શોધખોળ કરો

ગાંધીનગરમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં સાબરમતીમાં ડૂબ્યા પાંચ યુવકો, એકનું મોત  

ગાંધીનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં પાંચ યુવકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા.

ગાંધીનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં પાંચ યુવકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા.  જેમાંથી એક યુવકનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના ફતેપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ગુરુવારે 5 યુવાનો નદીની વચ્ચે રીલ્સ બનાવવા ગયા હતા. નદી વચ્ચે ટેકરી પર રીલ બનાવતા સમયે માટી ધસી પડી હતી જેના કારણે પાંચેય યુવકો નદીમાં ડૂબ્યા હતા. ચાર યુવકો નદીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પરંતુ અબરાર ઉર્ફે મોહમ્મદ નિઝામુદ્દીન શેખનું પાણીમાં ગરકાવ થઈ જતા મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેક કલાકની ભારે જહેમત પછી મોહમ્મદની લાશ બહાર કાઢવામાં આવી હતી.

ફતેપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં પાંચ મિત્રો ફરવા ગયા હતા. તે દરમિયાન નદીમાં રીલ બનાવતી સમયે માટી ધસી પડતા તમામ ડૂબ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 29 ખાતે ચ-7 સર્કલ પાસે આવેલી અમાનપાર્ક સોસાયટીમાં રહેતા પાંચ મિત્રો રીલ બનાવવા માટે સાબરમતી નદીએ ગયા હતા. ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે સંત સરોવરમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા નદીમાં ન્હાવા કે નજીક જવાની મનાઈ ફરમાવી હતી તેમ છતાં પાંચ યુવકો નદીએ રીલ બનાવવા ગયા હતા. દરમિયાન તેઓ માટીની એક નાની ટેકરી ઉપર બેઠા હતા. અચાનક માટી ધસી પડતા બધા મિત્રો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી ચાર મિત્રો નદીમાંથી બહાર નીકળી જતા તેમનો જીવ બચ્યો હતો પરંતુ મોહમ્મદ નિઝામુદ્દીન શેખનું મોત થયું હતું. પેથાપુર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસોથી ચેતવણી જાહેર કરીને ભયજનક જાહેર કર્યા હતા અને ત્યાં જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં યુવકો ત્યાં રીલ બનાવવા ગયા હતા. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકની શોધખોળ બાદ મોહમ્મદનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર

વિડિઓઝ

Kutch News : કચ્છના રાપર નજીક માલગાડી પાટા પરથી ઉતરી, પાલનપુર-સામખીયાળીના ટ્રેન વ્યવહાર પ્રભાવિત
Gopal Italia Case: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં નવો વળાંક, જૂતું ફેંકનાર આરોપી શબ્બીર મીરે ફેરવી તોળ્યું
Ahmedabad Accident: વૈષ્ણોદેવી સર્કલ પાસે થયેલા ત્રિપલ અકસ્માતના CCTV આવ્યા સામે, એકનું મોત, એકની હાલત ગંભીર
Ambalal Patel on Unseasonal Rain: ગુજરાતમાં કરા સાથે પડશે કમોસમી વરસાદ: અંબાલાલની ચિંતાજનક આગાહી
Ahmedabad Air Pollution: દિલ્લી- NCRની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરીલી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
Gujarat Politics: અલ્પેશ ઠાકોર પહેલા જ અભિજિતસિંહનું અંબાજીમાં શક્તિ પ્રદર્શન, યાત્રામાં ઉમટ્યું કીડિયારું
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
'જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરશે, ત્યાં સુધી દેશ વિશ્વગુરુ રહેશે': મુંબઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું
લખનૌમાં IndiGo ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, ટિશ્યુ પેપર પર લખેલું હતું "વિમાનમાં બોમ્બ"
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
Team India Squad: 7 વર્ષ બાદ આ ખેલાડીની થઈ 'ધમાકેદાર' વાપસી, ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ જાહેર
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું-
સાંપ્રદાયિક ભેદભાવ અંગેના વિવાદ બાદ AR રહેમાને કરી સ્પષ્ટતા, કહ્યું- "મને ભારતીય હોવાનો ગર્વ, ક્યારેક ક્યારેક..."
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
અમદાવાદમાં ગંભીર અકસ્માતમાં BJP નેતાના પુત્રનું મોત,ઘટનાનો વીડિયો જોઈને રુવાડા ઉભા થઈ જશે
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
હરિયાણા આ ક્રિકેટરે T20માં માત્ર 27 બોલમાં સદી ફટકારીને રચ્યો ઈતિહાસ, જાણો કઈ ટીમ વતી રમે છે સાહિલ ચૌહાણ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Magh Mela 2026: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો રથ પ્રશાસને રોક્યો, પોલીસ સંતોને માર મારતી હોવાનો શંકરાચાર્યનો આરોપ
Embed widget