શોધખોળ કરો
કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા કયા નેતાએ ભાજપમાંથી ટિકિટ મળી ગઈ હોવાનો કર્યો દાવો?
જે.વી. કાકડિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારી બેઠક પર ભાજપમાંથી તેમનું નામ ડિક્લેર થયું છે, ત્યારે પ્રચાર કરવા માટે નીકળ્યો છું.

ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી યોજાવાની છે. અમરેલીની ધારી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. જોકે, હજુ સુધી ભાજપ કે કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થાય તે પહેલા જ ધારીમાં જે.વી. કાકડિયાએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. કાકડિયાએ ધારીમાં ટોર ટુ ડોર અને દુકાને દુકાને જઈ પ્રચાર શરૂ કરી દીધો છે.
જે.વી. કાકડિયાએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધારી બેઠક પર ભાજપમાંથી તેમનું નામ ડિક્લેર થયું છે, ત્યારે પ્રચાર કરવા માટે નીકળ્યો છું. એબીપી અસ્મિતાએ ફરીથી ઉમેદવારી અંગે પૂછતાં તેમણે નામ ફાઇનલ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. લોકોને ખૂબ ઉત્સાહ છે. મને જીતાડવા માટે લોકો સતત મહેનત કરે છે. જે.વી. કાકડિયાએ આગામી 15મી ઓક્ટોબરે સવારે 11 વાગ્યે ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભરવાનો દાવો પણ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, મારા તમામે તમામ ગામોમાં હું જઈ આવ્યો છું. બધા સિટીનો પણ કોન્ટેક્ટ ચાલું છે. બે દિવસમાં આખા વિસ્તારનો એક રાઉન્ડ પૂરો થઈ જશે. બીજો રાઉન્ડ પણ ચાલું થઈ ગયો છે. મારા બૂથમાં બધેય ખાટલા બેઠકો પણ ચાલું થઈ ગઈ છે. કોંગ્રેસમાં હતો એ કરતા સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. મેં વ્યક્તગત રીતે કામ કર્યું છે અને ભાજપ મોટી પાર્ટી છે. પાર્ટીના તમામ કાર્યકરો મારી સાથે છે. એટલું જ નહીં, કોંગ્રેસના મિત્રો પણ સાથે હોવાનો દાવો કર્યો હતો. તેમણે જીતની આશા પણ વ્યક્ત કરી હતી.

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
શિક્ષણ
Advertisement