Corona News Update Live:રાજકોટમાં કોરોનાથી મૃત્યુઆંક વધતાં ચિંતામાં વધારો, છેલ્લા 5 દિવસમાં કોરોનાથી 15 દર્દીઓ મોતને ભેટ્યાં
રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે. પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે.

Background
રાજકોટ જીવલેણ બનતો કોરોનાએ ચિંતા વધારી છે. પાંચ દિવસમાં 15 દર્દીઓ મોતને ભેટ્યાં છે. રાજકોટ શહેરમાં રોજના ત્રણ મોત થાય છે. અહીં કેસમાં ઘટી રહ્યાં છે પરંતુ મૃત્યુની ઘટના વધતાં ચિંતામાં વધારો થયો છે. તબીબોનું તારણ છે કે, કોરોના પેર્ટન બદલીને હવે ફરી ફેફસા સુધી પહોંચી રહ્યો છે.
વડોદરામાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,196 કેસ નોંધાયા છે. તો ગઈ કાલે 1039 કેસ હતા આજે 1157 કેસ વધ્યા.હાલ શહેરમાં 16,782 એક્ટિવ કેસ છે. 16,333 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. તો હોસ્પિટલમાં સારવાર હેઠળ 449 દર્દીઓ છે.
145 દર્દીઓ ઓક્સિજન પર છે. 71 દર્દીઓ વેન્ટિલેટર પર અને ત્રણ દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. વધુ 19 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા છે.
પંચમહાલ જિલ્લામાં આજે વધુ 98 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, આજે વધુ 2 કોરોના પોઝિટીવ દર્દીના મોત થયા
ગઈ કાલે પણ 2 દર્દીના મોત નિપજયા હતા, છેલ્લા 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે. જિલ્લાના ગોધરા તાલુકામાંથી 04,હાલોલ 66 કાલોલ 01, શહેરા.01 ઘોઘંબા 14 જાંબુઘોડા 12 કેસ નોંધાયા છે. જિલ્લાના 75 કોરોના દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.જિલ્લાના કુલ કોરોના પોઝિટિવ એક્ટિવ કેસ ની સંખ્યા 448 પર પહોંચી છે.
મહીસાગર જિલ્લામાં આજે કોરોનાના 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. લુણાવાડા તાલુકામાં 13 અને ખાનપુર તાલુકામાં 3 કેસ નોંધાયા છે.જિલ્લામાં આજે 15 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જિલ્લામાં કોરોનાના 121 એક્ટિવ કેસ નોંધાયા છે.
કોરોના કેસમાં ધરખમ ઘટાડો, દ્વારકાના જિલ્લામાં માત્ર 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા
દ્વારકા જિલ્લામાં આજે 16 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 34 કોરોના દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે તો
દ્વારકા માં કોરોનાને કારણે એક નું મોત થયું છે. દ્વારકા આરોગ્ય તંત્ર અને નાગરિકોની જાગરૂકતાને કારણે કોરોના કેસો માં નોંધપાત્ર ઘટાડો થયો છે. દ્વારકામાં 10,. ભાણવડમાં 1, કલ્યાણપુરમાં 1, , ખંભાળિયામાં 4 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.
આણંદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવ 95 કેસ નોંધાયા છે. આણંદ 57, આકલાવ 1, બોરસદ 9,
ખંભાતમાં 3 અને પેટલાદમાં 20 કેસ નોંધાયા છે. તો સોજીત્રામાં નવા 3 અન ઉમરેઠ 2 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે





















