શોધખોળ કરો

બનાસકાંઠાના ડીસામાં હૃદયદ્રાવક ઘટના: પાંજરાપોળમાં ૩૬ ગાયના મોત, ગરમીના કારણે ઘાસચારો ઝેરી બન્યાની આશંકા

બલોધરની ભીલડીયાજી પાંજરાપોળમાં બુધવારે સાંજે ઘાસચારો ખાધા બાદ ગાયોની તબિયત લથડી; ૧૫ ગાયોને સારવાર આપી બચાવાઈ; પશુ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાતા લીલો ઘાસચારો કારણભૂત હોવાનું સામે આવ્યું.

Deesa cow death news: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે આવેલી એક પાંજરાપોળમાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ઝેરી ઘાસચારો ખાધા બાદ ૩૬ ગાયોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચિંતાનો માહોલ છે. પ્રાથમિક તારણ મુજબ, ઉનાળાની અસહ્ય ગરમી અને બફારાના કારણે ઘાસચારો ઝેરી બની ગયો હોવાની આશંકા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે સ્થિત ભીલડીયાજી મહાજન પાંજરાપોળ, જ્યાં ૨૭૦ થી વધુ ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે, ત્યાં બુધવારે સાંજે રજકા બાજરીનો લીલો ઘાસચારો ગાયોને નાખવામાં આવ્યો હતો. આ ઘાસચારો ખાધા બાદ અચાનક ૩૬ જેટલી ગાયોની તબિયત લથડવા લાગી અને એક બાદ એક ગાયોના મોત થવા માંડ્યા. આ ઘટનાથી પાંજરાપોળમાં હાહાકાર મચી ગયો હતો.

ઘાસચારો ઝેરી બન્યાની આશંકા

પાંજરાપોળ સંચાલકોને ગુરુવારે સવારે આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક નાયબ પશુપાલક નિયામક અને પશુચિકિત્સા અધિકારીઓને જાણ કરી હતી. પશુધન નિરીક્ષક ડોકટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગાયોની સારવાર તેમજ તપાસ હાથ ધરી હતી. ૧૫ જેટલી ગાયોની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ ૩૬ ગાયોને બચાવી શકાઈ ન હતી.

પશુ ચિકિત્સકો દ્વારા મૃતક ગાયોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે, ગાયોએ લીલો ઘાસચારો ખાધા બાદ તેમના મોત થયા છે. જિલ્લા પશુપાલન અધિકારીએ પ્રાથમિક તારણ જણાવતા કહ્યું કે, પ્રથમ વાઢની રજકા બાજરી વાઢીને ગરમીમાં પડી રાખવામાં આવી હતી, અને ગરમીના કારણે તેમાં બફારો થઈ જવાથી ઘાસચારામાં ઝેરની અસર થઈ ગઈ હોવાની આશંકા છે. આ ઝેરી ઘાસચારો આરોગ્ય બાદ ગાયોના મોત નિપજ્યા હોવાનું મનાય છે.

વધુ તપાસ અને તકેદારીના પગલાં

હાલ તો ૩૬ ગાયોના મૃતદેહનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહને જે.સી.બી દ્વારા ખાડો ખોદીને દફનાવવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે, જિલ્લાની અન્ય ગૌશાળાઓ અને પાંજરાપોળોને પણ તકેદારી રાખવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમને ઉનાળાની ગરમી અને બફારાની સ્થિતિમાં ઘાસચારા બાબતે ખાસ કાળજી રાખવા અને આવા બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
Gujarat Rain: રાજ્યમાં 1 જૂન સુધી હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે  
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
અમદાવાદના મેયર બન્યા હિતેષ બારોટ, ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની વરણી
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ
Babesia Virus: ગીરમાં કાળમુખો બન્યો બેબીસીયા વાયરસ, એક સપ્તાહમાં 5 સિંહના મોતની પુષ્ટિ

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 36 કલાકમાં 17 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ! IMD નું મોટું એલર્ટ
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
કોંગ્રેસ શાસિત રાજ્યમાં મોટો ડખો, હાઈકમાન્ડે મુખ્યમંત્રીને રાજીનામું આપવા કહ્યું, જાણો શું છે કારણ?
IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
IND vs AFG: ભારત પ્રવાસ માટે અફઘાનિસ્તાન ટીમ જાહેર, ટેસ્ટમાંથી સ્ટાર સ્પિનર રાશિદ ખાન બહાર!
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
કર્ણાટકમાં નહીં બદલાય મુખ્યમંત્રી,  દિલ્હીમાં મીટિંગ બાદ કૉંગ્રેસે તમામ અટકળોને ફગાવી  
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતની ખાંડ સહકારી મંડળીઓ તથા શેરડી પકવતા ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
ગુજરાતમાં આ તારીખથી કડાકા-ભડાકા સાથે તૂટી પડશે વરસાદ! હવામાન વિભાગની મોટી આગાહી
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
1 જૂનથી સોલાર પેનલના નિયમો બદલાશે: જાણો કિંમત અને PM સૂર્ય ઘર સબસિડી પર શું અસર થશે
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
ચોમાસું સમય પહેલા એન્ટ્રી નહીં કરે, હવામાન એક્સપર્ટે મોનસૂનને લઈ આપ્યું લેટેસ્ટ અપડેટ 
Embed widget