શોધખોળ કરો

ગાંધીનગરમાં રીલ્સ બનાવવાના ચક્કરમાં સાબરમતીમાં ડૂબ્યા પાંચ યુવકો, એકનું મોત  

ગાંધીનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં પાંચ યુવકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા.

ગાંધીનગરમાં રીલ બનાવવાના ચક્કરમાં પાંચ યુવકો સાબરમતી નદીમાં ડૂબ્યા હતા.  જેમાંથી એક યુવકનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના ફતેપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ગુરુવારે 5 યુવાનો નદીની વચ્ચે રીલ્સ બનાવવા ગયા હતા. નદી વચ્ચે ટેકરી પર રીલ બનાવતા સમયે માટી ધસી પડી હતી જેના કારણે પાંચેય યુવકો નદીમાં ડૂબ્યા હતા. ચાર યુવકો નદીમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા પરંતુ અબરાર ઉર્ફે મોહમ્મદ નિઝામુદ્દીન શેખનું પાણીમાં ગરકાવ થઈ જતા મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેક કલાકની ભારે જહેમત પછી મોહમ્મદની લાશ બહાર કાઢવામાં આવી હતી.

ફતેપુરા પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં પાંચ મિત્રો ફરવા ગયા હતા. તે દરમિયાન નદીમાં રીલ બનાવતી સમયે માટી ધસી પડતા તમામ ડૂબ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 29 ખાતે ચ-7 સર્કલ પાસે આવેલી અમાનપાર્ક સોસાયટીમાં રહેતા પાંચ મિત્રો રીલ બનાવવા માટે સાબરમતી નદીએ ગયા હતા. ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે સંત સરોવરમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા નદીમાં ન્હાવા કે નજીક જવાની મનાઈ ફરમાવી હતી તેમ છતાં પાંચ યુવકો નદીએ રીલ બનાવવા ગયા હતા. દરમિયાન તેઓ માટીની એક નાની ટેકરી ઉપર બેઠા હતા. અચાનક માટી ધસી પડતા બધા મિત્રો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી ચાર મિત્રો નદીમાંથી બહાર નીકળી જતા તેમનો જીવ બચ્યો હતો પરંતુ મોહમ્મદ નિઝામુદ્દીન શેખનું મોત થયું હતું. પેથાપુર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.

તંત્ર દ્વારા આ વિસ્તારમાં છેલ્લાં કેટલાક દિવસોથી ચેતવણી જાહેર કરીને ભયજનક જાહેર કર્યા હતા અને ત્યાં જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. તેમ છતાં યુવકો ત્યાં રીલ બનાવવા ગયા હતા. ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ત્રણ કલાકની શોધખોળ બાદ મોહમ્મદનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.                                                                          

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
હવે નહીં ખાવા પડે RTOના ધક્કા, 2026માં ઘરે બેઠા રિન્યૂ થશે ડ્રાઈવિંગ લાઈસન્સ, જાણોલો સમગ્ર પ્રોસેસ
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Weather: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી મોટી આગાહી 
Embed widget