શોધખોળ કરો

બનાસકાંઠાના ડીસામાં હૃદયદ્રાવક ઘટના: પાંજરાપોળમાં ૩૬ ગાયના મોત, ગરમીના કારણે ઘાસચારો ઝેરી બન્યાની આશંકા

બલોધરની ભીલડીયાજી પાંજરાપોળમાં બુધવારે સાંજે ઘાસચારો ખાધા બાદ ગાયોની તબિયત લથડી; ૧૫ ગાયોને સારવાર આપી બચાવાઈ; પશુ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાતા લીલો ઘાસચારો કારણભૂત હોવાનું સામે આવ્યું.

Deesa cow death news: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે આવેલી એક પાંજરાપોળમાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ઝેરી ઘાસચારો ખાધા બાદ ૩૬ ગાયોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચિંતાનો માહોલ છે. પ્રાથમિક તારણ મુજબ, ઉનાળાની અસહ્ય ગરમી અને બફારાના કારણે ઘાસચારો ઝેરી બની ગયો હોવાની આશંકા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે સ્થિત ભીલડીયાજી મહાજન પાંજરાપોળ, જ્યાં ૨૭૦ થી વધુ ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે, ત્યાં બુધવારે સાંજે રજકા બાજરીનો લીલો ઘાસચારો ગાયોને નાખવામાં આવ્યો હતો. આ ઘાસચારો ખાધા બાદ અચાનક ૩૬ જેટલી ગાયોની તબિયત લથડવા લાગી અને એક બાદ એક ગાયોના મોત થવા માંડ્યા. આ ઘટનાથી પાંજરાપોળમાં હાહાકાર મચી ગયો હતો.

ઘાસચારો ઝેરી બન્યાની આશંકા

પાંજરાપોળ સંચાલકોને ગુરુવારે સવારે આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક નાયબ પશુપાલક નિયામક અને પશુચિકિત્સા અધિકારીઓને જાણ કરી હતી. પશુધન નિરીક્ષક ડોકટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગાયોની સારવાર તેમજ તપાસ હાથ ધરી હતી. ૧૫ જેટલી ગાયોની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ ૩૬ ગાયોને બચાવી શકાઈ ન હતી.

પશુ ચિકિત્સકો દ્વારા મૃતક ગાયોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે, ગાયોએ લીલો ઘાસચારો ખાધા બાદ તેમના મોત થયા છે. જિલ્લા પશુપાલન અધિકારીએ પ્રાથમિક તારણ જણાવતા કહ્યું કે, પ્રથમ વાઢની રજકા બાજરી વાઢીને ગરમીમાં પડી રાખવામાં આવી હતી, અને ગરમીના કારણે તેમાં બફારો થઈ જવાથી ઘાસચારામાં ઝેરની અસર થઈ ગઈ હોવાની આશંકા છે. આ ઝેરી ઘાસચારો આરોગ્ય બાદ ગાયોના મોત નિપજ્યા હોવાનું મનાય છે.

વધુ તપાસ અને તકેદારીના પગલાં

હાલ તો ૩૬ ગાયોના મૃતદેહનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહને જે.સી.બી દ્વારા ખાડો ખોદીને દફનાવવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે, જિલ્લાની અન્ય ગૌશાળાઓ અને પાંજરાપોળોને પણ તકેદારી રાખવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમને ઉનાળાની ગરમી અને બફારાની સ્થિતિમાં ઘાસચારા બાબતે ખાસ કાળજી રાખવા અને આવા બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Navsari: નવસારી આત્મહત્યા કેસ, 4 શખ્સો અને પોલીસકર્મીની ધમકીથી કંટાળી 28 વર્ષીય યુવકે ખાધો ગળેફાંસો
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Dahod News: ઝાલોદમાં સામૂહિક આત્મહત્યાથી અરેરાટી, 23 વર્ષીય માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં ઝંપલાવ્યું
Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર
Rain Forecast: ગુજરાત હવામાન અપડેટ, રાજ્યના 13 જિલ્લાઓમાં આગામી કલાકોમાં વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં મોનસૂન ફરી એક્ટિવ, આગામી 5 દિવસ આ જિલ્લામાં વરસાદની આગાહી
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Meta Alert : હવે આપનું સંતાન AI ચેટબોટમાં સુસાઇડ વિશે વાત કરશે તો મેટા પેરેન્ટેસને કરશે એલર્ટ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Share market today July 17: એશિયાઈ બજારોમાં હાહાકાર વચ્ચે ભારતીય શેરબજારે બતાવ્યો દમ, સેન્સેક્સ-નિફ્ટી વધ્યા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Embed widget