![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
હાર્ટ અટેકે વધુ 2 લોકોના દ્વારકા જિલ્લામાં જીવ લીધા, ખેતરમાં કામ કરતા ખેડૂત અચાનક ઢળી પડ્યાં
રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે તો જામખંભાળિયામાં પણ ખેતરમાં કામ કરતા ખેડૂતનું મોત થયું છે.
![હાર્ટ અટેકે વધુ 2 લોકોના દ્વારકા જિલ્લામાં જીવ લીધા, ખેતરમાં કામ કરતા ખેડૂત અચાનક ઢળી પડ્યાં 2 more people died of heart attack in Drarka district હાર્ટ અટેકે વધુ 2 લોકોના દ્વારકા જિલ્લામાં જીવ લીધા, ખેતરમાં કામ કરતા ખેડૂત અચાનક ઢળી પડ્યાં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/19/8d4cc83c837c4626b08a74d63dd11f5f169769386889181_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heart Attack: કોરોના બાદ નાની વયે હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા સતત વધી રહ્યાં છે. માત્ર દ્રારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોએ હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે. ખંભાળિયામાં ઠાકર શેરડીના 42 વર્ષીય ખેડૂતનુ ખેતરમાં કામ કરતી વખતે અચાનક હાર્ટ અટેક આવતા તેમનું મોત થયું છે તો બીજી તરફ પ્રેમજીભાઈ કણજારીયાનું પણ ખેતરમાં કામ કરતી વખતે જ અટેક આવતા મોત થયું છે.
તો બીજી તરફ જામનગરના સેના નગરમાં રહેતા રવિ લુણા નામના યુવકને સામાન્ય તાવ અને શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા હતા. આ દરમિયાન છાતીમાં દુઃખાવો થતા યુવકનું મોત નિપજ્યું. આ તરફ બાબરા- અમરેલી હાઈવે પર રીક્ષા ડ્રાઈવિંગ દરમિયાન જ ચાલકને તિવ્ર હૃદયરોગનો હુમલો આવ્યો. જેમાં રીક્ષા ચાલકનું મોત નિપજ્યું છે. તો રાજકોટમાં હાર્ટ અટેકના કારણે 32 વર્ષીય યુવકનું મોત થયું છે. જ્યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં 40 વર્ષીય ખેડૂતનું હાર્ટ અટેકથી મોત નીપજ્યું છે. આ તરફ મહેસાણામાં 40 વર્ષીય હોમગાર્ડના જવાન પ્રહલાદ રાઠોડે સારવાર દરમિયાન દમ તોડ્યો છે. ત્રણ દિવસ પહેલા ફરજ દરમિયાન હાર્ટ અટેક આવ્યો હતો.
રાજ્યમાં નાની વયે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યાં છે. જામનગરમાં એક યુવકનું નાની વયે હાર્ટ એટેકને કારણે મોત થયું છે. શહેરમાં સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું હાર્ડ એટેકથી મૃત્યુ નીપજ્યું છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુ થયું. ગતરોજ યુવાનને સામાન્ય તાવ, શારીરિક તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ અટેક આવતા યુવાનનું મૃત્યુ થયું હતું. યુવાનનું મૃત્યુ થતા પરિવારમાં શોક છવાયો છે.
રાજુલામાં હાર્ટ એટેકથી મોત
અમરેલી જિલ્લામાં નવરાત્રીના ખેલેયાઓ માટે સૌથી મોટા ચિંતા જનક સમાચાર સામે આવ્યા છે. રાજુલા શહેરમાં મોડી રાતે 23 વર્ષનાં યુવકને હાર્ટએટેક આવતા મોત થયું છે. નવરાત્રીમાં રામાપીરના આખ્યાન દરમ્યાન યુવકને હાર્ટએટેક આવતા મોડી રાતે દોડધામ મચી હતી. 23 વર્ષીય દિનેશ શિયાળને રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. અમરેલી જિલ્લામાં નવરાત્રી દરમ્યાન હાર્ટએટેકથી યુવકના મોતની પહેલી ઘટના સામે આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)