શોધખોળ કરો

ચૈતર વસાવા કેસમાં મોટો વળાંક: ફરિયાદીએ કહ્યું – ‘હું કેસ પાછો ખેચવા તૈયાર છું, બસ ચૈતર વસાવા મારી....’

આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામેના કેસમાં એક નવો વળાંક આવ્યો છે.

AAP MLA Chaitar Vasava case: આમ આદમી પાર્ટીના (AAP) ધારાસભ્ય ચૈતર વસાવા (Chaitar Vasava) સામેના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ (Sanjay Vasava) સોશિયલ મીડિયા પર એક પત્ર લખીને એવી ઓફર કરી છે કે, જો ધારાસભ્ય ચૈતર વસાવા માફી માંગે તો તેઓ કેસ પાછો ખેંચવા તૈયાર છે.

સંજય વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને (Champaben Vasava) અપશબ્દો બોલ્યા તે બાબતે ચૈતર વસાવા માફી માંગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર છું." તેમણે ભારપૂર્વક કહ્યું કે, "અમે બધા એક જ સમાજના છીએ." સંજય વસાવાએ આ પત્ર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને લખ્યો છે.

પત્રમાં શું લખ્યું છે...

સવિનય જણાવવાનું કે સરકારી મીટીંગમાં બનેલ ઘટના બિલકુલ સાચી છે. ત્યારબાદ ધારાસભ્યશ્રી ચૈતર વસાવાની ધરપકડ કારવામાં આવી અને જૈ રાજકીય રંગ સમાજના નામે જે કરવામાં આવી તે ખરેખર યોગ્ય નથી.  આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ દરેક રાજકીય પક્ષની અંદર રહીને સમાજના કામો કરતા હોય છે તો આપ શ્રી ને મારે કહેવું છે કે શું ચંપાબેન વસાવા આદિવાસી સમાજ ના દીકરી કે બેન નથી શું હું આદિવાસી સમાજ ના દીકરો નથી શું તમે અમને આદિવાસી નથી ગણતા.

સમાજ ને બે ભાગ માં વહેચવાનું ને સમાજ ને વિભાજિત કરવામાં કેટલાક રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો દ્વારા આ ઘટના ને સામાજિક રંગ આપી સમાજ ને ઉશ્કેરી ને પોતાના રોટલા શેકી રહ્યા છે પરંતુ આ ઘટના બિલકુલ રાજકીય કે સામાજિક નથી અમારા સાથે ને આદિવાસી દીકરી ચંપા બેન સાથે જે બન્યું એ વિષય આધારિત સમગ્ર ઘટના છે.અમોને દુઃખ એ વાત નું છે કે આ ઘટના માં આદિવાસી દીકરી નું અપમાન થયું એમણે અપમાનિત કરવામાં આવ્યા સમાજ અને રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો એ વિશે કાંઇ જ બોલવા માંગતા નથી આ પણ સમાજ માટે કેટલું યોગ્ય કેવાય. આપણી આદિવાસી દીકરી એક સાગબારાના તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે ની જવાબદારી સંભાળતી હોય સમાજ માટે ગર્વ જેવી બાબત કેવાય પણ ધારાસભ્ય જેવા પદાધિકારી થઈ ને પોતાના રાજકીય ને સમાજ માં હિરો બનવા સમાજ ને હાથો બનાવી ને ઉપર આવા માટે આવ્યા કૃત્યો કરે એને પણ સમાજ એ વખોડવા જુએ. વધુ માં આપ પ્રમુખ છો થોડા દિવસો પેલા ધારાસભ્ય શ્રી ના અંગત ગણાતા મનીષ શેઠ જે આદિવાસી પણ નથી તોય આદિવાસી દીકરી ચંપા બેન વિશે સોશિયલ મીડિયામાં ખુબ જ ખરાબ ભાષા માં અભદ્ર ભાષા માં પોસ્ટ કરવામાં આવી તેમજ આમ આદમી પાર્ટીનાં કેટલા કાર્યકર્તા આગેવાનો દ્વારા તેને સમર્થન આપી બીજી અભજ્જી કોમેન્ટ તેમજ આદિવાસી સિકરી ચંપાબેન્નાં સમર્થનમાં આવેદન પત્ર આપવાઅ આવેલા માતા,બહેનો અને દીકરી વિશે પણ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી, તમને જોઇએ તો એનો સ્ક્રીન સોર્ટ પણ તમને મોકલીએ પણ આ બિન આદિવાસી મનીષ શેઠ માટે પણ તમે કંઇક બોલશો એવી અપેક્ષા છેને સમાજે એના સામે શું પગલાં લીધા? સમાજના આગેવાન તરીકે આપ પાસે પણ અપેક્ષા છે કે મનિષ શેઠ જેવાને અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે રહીને ન્યાય આપવશે કે પછી ગમતા માણસો હોય એટલે સમાજ ને ગમે તેમ બોલી શકે છે?

હું સંજય વસાવા આ પત્ર દ્રારા સમગ્ર આદિવાસી સમાજ ને કહેવા માંગુ છું કે આ જે પણ ઘટના બની હતી તે સરકારી કચેરી બનેલ બનાવ છે જેની અંદર ચંપાબેનને ગાળા- ગાળી કરવામાં આવી અને મારા પર હુકમલો થયો એજ ઘટના છે. એમાં સમાજ ને કઈ લેવા દેવા નથી મારા ભોળા આદિવાસી સમાજ ને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદા પુર્વક જોડવાની પ્રયાસ કરેલ છે જે ખુબ નિંદનીય બાબત છે. છતાં પણ મારા પર થયેલો હુમલો હું ભૂલી જઈ ને ચૈતર વસાવા સમાજ ની સામે આવી જાહેર માં જો આદિવાસી બેન ચંપા બેન ની માફી માંગે તો આ પોલીસ કેસ હું પણ ખેંચી લેવા પણ હું તૈયાર છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
બ્લેન્કેટમાંથી બહાર નીકળવાનું મન નહીં થાય! આગામી 3 દિવસ કેવી રહેશે ઠંડી ? જાણો આગાહી
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
મહારાષ્ટ્ર ચૂંટણી: મતદાન પહેલા જ શિંદેની શિવસેનાનો ડંકો, 19 બેઠકો પર બિનહરીફ જીત
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
ફરી નોટબંધી ? શું માર્ચ 2026 થી 500 ની નોટ રદ્દી થઈ જશે ? જાણો RBI નો મોટો ખુલાસો
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
Embed widget