શોધખોળ કરો

રાજ્યભરમાં વરસાદી માહોલ, અમરેલીમાં છ ઈંચ અને રાજુલામાં પાંચ ઈંચ ખબક્યો

રાજકોટઃ દક્ષિણ-પૂર્વ મધ્યપ્રદેશ, ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં અપર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે રવિવારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લામાં 2 થી 7 ઈંચ, સોરઠમાં 1થી 5 ઈંચ તો રાજુલામાં 5 ઈંચ અને  અન્ય વિસ્તારોમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ગીર-સોમનાથનાં કોડીનાર 5, ઉના 4, વેરાવળ3.5, તાલાલા 3, સુત્રાપાડા 4, જૂનાગઢનાં ભેંસાણ, જૂનાગઢ, બાંટવામાં 3, માળિયામાં 3.5, મેંદરડા- માણાવદર 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો. પોરબંદરના કુતિયાણામાં 1, અમરેલી 6, રાજુલા-જાફરાબાદ5, લીલીયા 4, વડીયા- લાઠી-બગસરા 4.5, સાવરકુંડલા 3, ખાંભા-ધારી 2.5ઇંચ વરસાદ પડ્યો હતો. ભાવનગર અને ઘોઘા 3.5, સિહોર 3, ઉમરાળા 2.5, મહુવા, વલ્લભીપુરમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં પાટણવાવના ઓસમ ડૂંગર પર 5 ઈંચ અને જેતપુરમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ઉપલેટા, ગોંડલ, જસદણ, ધોરાજી,આટકોટ અને કલાણામાં 2થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં રવિવારે વલસાડ, વાપી, બારડોલી, નવસારી અને સુરત શહેર-જિલ્લામાં અડધોથી 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરમાં પણ લાંબા વિરામ બાદ 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. મહુવા શહેર અને તાલુકામાં ગઇ રાત્રીના અને આજે દિવસ દરમિયાન કુલ 2 થી 2.5 ઈંચ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો હતો. તળાવામાં આ સિઝનમાં કુલ વરસાદનો આંક 585 મી.મી.ને આંબી ગયો છે અને હજી વરસાદી માહોલ હોય આ સિઝનમાં વરસાદ 600 મી.મી. વટાવી જાય તેવા સંજોગો છે. બગદાણા પંથકમાં આજ સાંજ સુધીમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો. બગડ નદી સહિતના નાળા અને વોકળામાં આ વરસાદથી પાણી વહેતા થઇ ગયા છે. અમરેલી શહેરમાં શનિવાર મધરાતથી રવિવાર મોડી સાંજ સુધીમાં છ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો જેને પગલે શહેરમા ઠેરઠેર નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાયા હતા. ઠેબી નદીમાં પુર આવ્યું હતુ. વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. ઉપરાંત રાજુલામા પાંચ જાફરાબાદમાં સાડા પાંચ, બગસરામા પાંચ ઇંચ, વડીયા, સાવરકુંડલા, લીલીયા, લાઠીમાં ચાર ઇંચ વરસાદ થયો હતો. તો ધારી અને ખાંભામા પણ ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકયો હતો. બાબરા પંથકમા સૌથી ઓછો માત્ર એક ઇંચ વરસાદ થયો હતો. મહેસાણામાં રવિવારે રાત્રે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?Tarnetar Mela Controversy | તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ મુદ્દે પ્રવાસન મંત્રીએ શું કર્યો ખુલાસો?Vadodara BJP | વડોદરા ભાજપમાં ભડકાના એંધાણ, ભાજપ પ્રમુખની બેફામ બયાનબાજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની આ અપીલ કેટલાય રાજકીય પક્ષોનો ખેલ બગાડી શકે છે! જાણો, મતદારોને શું કહ્યું
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
180 કરોડનો ખર્ચો, 400 ફ્લેટ, 12 વર્ષ સુધી કોઈને ફાળવ્યા નહીં, હવે AMCએ ફેરવી દીધું બુલડોઝર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
કાશ્મીરના બડગામમાં BSF જવાનોથી ભરેલી બસ ખીણમાં પડી, ત્રણ શહીદ, કેટલાકની સ્થિતિ ગંભીર
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
Tirupati Laddu Row: કેવી રીતે પકડાયું પ્રાણીઓની ચરબીવાળું ઘી? તિરુપતિ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટ કરી દીધી દરેક વાત
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
'નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
મો. અલી જિન્નાની કઈ વાત સાથે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સહમત છે? કહ્યું - હું પાકિસ્તાનના સંસ્થાપક સાથે સહમત છું
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં કાળા તલથી કરો આ 4 કામ, 7 પેઢીઓ રહેશે ખુશહાલ
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
HDFC બેંક લાવી રહી છે વધુ એક IPO, 25,000,000,000 રૂપિયાના શેર ઓફર કરશે
Embed widget