શોધખોળ કરો
Advertisement
કોરોનાના કેસો વધતા રૂપાણી સરકારે લીધો વધુ એક મોટો નિર્ણય, શું મોકૂફ રાખવાની કરી જાહેરાત?
આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, 22, 24, 26, 28 & 29 પરીક્ષા લેવાવાની હતી. જીપીએસસી દ્રારા લેવાનાર મેડીકલ ટીચર્સની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં દિવાળી પછી કોરોના સંક્રમણ વધતાં રૂપાણી સરકાર ફરી એકવાર હરકતમાં આવી ગઈ છે. તેમજ કોરોનાને કાબૂમાં લેવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. હવે રૂપાણી સરકારે વધુ એક નિર્ણય લીધો છે. આગામી 22મી નવેમ્બરથી શરૂ થતી જીપીએસસીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે કે, 22, 24, 26, 28 & 29 પરીક્ષા લેવાવાની હતી. જીપીએસસી દ્રારા લેવાનાર મેડીકલ ટીચર્સની પરીક્ષાઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
નોંધનીય છે કે, રૂપાણી સરકારે ગુજરાતમાં આગામી 23મી નવેમ્બરથી સ્કૂલ-કોલેજો શરૂ કરવાનો નર્ણય પણ મોકૂફ રાખ્યો છે. એટલું જ નહીં, આ પ્રયાસોના ભાગરૂપે અમદાવાદમાં આજે રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ સમયે અમદાવાદમાં એસટી બસોના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. એટલું જ નહીં, સિટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement