શોધખોળ કરો

દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા, જાણો આત્મહત્યા પાછળ આ હોઈ શકે છે કારણ?

દાહોદ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ સૈફી નગરમાં એક જ પરિવારના 5 સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

દાહોદ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ સૈફી નગરમાં એક જ પરિવારના 5 સભ્યોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસનો ઉચ્ચકક્ષાનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત ઘટનાની જાણ થતાં લોકોનાં ટોળાં વળ્યાં હતાં. પોલીસ સમગ્ર ઘટના અંગે તપાસ કરી રહી છે. દાહોદ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ સૈફી નગર વિસ્તાર સ્થિત બતુલ એપાર્ટમેન્ટમાં પતિ-પત્ની તેમજ ત્રણ બાળકોએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. છૂટક વેપાર કરતા સૈફીભાઈ શબ્બીરભાઈ દૂધીયાવાલા ઉંમર 42 વર્ષ તેમની પત્ની મેજબીબેન દૂધીયાવાલા તેમની ત્રણ બાળકીઓ સાથે 7 વર્ષિય હુસેના, 16 વર્ષિય અરવા, 16 વર્ષિય ઝેનબ બતુલ એપાર્ટમેન્ટના 5માં માળે રહેતા હતા. જોકે વહેલી સવારે જ્યારે સૈફીભાઈના પિતાએ તેમને ફોન કરતા સૈફી ભાઈએ ફોન ઉપાડ્યો નહોતો જેથી મૃતક સૈફીભાઈના પિતા આશરે સવારે 8 વાગ્યાના સુમારે તેમના ઘરે પહોંચ્યા હતાં જ્યાં દરવાજો ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો નહોતો જેથી મૃતકના પિતાએ આજુબાજુ વાળાઓને જાણ કરતા દરવાજો તોડીને તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા. જોકે ઘરમાં ત્રણ બાળકીઓ સહિત દંપત્તિ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ બાબતની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ત્રણ બાળકીઓ સહિત દંપત્તિએ કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ હાલ અકબંધ છે પરંતુ મૃતકના પિતાના કહ્યા પ્રમાણે મરનાર સૈફીભાઈ તેની સાળી પાસેથી થોડા સમય પહેલા સોનુ લાવ્યો હતો અને તે બાબતને લઈને સમગ્ર પરિવાર કેટલાક સમયથી ટેન્શનમાં રહેતું હતું જેથી તે બાબતે પણ પોલીસે હાલ પ્રાથમિક તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે સમગ્ર પરિવાર રાત્રે જોડે જ જમ્યું હતું અને જમવામાં જ ઝેર નાખી ને જમ્યા હશે અને જમ્યા બાદ સમગ્ર પરિવાર ઊંઘી ગયો હોવો જોઈએ અને સવારે સમગ્ર પરિવાર મોતને ભેટી ગયો હતો. કારણકે તમામ ઘરના સભ્યો ઊંઘેલી હાલતમાં જ મૃત્યુ પામ્યા હોવાનું જણાઈ આવે છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે ધોધમાર
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Embed widget