શોધખોળ કરો

અમદાવાદના શહીદ નિલેશ સોનીના પરિવારને જનરલ રાવતે આપેલું એક વચન પૂરું ના થઈ શક્યું.....

CDS બિપિન રાવતને જ્યારે અમદાવાદથી જગદીશભાઈ સોનીનો પત્ર મળ્યો ત્યારે તેમણે તરત જ કાર્યવાહીના આદેશ આપ્યા હતા.

દેશના ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્ની અને ૧૧ સૈન્ય અધિકારીઓનું તામિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશ થતા મોત નિપજ્યું છે. આ ઘટના તામિલનાડુના કુન્નૂરની પાસે જંગલમાં બની હતી. સીડીએસ જનરલ રાવત, તેમના પત્ની અને અન્ય ૧૧ સૈન્ય અધિકારીઓને લઇને જઇ રહેલા હેલિકોપ્ટરના પાયલટે અચાનક કાબુ ગુમાવી દીધો હતો અને એક જંગલમાં જઇને ક્રેશ થઇ ગયું હતું. જોકે આ ઘટનામાં એક સૈન્ય અધિકારી બચી ગયા છે પણ તેમની સ્થિતિ ગંભીર છે અને હાલ સૈન્ય હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

સીડીએસ બિપિન રાવત ખૂબ જ ઉદાર દિલના અને સરળ વ્યક્તિ હતા તેમનું ઉત્તમ ઉદાહરણ અમદાવાદ શહેરના પાલડી ભઠ્ઠા પાસે આવેલી દત્ત સોસાયટીમાં રહેતા શહીદ કેપ્ટન નિલેશ સોનીના પરિવારને સિયાતીન રણભૂમિની પવિત્ર માટી ને કાર્ટ્રીઝ તેમના જન્મદિવસે અપાવીને પરિવારની ઇચ્છા પૂરી કરી હતી.

શિયાચીન ગ્લેશિયરમાં ઓપરેશન મેઘદૂત સમયે દુશ્મન સામે લડતાં લડતાં અમદાવાદના યુવાન કેપ્ટન નિલેશ સોનીએ માત્ર 25 વર્ષની ઉંમરમાં શહાદત વહોરી હતી. અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસે રહેતા શહીદ કેપ્ટનના મોટા ભાઈ જગદીશ સોનીએ 21 જૂન 2021માં CDS બિપિન રાવતને પત્ર લખ્યો હતો અને તેમના નાનાંભાઈ જ્યાં શહીદ થયા હતા તે ભૂમિની માટી અને તોપખાનાની ખાલી કાર્ટ્રીજ સ્મૃતિરૂપે માગ્યા હતા. 20 જ દિવસમાં બિપિન રાવતે કાર્યવાહી કરાવીને માટી તથા કાર્ટ્રિજ આર્મીના અધિકારીઓને અમદાવાદ મોકલાવ્યાં હતાં.

CDS બિપિન રાવતને જ્યારે અમદાવાદથી જગદીશભાઈ સોનીનો પત્ર મળ્યો ત્યારે તેમણે તરત જ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમને શહીદ પરિવારો પ્રત્યે અત્યંત માન હતું. તેમણે ખાસ આદેશ આપીને હેલિકોપ્ટર સિયાચીન મોકલ્યું હતું અને જ્યાં કેપ્ટન નિલેશ સોની શહીદ થયા હતા તે ચંદન પોસ્ટ ભૂમિની માટી લેવડાવી હતી. આર્મીના નિયમ મુજબ, રેજિમેન્ટમાં તોપખાનાની કાર્ટ્રીજ રાખવામાં આવે છે, તે ક્યારેય રેજિમેન્ટની બહાર જતી નથી. પણ બિપિન રાવતે વિશેષ ઓર્ડરથી આ કાર્ટ્રીજ કઢાવી આપી હતી. કેપ્ટન નિલેશ સોનીના 59મા જન્મદિવસે 13 જુલાઈ 2021ના દિવસે અમદાવાદમાં 62 ફિલ્ડ રેજિમેન્ટના અધિકારીઓ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા અને સિયાચીનની માટી અને કાર્ટ્રીજ જગદીશભાઈ સોનીને આપ્યા હતા. આ રીતે પત્ર લખ્યાના 20 જ દિવસમાં બિપિન રાવતે કાર્યવાહી કરાવી હતી.

જનરલ બિપીન રાવતની ઇચ્છા પૂરી ન થઈ

જનરલ બિપીન રાવતે પત્ર દ્વારા શહીદ પરિવારને તેમને દ્વારા સિયાચીન રણભૂમિની પવિત્ર માટી અને કાર્ટ્રીજ આપવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બિપિન રાવતના પી.એસ.એ ફોન કરી જગદીશભાઈ સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, જ્યારે જનરલ બિપીન રાવત અમદાવાદની મુલાકાતે આવશે ત્યારે શહીદ કેપ્ટન નિલેશ સોનાના પરિવારને મળીને જલિ ચાર રસ્તા પાસે આવેલા સ્મારક ખાતે અંજલિ અર્પમ કરવાની તેમની ઇચ્છા હતી પણ અકાળે અવસાન થયું જેના કારણે આ ઇચ્છા પૂરી ન થઈ શકી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જાપાનના PM સાનાય તાકાઈચીની ઐતિહાસિક જીત, વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન
જાપાનના PM સાનાય તાકાઈચીની ઐતિહાસિક જીત, વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
ITR-1થી ITR-7 સુધીમાં મોટો ફેરફાર! સરકારે જાહેર કર્યો નવા ઈન્કમ ટેક્સ નિયમોનો ડ્રાફ્ટ
ITR-1થી ITR-7 સુધીમાં મોટો ફેરફાર! સરકારે જાહેર કર્યો નવા ઈન્કમ ટેક્સ નિયમોનો ડ્રાફ્ટ
Aaj Nu Rashifal: આજે સોમવારના રોજ ભગવાન શિવ આ રાશિઓના ખોલશે ભાગ્યના દ્વાર; અભિજીત મુહૂર્તમાં શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'!
Aaj Nu Rashifal: આજે સોમવારના રોજ ભગવાન શિવ આ રાશિઓના ખોલશે ભાગ્યના દ્વાર; અભિજીત મુહૂર્તમાં શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હવે મેદાને બ્રહ્મસમાજ
Hun To Bolish : હું તો બોલીશ : સમાજમાં DJનો ડખ્ખો
Hun To Bolish : હું તો બોલીશ : હે રામ!
Geniben Thakor : સમાજનું સારું થતું હોય તો ગોળી ખાવાની મારી તૈયારી
Kodinar SIR News : કોડીનારમાં મુસ્લિમ સમાજના 400 લોકો પહોંચ્યા પોલીસ સ્ટેશન, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાપાનના PM સાનાય તાકાઈચીની ઐતિહાસિક જીત, વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન
જાપાનના PM સાનાય તાકાઈચીની ઐતિહાસિક જીત, વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
Rajkot BJP: રાજકોટ ભાજપની નવી ટીમ જાહેર; પાટીદાર-ક્ષત્રિય અને OBC સમીકરણ સાથે 3 મહામંત્રીની વરણી
ITR-1થી ITR-7 સુધીમાં મોટો ફેરફાર! સરકારે જાહેર કર્યો નવા ઈન્કમ ટેક્સ નિયમોનો ડ્રાફ્ટ
ITR-1થી ITR-7 સુધીમાં મોટો ફેરફાર! સરકારે જાહેર કર્યો નવા ઈન્કમ ટેક્સ નિયમોનો ડ્રાફ્ટ
Aaj Nu Rashifal: આજે સોમવારના રોજ ભગવાન શિવ આ રાશિઓના ખોલશે ભાગ્યના દ્વાર; અભિજીત મુહૂર્તમાં શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'!
Aaj Nu Rashifal: આજે સોમવારના રોજ ભગવાન શિવ આ રાશિઓના ખોલશે ભાગ્યના દ્વાર; અભિજીત મુહૂર્તમાં શરુ થશે 'ગોલ્ડન ટાઈમ'!
NEET UG 2026 રજિસ્ટ્રેશન શરૂ, મે મહિનામાં યોજાશે પરીક્ષા, જાણો જરૂરી વાતો અને નિયમ
NEET UG 2026 રજિસ્ટ્રેશન શરૂ, મે મહિનામાં યોજાશે પરીક્ષા, જાણો જરૂરી વાતો અને નિયમ
T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા પાકિસ્તાન તૈયાર, પરંતુ રાખી આ 3 વિચિત્ર શરત
T20 વર્લ્ડ કપમાં ભારત સામે રમવા પાકિસ્તાન તૈયાર, પરંતુ રાખી આ 3 વિચિત્ર શરત
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Congress Meeting: ખડગે-રાહુલે બોલાવી 8 રાજ્યોની બેઠક; મનરેગા અને US ટ્રેડ ડીલ પર ઘડાશે રણનીતિ, જુઓ લિસ્ટ
Agniveer Recruitment Rules 2026: લગ્ન કર્યા તો ગુમાવવી પડશે નોકરી!, અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો
Agniveer Recruitment Rules 2026: લગ્ન કર્યા તો ગુમાવવી પડશે નોકરી!, અગ્નિવીરો માટે ભરતી પ્રક્રિયામાં ઘણા ફેરફારો
Embed widget