શોધખોળ કરો

Gujarat Weather: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના આ વિસ્તારમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ તા સૌરાષ્ટ્ર-કચ્છ અને આસપાસના જિલ્લામાં કાલથી 14 જૂન વચ્ચે 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે ભારે વરસાદ થઇ શકે છે

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે.અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને લઈને આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. .. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે વરસાદની શક્યતા જોવા મળી રહી છે,

હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી જ  ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ જોવા મળશે. આગામી  13થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્રારકા, વલસાડ,સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે.

 આ સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાન પણ બદલવાનું શરૂ થઈ જશે.9થી 14 જૂન સુધી હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે.બીજી તરફ ગુજરાતના દરિયાકાંઠાને સાવચેત કરી દેવાયો છે અને માછીમારોને દરિયોના ખેડવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

બિપરજોય વાવાઝોડાએ માર્ગ બદલતા ગુજરાત પર ખતરો હવે વધ્યો છે . વાવાઝોડું ઉત્તર-પશ્ચિમના બદલે ઉત્તર પૂર્વીય દિશા તરફ આગળ વધીને જખૌ તરફ ફંટાયું છે. પાકિસ્તાન તરફ ફંટાશે તો ગુજરાતની દરિયાઇ સીમામાં તેની ખાસ અસર વર્તાશે. હવામાન વિભાગ મુજબ તા  સૌરાષ્ટ્ર-કચ્છ અને આસપાસના જિલ્લામાં કાલથી 14 જૂન વચ્ચે 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે  ભારે વરસાદ થઇ શકે છે

બિપરજોય વાવાઝોડાના સંકટનો સામનો કરવા મુખ્યમંત્રીએ દરિયાકાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફ્રેન્સ કરી વહીવટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીની  સમીક્ષા કરી છે. .. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.  ભારે પવન ફુંકાવાની શક્યતાને પગલે વીજપોલ અને વૃક્ષ ધરપાશાયી થવા, બેનર્સ કે હોર્ડિંગ્સથી અસર પડે તો તાત્કાકિલક ટીમો સ્ટેન્ડ બાય રાખવા સૂચના આપવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડાને લઈને દમણ પ્રશાસન એલર્ટ આપ્યું છે. દમણના દરિયા કિનારે  ઉંચા ઉંચા મોજા ઉછળતાં કાલથી જોવા મળ્યાં તા. જો કે .. પર્યટકોને દરિયા કિનારેથી દુર રાખવાની સૂચના અપાઇ છે. દરિયા કિનારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.વાવાઝોડાની એલર્ટને પગલે મોરબી જિલ્લા પ્રશાસન પણ  હરકતમાં આવ્યું છે.  માળિયા મામલતદારે નવલખી બંદર નજીકના વિસ્તારોની  મુલાકાત લીધી .. વાવાઝોડાની અસર થાય તો સ્થળાંતર કરવા માટે ગ્રામજનોને સૂચના અપાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Advertisement

વિડિઓઝ

SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Hun To Bolish : હું તો બોલીશ : રાષ્ટ્ર વિરોધી તત્વોની પોલીસ પાસે યાદી
Hun To Bolish : હું તો બોલીશ : બલિનો 'બકરો' !
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
Rajkot: રાજકોટમાં વિદ્યાર્થીનું હાર્ટ અટેકથી મોત, વોલીબોલ રમતાં રમતાં ઢળી પડ્યો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
રામ મંદિરના શિખર પર વડાપ્રધાન મોદીએ લહેરાવી ધર્મ ધ્વજા, જુઓ શાનદાર તસવીરો
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
આ સાત એક્ટ્રેસ સાથે પસંદ કરાઈ હતી ધર્મેન્દ્રની જોડી, બોક્સ ઓફિસ પર ફિલ્મો રહી સુપરહિટ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
West Bengal: પશ્વિમ બંગાળમાં જમા નથી થયા 10 લાખ SIR ફોર્મ, મતદાર યાદીમાંથી હટી શકે છે નામ
Embed widget