શોધખોળ કરો

Ambaji: અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ મોટો નિર્ણય, મંદિરના કર્મચારીઓ જ બનાવશે પ્રસાદ

Ambaji: અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટેના ઘીમાં ભેળસેળ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Ambaji:  અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટેના ઘીમાં ભેળસેળ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજીમાં મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તાત્કાલિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રસાદ બનાવવાની કામગીરી અંબાજી મંદિરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. આગામી સમયમાં મંદિરના વહીવટી તંત્ર યોગ્ય સંસ્થાને ટેન્ડર આપી અને પ્રસાદ બનાવવાની કામગીરી સોંપશે.


Ambaji: અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ મોટો નિર્ણય, મંદિરના કર્મચારીઓ જ બનાવશે પ્રસાદ

નોંધનીય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું છે.  મોહિની કેટરસે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો.  જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું.

ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું.  સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે  કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.

આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.

મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
ગોધરામાં મોટો ઉલટફેર: 100% મુસ્લિમ મતદારોવાળા વોર્ડમાં હિન્દુ મહિલા ઉમેદવારની જીત, જાણો કઈ પાર્ટીમાં છે?
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?

વિડિઓઝ

Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો
Hun To Bolish : હું તો બોલીશ : પરિણામનું વિશ્લેષણ
Local Body Election Result 2026 : આખું ગામ જીત્યા, ગઢ હારી ગયા, ખેડાવાલાના ભાજપ પર પ્રહાર
Local Body Election Result 2026: સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં મોટા ચહેરાઓનો કારમો પરાજય
Local Body Election Result 2026 : ભેંસાણ તાલુકા પંચાયતમાં ફર્યું આપનું ઝાડું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
Gujarat Weather Update: રાજ્યમાં હજુ ગરમી વધશે કે કમોસમી વરસાદની શક્યતા? જાણો વેધર અપડેટ્સ
Share Market Today: મિડલ ઇસ્ટમાં શાંતિની આશા સાથે શેરબજરમાં હરિયાળી, સેંસેક્સ 500 અંક ઉછળ્યો
Share Market Today: મિડલ ઇસ્ટમાં શાંતિની આશા સાથે શેરબજરમાં હરિયાળી, સેંસેક્સ 500 અંક ઉછળ્યો
West Bengal Election 2026 Voting Live: નદિયામાં બીજેપીના પોલિંગ એજન્ટ પર હુમલો, 142 બેઠક પર મતદાન
West Bengal Election 2026 Voting Live: નદિયામાં બીજેપીના પોલિંગ એજન્ટ પર હુમલો, 142 બેઠક પર મતદાન
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
ગુજરાતની 84 નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર, 1976 બેઠકો પર ભાજપની જીત, જાણો કોંગ્રેસને કેટલી સીટ મળી
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's horoscope: બુધવારનો દિવસ ધન અને કરિયર, સ્વાસ્થ્ય બાબતે કઇ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતની 34 જિલ્લા પંચાયતોના પરિણામો જાહેર, જાણો ક્યાં કોને કેટલી સીટ મળી અને કોને થયું વધુ નુકસાન?
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીતથી પીએમ મોદી ગદગદ: કમલમમાં ભવ્ય ઉજવણી, નેતાઓએ માન્યો આભાર
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
સ્થાનિક ચૂંટણીમાં દિગ્ગજોનો રકાસ: ભાજપ, કોંગ્રેસ, AAP ના આ મોટા માથાઓ હાર્યા, જુઓ લિસ્ટ
Embed widget