શોધખોળ કરો

Panchmahal: પ્રેમમાં નિષ્ફળતા મળતા યુવકે ગળેફાંસો ખાઈ કરી લીધી આત્મહત્યા

પંચમહાલ: પાવાગઢ જંગલ વિસ્તારમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘોઘંબા તાલુકાના કાલસર ગામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વદેસિંહ નાયક નામના યુવકે પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

પંચમહાલ: પાવાગઢ જંગલ વિસ્તારમાંથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે. ઘોઘંબા તાલુકાના કાલસર ગામના યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વદેસિંહ નાયક નામના યુવકે પોતાના શર્ટ વડે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પ્રેમસંબંધમાં નાસીપાસ થઈ યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે. પોલીસે મૃતદેહને હાલોલ હૉસ્પિટલ કાતે પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

તીસ્તા સેતલવાડને હાઈકોર્ટે આપ્યો ઝટકો, તાત્કાલિક સરેન્ડર કરવા આદેશ

 ગુજરાત હાઈકોર્ટે  2002 રમખાણો બાદ ગુજરાત સરકારને બદનામ કરવા પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં આરોપી તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવી દીધી હતી. જામીન અરજી ફગાવી દેવાની સાથે હાઈકોર્ટે તિસ્તાને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બર 2022માં સુપ્રીમ કોર્ટે તીસ્તાને શરતી જામીન આપ્યા હતા અને તેને ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. શનિવારે (1 જુલાઈ) ગુજરાત હાઈકોર્ટે તિસ્તાની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે તિસ્તાની અરજીને ફગાવી દીધી હતી જેમાં તેના વકીલે આગામી 30 દિવસ સુધી તેની ધરપકડ ન કરવા વિનંતી કરી હતી. પરંતુ જસ્ટિસ દેસાઈની ખંડપીઠે તેમની વિનંતીને ફગાવી દીધી હતી અને તેમને તાત્કાલિક સરેન્ડર કરવા કહ્યું હતું.

નિર્દોષને ફસાવવાનો આરોપ
ગયા વર્ષે 25 જૂન 2022ના રોજ ગુજરાત પોલીસે તીસ્તાની ધરપકડ કરી હતી. તિસ્તા પર 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ખોટી રીતે ફસાવવાનું કાવતરું ઘડવાનો અને આ માટે પુરાવા સાથે ચેડાં કરવાનો આરોપ છે. અમદાવાદ બ્યુરો દ્વારા તેમની સામે આ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ 7 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ 2 જુલાઈના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા.

ગયા વર્ષે શા માટે તીસ્તાની ધરપકડ કરવામાં આવી હતી?
ગયા વર્ષે, ગુજરાત રમખાણો સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજીને ફગાવી દીધી હતી. અહેસાન જાફરીનું ગુજરાત રમખાણોમાં મોત થયું હતું. સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી અને આ માટે તીસ્તા સેતલવાડ જવાબદાર છે કારણ કે તેણીએ પોતાના ફાયદા માટે ઝાકિયાનો વારંવાર ભાવનાત્મક રીતે ઉપયોગ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું, તિસ્તાએ આવું એટલા માટે કર્યું જેથી તે આ કેસને લાંબા સમય સુધી જીવિત રાખી શકે અને તેનો ફાયદો ઉઠાવી શકે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે, આવા લોકોને કાયદાના દાયરામાં લાવીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બીજા દિવસે જ તીસ્તાની મુંબઈથી ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Borsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડSurat Crime : સુરતમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મથી ખભળાટ , આરોપીની ધરપકડDonald Trump Inauguration : ડોનાલ્ડ ટ્રમ્પ આજે લેશે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget