શોધખોળ કરો

ઉત્તર ગુજરાતનાં 15 લોકોને કેનેડા લઈ જવાના બહાને દિલ્હી-કોલકાત્તામાં ગોંધી રાખ્યા, કેનેડા પહોંચી ગયાના ફોન કરી 2.35 કરોડ પડાવ્યા...

એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ મારફતે આ લોકોને કોલકત્તા અને દીલ્હી મોકલી આપવામાં આવ્યા હતા. 

ગાંધીનગરઃ વિદેશ લઈ જવાના બહાને ઉત્તર ગુજરાતનાં લોકોને દિલ્હીમાં ત્રણ મહિના સુધી ગોંધી રાખીને લાખો રૂપિયા પડાવાયા હોવાની ચોંકાવનારી ઘટના બની છે. ગાંધીનગર પોલીસે કબૂતરબાજીના આ એક મોટો રેકેટનો પર્દાફાશ કરીન બંદીઓને છોડાવ્યા છે.

વિદેશ મોકલવાની લાલચ આપી છેતરપિંડી કરી ગેરકાયદેસર ગોંધી રાખી બંદુકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગે છેલ્લા ત્રણ મહિનાથી બંદી બનાવેલા નિર્દોષ લોકોને દિલ્હી તેમજ કોલકત્તા ખાતેથી તેમની પકડમાંથી છોડાવી ગેંગનો પર્દાફાશ કર્યો છે.

પોલીસની પકડમાં આવેલો આ આરોપી  નિર્દોષ લોકોને છેતરી એક મોટા ગુનાને અંજામ આપી રહ્યો હતો આરોપી પોતાના સાગરીતો સાથે મળી આ ગુનો કરી રહ્યો હતો.

પોલીસને ૧૨/૦૨/૨૦૨૨ના રોજ રજુઆત મળેલી કે ગાંધીનગર જીલ્લાના ખરણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી છેલ્લા બે મહિનાથી કોલકત્તા તેમજ દીલ્હી ખાતે બોલાવી તેમની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્થળે ગોંધી રાખેલ છે.

આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલીક LCB-2 ના પો. ઇન્સ જે.એચ.સિંધવ ને તપાસ કરવા આદેશ આપવામાં આવેલ. તેના આધારે  LCB-2 ના અધિકારી તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક હવાઈ માર્ગે કોલકત્તા તથા દીલ્હી ખાતે ગયા હતા.  દીલ્હી ખાતે સ્પેશ્યલ સેલની મદદથી ભોગ બનનારને શોધી કાઢ્યા હતા. તેમને સહી સલામત છોડાવવા જરૂરી હોવાથી રેસ્ક્યુ કરી બાળકો સહિત કુલ-૧૫ ભોગ બનનાર લોકોને છોડાવી રેલ માર્ગે તેમજ હવાઈ માર્ગે પરત લાવી તેમની પૂછપરછ કરતાં મોટા ખુલાસા થયા છે.

એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ મારફતે આ લોકોને કોલકત્તા અને દીલ્હી મોકલી આપવામાં આવ્યા હતા.  ત્યાં સુશિલ રોય, સંતોષ રોય, કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી આ લોકોને ગેરકાયદેસર ગોંધી રાખ્યા હતા.  તેઓની ઉપર અમાનવીય ત્રાસ ગુજારી તેમને તેમનાપરિવાર સાથે ફોન ઉપર વાત કરાવડાવી ધાક ધમકી આપી અમો કેનેડા ખાતે પહોચી ગયેલ છે તેમ બોલાવડાવી પરિવાર પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂપિયા 2.35 કરોડ જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલ કરેલ હોવાનું જણાઈ આવેલ છે.  રેસ્ક્યુ કરેલ ઈસમોને સહી સલામત તેમના ઘરે સોંપવામાં આવેલ છે. આ ટોળકીએ આવા ગુન્હાઓને અગાઉ પણ અંજામ આપેલ હોવાનુ જણાઈ આવ્યું છે.

રાજેશ નટવરલાલ પટેલની અટકાયત કરવામાં આવેલ છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ બાબતે માણસા પો.સ્ટે ગુન્હો નોંધીને આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.  ફરાર આરોપીઓ સુશિલ રોય, સંતોષ રોય અને કમલ સિંઘાનિયાને પકડવા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને

આ બાબતે અન્ય એજન્ટ રમેશભાઈ સોમાભાઈ પટેલ ની પણ પૂછપરછ ચાલુ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

America Fire: સતત આઠમા દિવસે નથી બુઝાઈ આગ, આગામી 24 કલાક માટે અપાયું એલર્ટ Watch VideoMahakumbh 2025:  ત્રીજા દિવસે ત્રણ કરોડથી વધુ ભક્તોએ લગાવી ડુબકી, હેલિકોપ્ટરથી કરાઈ પુષ્પવર્ષાArvind Kejariwal:ચૂંટણી વચ્ચે દારુ કૌભાંડમાં વધી કેજરીવાલની મુશ્કેલીઓ, ગમે ત્યારે આવશે EDનું સમન્સAhmedabad:નરોડા પોલીસ સ્ટેશનના PI સસ્પેન્ડ, દારૂના અડ્ડા પર SMCના દરોડા બાદ કરાઈ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh: મહાકુંભમાં IITian Babaની એન્ટ્રીએ બધાને આશ્ચર્યચકિત કર્યા,સદગુરુ સાથે શું છે કનેક્શન?
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Mahakumbh 2025: હિન્દુ ધર્મ અને સનાતન ધર્મમાં શું તફાવત છે, જાણો શૈલશાનંદ ગિરિજી મહારાજ પાસેથી
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
Vadnagar: પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે વડનગર, ગૃહમંત્રી અમિત શાહ 3 નવા વિકાસકામોની આપશે ભેટ
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
IND W vs IRE W: રાજકોટમાં મહિલા ટીમે વનડે ઈતિહાસની સૌથી મોટી જીત નોંધાવી, આયર્લેન્ડને 304 રનથી હરાવ્યું
Gandhinagar:  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
Gandhinagar: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી કરોડો રુપિયાના વિકાસ કામોની ભેટ,જાણો મુખ્યમંત્રીના કયા કામના કર્યા વખાણ
General Knowledge:  વિશ્વના સૌથી ધનિક દેશોમાં કેટલી વર્ષ જીવે છે લોકો? જાણો ભારત કયા નંબરે છે?
General Knowledge: વિશ્વના સૌથી ધનિક દેશોમાં કેટલી વર્ષ જીવે છે લોકો? જાણો ભારત કયા નંબરે છે?
Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
Fact Check: શું AAP નેતા અવધ ઓઝાએ મનીષ સિસોદિયાને ‘ડરપોક’ કહ્યા? જાણો વાયરલ વીડિયોની સત્યતા
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
INS સૂરત, નીલગીરી અને વાઘશીર, ભારત નૌકાદળને મળ્યાં નવા 'ત્રિદેવ', આત્મનિર્ભર ભારત અભિયાન માટે મોટો દિવસ
Embed widget