શોધખોળ કરો

આજથી લાગુ થયું અનલોક-2, જાણો ક્યા ક્યા નવા નિયમો આવ્યા અને શું ફેરફાર થયા

ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરાં 9 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે. રાતના 10થી સવારે 5 સુધી કરફ્યુ રહેશે.

ગાંધીનગરઃ ગુજરાત સરકારે જાહેર કરેલા અનલૉક 2 માટેના નિયમો હેઠળ કન્ટેઈનમેન્ટ અને માઈક્રોકન્ટેઈનમેન્ટ ઝોનની બહાર દુકાનો રાતના આઠ વાગ્યા સુધી અને રેસ્ટોરાં રાતના નવ વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. આજથી અનલોક 2ના નવા નિયમો લાગુ થશે. જાહેરમાં, બસમાં કે અન્ય કોઈ સ્થળે માસ્ક પહેર્યા વિના જ ફરનારા નાગરિકોને 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે. જાહેરમાં થૂંકનાર વ્યક્તિને પણ 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે. ગુજરાતમાં દુકાનો રાત્રે 8 અને રેસ્ટોરાં 9 વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે. રાતના 10થી સવારે 5 સુધી કરફ્યુ રહેશે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં આપવામાં આવેલી વિગતો મુજબ જે તે જિલ્લાના કલેક્ટર કચેરીની વેબસાઈટ પર જ કન્ટેઈનમેન્ટ અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની વિગતો સતત અપડેટ કરવામાં આવશે. જોકે જે કામદાર, કર્મચારી, વર્કર, દુકાન માલિકનું ઘર કન્ટેઈમેન્ટ ઝોનમાં આવતું હશે તેમને તેમના વિસ્તારમાંથી બહાર નીકળવાની છૂટ આપવામાં આવશે નહિ. શેરીમાં ફરીને શાકભાજી વેચનારાઓએ પણ અગાઉથી નિશ્ચિત કરેલા નિયમનું પાલન કરવું પડશે. ઓટો રિક્ષામાં ડ્રાઈવર તેના ઉપરાંત બે જ પેસેન્જરને બેસાડી શકશે. બેથી વધુ પેસેન્જર બેસાડવા ગુનો ગણાશે. ટેક્સિમાં પણ ડ્રાઈવર ઉપરાંત બે પેસેન્જરને જ બેસાડી શકાશે. છ પેસેન્જરથી વધુને બેસાડવાની જગ્યા ધરાવતા વાહનોમાં ડ્રાઈવર ઉપરાંત ત્રણ પેસેન્જરને બેસાડવાની છૂટ આપવામાં આવી છે. ટુ વ્હિલર પર ડ્રાઈવર વત્તા એક વ્યક્તિ સવારી કરી શકશે. ખાનગી ઑફિસો ચાલુ કરવાની છૂટ આપવામાં આવી છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થવું ફરજિયાત છે. આ સાથે જ સરકારે રમતગમત માટેના સ્ટેડિયમ ચાલુ કરવાની છૂટ આપી દીધી છે. જોકે આ મેદાનમાં મોટી સંક્યામાં લોકોને હાજર રહેવાની છૂટ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે તમામ શૈક્ષણિક, તાલીમ, સંશોધન, કોચિંગ ઇન્સ્ટિટયૂટ ચાલુ કરવાની છૂટ આપવામાં આવી નથી. ઉપરાંત સિનેમા હોલ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, મનોરજંન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બ્લી હોલ અને તેના જેવા અન્ય સ્થાનો ચાલુ કરવા દેવાની છૂટ આપવામાં આવશે નહિ. સામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને મોટી માનવ મેદની એકત્રિત કરતાં કોઈપણ સમારોહ કરવાની છૂટ આપવામાં આવશે નહિ. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાની શરતે તમામ ધર્મસ્થાનકો ચાલુ કરવાની છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મસ્થાનકોમાં કોઈ જ મોટા સમારોહ કરવાની છૂટ મળશે નહિ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget