શોધખોળ કરો

Ambaji: અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ મોટો નિર્ણય, મંદિરના કર્મચારીઓ જ બનાવશે પ્રસાદ

Ambaji: અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટેના ઘીમાં ભેળસેળ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Ambaji:  અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટેના ઘીમાં ભેળસેળ મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર, અંબાજીમાં મોહિની કેટરર્સના ઘીનો સેમ્પલ ફેલ થવાના કારણે મોહનથાળનો પ્રસાદ બનાવવાનું મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યુ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં તાત્કાલિક વ્યવસ્થાના ભાગરૂપે પ્રસાદ બનાવવાની કામગીરી અંબાજી મંદિરના કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. આગામી સમયમાં મંદિરના વહીવટી તંત્ર યોગ્ય સંસ્થાને ટેન્ડર આપી અને પ્રસાદ બનાવવાની કામગીરી સોંપશે.


Ambaji: અંબાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા બાદ મોટો નિર્ણય, મંદિરના કર્મચારીઓ જ બનાવશે પ્રસાદ

નોંધનીય છે કે મોહનથાળના નકલી ઘીના ઉપયોગના કેસના ખુલાસામાં અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સને સીલ મારવામાં આવ્યું છે.  મોહિની કેટરસે પ્રસાદની માંગને પહોંચી વળવા માધુપુરા સ્થિત નીલકંઠ ટ્રેડર્સમાં ઘીનો ઓર્ડર આપ્યો હતો.  જે બાદ મોડી રાત્રે ફૂડ એન્ડ આરોગ્ય વિભાગની ટીમ નીલકંઠ ટ્રેડર્સમાં ત્રાટકી અને સીલ માર્યુ હતું.

ભાદરવી પૂનમના મેળા પહેલાં ફૂડ વિભાગે અંબાજી મંદિરના ભોજનાલયમાં પ્રસાદના સ્થળેથી ઘીના સેમ્પલ લીધા હતા. જે બાદ રિપોર્ટમાં ખુલાસો થયો કે ઘીમાં ભેળસેળ હતી. અંબાજી મંદિરમાં મોહનથાળના આ પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું.  સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે  કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.

આ વખતે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ માંના દર્શન કરીને મોહનથાળનો પ્રસાદ લીધો હતો, હવે આ મોહનથાળના પ્રસાદ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેઇલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેઇલ થયા છે તેનો સંબંધ અંબાજીના મોહનથાળના પ્રસાદ સાથે છે. અંબાજીમાં માં અંબાના પ્રસાદમાં પણ ગોલમાલ થઇ હોવાની રાડ ઉઠી છે. મોહનથાળ માટે વપરાતા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે.

મળતી માહિતી પ્રમાણે, અંબાજીમાંથી ફૂડ વિભાગે થોડાક દિવસો પહેલા લીધેલા ઘીના સેમ્પલ ફેઇલ થયા છે. ભાદરવી મેળા અગાઉ ફૂડ વિભાગે આ તમામ સેમ્પલ લીધા હતા. ખાસ વાત છે કે, ફૂડ વિભાગે ભાદરવી પૂનમના મેળા અગાઉ જ અંબાજીના મોહિની કેટટર્સમાંથી ઘીના સેમ્પલ લીધા હતા, ફૂડ વિભાગે અહીંથી 180 ઘીના ડબ્બા સીઝ કર્યા હતા, અને સેમ્પલને પરીક્ષણ માટે મોકલાયા હતા, જે સેમ્પલ ફેઇલ થયા છે. મોહિની કેટરર્સ અંબાજી મંદિરના મોહનથાળનો પ્રસાદ બનાવે છે

 

ટોપ સ્ટોરી

Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
Gujarat Weather: બંગાળની ખાડીમાં આકાર લઇ રહી છે સિસ્ટમ, 17 સપ્ટેમ્બરથી ગુજરાતમાં આવશે વરસાદ?
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
janmashtami 2026: નંદ ઘેર આનંદ ભયોના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદિરો, કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
Embed widget