શોધખોળ કરો

બનાસકાંઠાના ડીસામાં હૃદયદ્રાવક ઘટના: પાંજરાપોળમાં ૩૬ ગાયના મોત, ગરમીના કારણે ઘાસચારો ઝેરી બન્યાની આશંકા

બલોધરની ભીલડીયાજી પાંજરાપોળમાં બુધવારે સાંજે ઘાસચારો ખાધા બાદ ગાયોની તબિયત લથડી; ૧૫ ગાયોને સારવાર આપી બચાવાઈ; પશુ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાતા લીલો ઘાસચારો કારણભૂત હોવાનું સામે આવ્યું.

Deesa cow death news: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે આવેલી એક પાંજરાપોળમાં અત્યંત કરુણ ઘટના સામે આવી છે, જ્યાં ઝેરી ઘાસચારો ખાધા બાદ ૩૬ ગાયોના મોત નિપજ્યા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક અને ચિંતાનો માહોલ છે. પ્રાથમિક તારણ મુજબ, ઉનાળાની અસહ્ય ગરમી અને બફારાના કારણે ઘાસચારો ઝેરી બની ગયો હોવાની આશંકા છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બલોધર ગામે સ્થિત ભીલડીયાજી મહાજન પાંજરાપોળ, જ્યાં ૨૭૦ થી વધુ ગાયોની સારસંભાળ રાખવામાં આવે છે, ત્યાં બુધવારે સાંજે રજકા બાજરીનો લીલો ઘાસચારો ગાયોને નાખવામાં આવ્યો હતો. આ ઘાસચારો ખાધા બાદ અચાનક ૩૬ જેટલી ગાયોની તબિયત લથડવા લાગી અને એક બાદ એક ગાયોના મોત થવા માંડ્યા. આ ઘટનાથી પાંજરાપોળમાં હાહાકાર મચી ગયો હતો.

ઘાસચારો ઝેરી બન્યાની આશંકા

પાંજરાપોળ સંચાલકોને ગુરુવારે સવારે આ અંગે જાણ થતાં તેમણે તાત્કાલિક નાયબ પશુપાલક નિયામક અને પશુચિકિત્સા અધિકારીઓને જાણ કરી હતી. પશુધન નિરીક્ષક ડોકટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ગાયોની સારવાર તેમજ તપાસ હાથ ધરી હતી. ૧૫ જેટલી ગાયોની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ ૩૬ ગાયોને બચાવી શકાઈ ન હતી.

પશુ ચિકિત્સકો દ્વારા મૃતક ગાયોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રાથમિક તારણમાં એવું સામે આવ્યું છે કે, ગાયોએ લીલો ઘાસચારો ખાધા બાદ તેમના મોત થયા છે. જિલ્લા પશુપાલન અધિકારીએ પ્રાથમિક તારણ જણાવતા કહ્યું કે, પ્રથમ વાઢની રજકા બાજરી વાઢીને ગરમીમાં પડી રાખવામાં આવી હતી, અને ગરમીના કારણે તેમાં બફારો થઈ જવાથી ઘાસચારામાં ઝેરની અસર થઈ ગઈ હોવાની આશંકા છે. આ ઝેરી ઘાસચારો આરોગ્ય બાદ ગાયોના મોત નિપજ્યા હોવાનું મનાય છે.

વધુ તપાસ અને તકેદારીના પગલાં

હાલ તો ૩૬ ગાયોના મૃતદેહનું પીએમ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. મૃત્યુ પામેલી ગાયોના મૃતદેહને જે.સી.બી દ્વારા ખાડો ખોદીને દફનાવવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાને પગલે, જિલ્લાની અન્ય ગૌશાળાઓ અને પાંજરાપોળોને પણ તકેદારી રાખવા માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમને ઉનાળાની ગરમી અને બફારાની સ્થિતિમાં ઘાસચારા બાબતે ખાસ કાળજી રાખવા અને આવા બનાવ ન બને તે માટે સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget