો પર લાગુ પડતો નથી પરંતુ ફક્ત 2005 પહેલા છાપેલી નોટો જ બંધ કરવામાં આવશે. પોસ્ટરમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ નિર્ણય RBIનો છે અને સત્તાવાર રીતે માન્ય છે.
🚨Do not fall for fake news!
— PIB India (@PIB_India) June 27, 2026
A notice allegedly issued by Bank of Maharashtra is being shared online, falsely stating that, as per RBI directives, ₹10, ₹20, ₹50, and ₹100 banknotes printed before 2005 will not be accepted from July 1, 2026#PIBFactCheck: ❌ This claim is… https://t.co/mF7fdyQWvm
સમાચાર પાછળનું સત્ય શું છે?
જ્યારે વાયરલ પોસ્ટનું પીઆઈબીએ ફેક્ટ ચેક કર્યું તો જાણવા મળ્યું કે આ સમાચાર ખોટા હતા. સરકારની અધિકૃત એજન્સી PIBએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર આ પોસ્ટને ફેક ગણાવતા લખ્યું કે બેન્ક ઓફ મહારાષ્ટ્રની જે નોટિસ ઓનલાઈન શેર કરવામાં આવી રહી છે તેમાં કરવામાં આવેલા બધા દાવા ખોટા છે. @mahabank એ આવી કોઈ નોટિસ જાહેર કરી નથી. @RBI એ એ પણ સ્પષ્ટતા કરી છે કે 2005 પહેલા જાહેર કરાયેલી નોટો કાયદેસર રીતે માન્ય રહેશે અને તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી.
PIB એ જાહેર જનતાને સાવચેત રહેવા અને સચોટ માહિતી માટે ફક્ત સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખવાની અપીલ પણ કરી છે.






















