શોધખોળ કરો
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી અગાઉ એસટી કર્મચારીઓને સરકારની ભેટ, હવે સાતમા પગાર પંચનો મળશે લાભ

Surat: Employees of GSRTC protest against government over their various demands in Surat on Wednesday. PTI Photo (PTI3_15_2017_000242B)
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાત સરકારે એસટી કર્મચારીઓને ભેટ આપી છે. એસટી કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો સરકારે નિર્ણય લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સરકારે ગાંધીનગરમાં એસટી વિભાગના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, એસટીના કર્મચારીઓને 1 એપ્રિલથી સાતમા પગારપંચનો લાભ આપવાની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. સાતમા પગાર પંચની અમલવારી એપ્રિલ 2019 ના પગારથી ચુકવવામાં આવશે. તે સિવાય સરકારે એસટીના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે, એસ ટીના કર્મચારીઓએ 2016ની અસરથી સાતમા પગારપંચની માગં કરી હતી. જે માંગ હવે સંતોષવામાં આવી છે. એટલું જ નહીં ડ્રાઈવરના ગ્રેડ પેમાં 1650થી 1800નો અને કંડક્ટરના ગ્રેડ પેમાં 1400થી 1650 રૂપિયાનો વધારો કરવામાં આ્વ્યો છે. એસટી કર્મચારીઓને ત્રણ હપ્તામાં એરિયર્સ ચૂકવવામાં આવશે. જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર 2019માં એરિયર્સ ચૂકવાશે. નોંધનીય છે કે એસટીના કર્મચારીઓ સાતમા પગારના લાગુ કરવાની માંગ સાથે રાજ્યવ્યાપી હડતાળ પર ઉતર્યા હતા.
વધુ વાંચો





















