Gujarat Assembly session 2021: GST સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહમાં થયું પસાર
વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થઈ. વિધાનસભા ગૃહમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય શાબ્દીક યુધ્ધ થયું. બિન અનામત આયોગ પર ભાજપના ધારાસભ્ય રાકેશ શાહે પ્રશ્ન પુછતા સમયે પ્રતાપ દુધાતે કહ્યુ આનંદીબેન ગયા એમા તો...

Background
ગાંધીનગરઃ આજે સવારે 10 વાગ્યાથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની શરૂઆત કરવામાં આવી હતી. આજે પાટનગર યોજના, નર્મદા, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનીક સંસદીય બાબતો, આરોગ્ય, માર્ગ અને મકાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. 2019-20નો કેગનો અહેવાલ રજુ થશે. વિવિધ સમિતિઓની ખાલી પડેલી જગ્યાઓ બાબતે પણ અધ્યક્ષ દ્વારા જાહેરાત થશે.
આજે ત્રણ વિધેયકો પર ચર્ચા થશે. નાણાં મંત્રી દ્વારા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક રજૂ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સીટી વિધેયક રજૂ કરશે. ત્રણેય બિલો પ્રથમ દિવસે ચર્ચામાં ન આવી શકતા બીજા દિવસે ચર્ચા થશે. જીગ્નેશ કુમાર સેવક છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરશે. વૃક્ષારોપણ થકી ઓક્સિજન પર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. અતારાંકિત પ્રશ્નો પણ વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે.
વિધાનસભા ગૃહમાં પૂર્વ નાણા મંત્રી નિતિન પટેલનુ નિવેદન
નીતિન પટેલે કહ્યું, છેલ્લે લખનઉમાં જીએસટીની બેઠકમા ચર્ચા થઈ હતી. પેટ્રોલ ડીઝલને જીએસટીમા લાવવા માટે ચર્ચા થઈ હતી. કોંગ્રેસના શાસનમાં રહેલી સરકારોએ પેટ્રોલ ડીઝલને જીએસટીમા ન લેવા કહ્યું. કોંગ્રેસના સરકારના લોકોએ વેટમા જ પેટ્રોલ ડીઝલ રાખવા કહ્યું હતું. વિધાનસભા ગૃહમાં પૂર્વ નાણા મંત્રી નિતિન પટેલનુ નિવેદન.
GST સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહ માં થયું પસાર..
GST સુધારા વિધેયક સર્વાનુમતે ગૃહ માં થયું પસાર.





















