શોધખોળ કરો

Panchmahal: પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવકે ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

પંચમહાલ: પાવાગઢ જંગલ વિસ્તારમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘોઘંબા તાલુકાના કાલસર ગામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વદેસિંહ નાયક નામના યુવકે પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

પંચમહાલ: પાવાગઢ જંગલ વિસ્તારમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘોઘંબા તાલુકાના કાલસર ગામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વદેસિંહ નાયક નામના યુવકે પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પ્રેમસંબંધમાં નાસીપાસ થઈ યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. પોલીસે મૃતદેહને હાલોલ હૉસ્પિટલ કાતે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

તીસ્તા સેતલવાડને હાઈકોર્ટે આપ્યો ઝટકો, તાત્કાલિક સરેન્ડર કરવા આદેશ

 ગુજરાત હાઈકોર્ટે  2002 રમખાણો બાદ ગુજરાત સરકારને બદનામ કરવા પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં આરોપી તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાની સાથે હાઈકોર્ટે તિસ્તાને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તીસ્તાને શરતી જામીન આપ્યા હતા અને તેને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. શનિવારે (1 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તિસ્તાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેના વકીલે આગામી 30 દિવસ સુધી તેની ધરપકડ ન કરવા વિનંતી કરી હતી. પરંતુ જસ્ટિસ દેસાઈની ખંડપીઠે તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું.

નિર્દોષને ફસાવવાનો આરોપ
ગયા વર્ષે 25 જૂન 2022ના રોજ ગુજરાત પોલીસે તીસ્તાની ધરપકડ કરી હતી. તિસ્તા પર 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું ઘડવાનો અને આ માટે પુરાવા સાથે ચેડાં કરવાનો આરોપ છે. અમદાવાદ બ્યુરો દ્વારા તેમની સામે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ 7 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ 2 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ગયા વર્ષે શા માટે તીસ્તાની ધરપકડ કરવામાં આવી હતી?
ગયા વર્ષે, ગુજરાત રમખાણો સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. અહેસાન જાફરીનું ગુજરાત રમખાણોમાં મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી અને આ માટે તીસ્તા સેતલવાડ જવાબદાર છે કારણ કે તેણીએ પોતાના ફાયદા માટે ઝાકિયાનો વારંવાર ભાવનાત્મક રીતે ઉપયોગ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું, તિસ્તાએ આવું એટલા માટે કર્યું જેથી તે આ કેસને લાંબા સમય સુધી જીવિત રાખી શકે અને તેનો ફાયદો ઉઠાવી શકે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આવા લોકોને કાયદાના દાયરામાં લાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બીજા દિવસે જ તીસ્તાની મુંબઈથી ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
પિતા અને ભાઈ બન્યા હેવાન, 8 મહિના સુધી સગીરા પર આચર્યું દુષ્કર્મ, પીડિતાની વ્યથા સાંભળી પોલીસ રહી ગઈ સ્તબ્ધ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન
Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું હશે હવામાન
Embed widget