શોધખોળ કરો

Surendranagar: અકસ્માતમાં ત્રણ યુવકોને કાળ ભરખી ગયો, કારની બોડી કાપી મૃતદેહ બહાર કાઢ્યા

સુરેન્‍દ્રનગરમાં મોડીરાત્રે અમદાવાદ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના બની હતી. આ ભયંકર અકસ્‍માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા છે.

સુરેન્‍દ્રનગર:  સુરેન્‍દ્રનગરમાં મોડીરાત્રે અમદાવાદ હાઈવે ઉપર ગમખ્‍વાર અકસ્‍માતની ઘટના બની હતી. આ ભયંકર અકસ્‍માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા છે. માલવણ અમદાવાદ હાઇવે ઉપર આવેલા અદાણી ગેસ પંપ નજીક આ અકસ્‍માતની ઘટના બની હતી. અકસ્‍માતમાં ઘટના સ્‍થળે ત્રણ લોકોના મોત નીપજ્‍યા છે.  આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે.  અકસ્માત એટલો ભયાનક હતો કે, કારની બોડી ચીરી અને 3 યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. 

આ અકસ્‍માતની ઘટાનામાં  ટેન્‍કર પાછળ i20 કાર ઘુસી જતા ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી.  i20 કાર પુર ઝડપે આવતી હતી તે દરમિયાન ટેન્‍કર પાછળ આ કાર ઘૂસી ગઈ હતી. કારમાં સવાર ત્રણ યુવકોના મોત નીપજ્‍યા હતા.   પોલીસે ઘટના સ્‍થળે  પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્રણેય યુવકોના મળતદેહોને પીએમ માટે પાટડી સરકારી હોસ્‍પિટલ ખાતે લઈ જવામાં આવ્‍યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ગેસ પંપના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે અકસ્‍માત એટલો ગંભીર થયો કે કારની બોડી ચીરી અને ત્રણેય યુવકોની ડેડ બોડીને બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતને પગલે હાઇવે ઉપર પણ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી.

અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ નિકળી ગયો હતો,  ત્રણેય યુવકો કારમાં ફસાયા હતા. કારની બોડી ચીરીને યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. 

આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. જ્યારે એક યુવકને સારવાર માટે લઈ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ મૃત્યુ નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં ત્રણ યુવકોને કાળ ભરખી ગયો હતો. 

મૃતકોના નામ
1. વસીમ ખાન બિસ્મિલ્લા ખાન મલેક (રહે. ગેડીયા, તા.પાટડી)
2. સાહિલ ખાન હુસેન ખાન (રહે.ખેરવા, તા. પાટડી) 
3. હજરત ખાન દિવાન (રહે. કારેલીયા, તા. લખતર) 

સંતરામપુરમાં ST બસની ટક્કરથી પતિ-પત્નીનું મોત

મહીસાગરના સંતરામપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી જાણકારી અનુસાર મહીસાગરના સંતરામપુરમાં એસ.ટી બસે અડફેટે લેતા બે લોકોના મોત થયા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

એસટી બસે મોપેડ અને તુફાન ગાડીને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. સંતરામપુર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

સંતરામપુર બાયપાસ રોડ ઉપર સર્જાયેલ અકસ્માત બાબતે બસ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. બસ ચાલકે ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જ્યો હોવાના આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી હતી. મોહનભાઈ પ્રજાપતિ અને સવિતાબેન પ્રજાપતિ બંને પતિ પત્નીનું અકસ્માતમાં મોત થયું હતું. જ્યારે અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં બસ ચાલક વિરુદ્ધ મોડી રાત્રે ફરિયાદ નોંધાઈ હતી.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા
PM Narendra Modi : PM મોદી અમદાવાદમાં પતંગ મહોત્સવમાં આપશે હાજરી, જુઓ અહેવાલ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
₹1500 કરોડનું જમીન કૌભાંડ: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
PSI LRD ઉમેદવારો માટે મોટા સમાચાર! 1,121 અરજીઓ થઈ રદ, તમારું નામ લિસ્ટમાં નથી ને? જુઓ યાદી
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
IPL 2026: ₹4 કરોડનું નુકસાન વેઠીને રવિન્દ્ર જાડેજા બનશે RR નો કેપ્ટન? ટીમે આપ્યો મોટો સંકેત
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
Embed widget