શોધખોળ કરો

Gandhinagar: વિધેયક પર બોલતા બોલતા ભાવુક થયા કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા

ગાંધીનગર:  ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયકની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડીયાનો અવાજ રૂંધાયો હતો. વિધેયક પર બોલતા અર્જુન મોઢવાડિયા ભાવુક થયા હતા.

ગાંધીનગર:  ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયકની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડીયાનો અવાજ રૂંધાયો હતો. વિધેયક પર બોલતા અર્જુન મોઢવાડિયા ભાવુક થયા હતા. વિદ્યાર્થીઓને પોલીસ હવાલે ના મૂકવા જોઈએ તેવી દલીલ દરમિયાન ભાવુક થયા હતા મોઢવાડીયા. વિધેયકની કલમ 12 અને 9માં સુધારો કરવાના સૂચન સાથે મોઢવાડીયા ભાવુક થયા હતા. પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરતા કોંગ્રેસ નેતા ભાવુક થયા હતા.

 

તેમણે કહ્યું કે, ભાજપ 2014થી અમૃતકાળ ગણે છે. અમૃતકાળને યુવાનો માટે વિષકાળ બનાવી દેવામાં આવ્યો છે. આ સરકાર જ ફૂટેલી છે. સરકાર ફુટેલી છે એટલે પેપર ફૂટે છે. અત્યાર સુધી 10 જેટલી પરીક્ષા પેપર ફૂટવાને કારણે હજુ સુધી લેવાઈ નથી. અનેક અધિકારી આ પેપરકાંડમાં જોડાયેલા છે. આજ જે બિલ મુકવામાં આવેલું તે ભૂલ ભરેલુ બિલ છે. આ બીલમાં ધોરણ 10,12 અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. કૉંગ્રેસ દ્વારા સુધારો રજૂ કરવામાં આવ્યો છે.

પહેલા કૌભાંડ થયા છે. ફરી વાર આવા કૌભાંડ ન થાય એવું કૉંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બોર્ડના અને યુનિવર્સિટીના વિદ્યાર્થી ગેરરીતિ કરે તો શિક્ષક અને પરીક્ષા બોર્ડ સજા કરી શકે છે. વિદ્યાર્થી ગેરનીતિ કરે તો તેમને સમજાવવા જોઈએ.

અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો

મોઢવાડિયાએ સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે.  હરિયાણા અને રાજસ્થાન સરકારે આવો કાયદો બનાવ્યો છે. હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે.  હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ વાપર્યો છે. 10, 12, કોલેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરે તેને શું પોલીસને હવાલે કરશો?  પોલીસની ટીકા નથી કરતો પણ તેમને ગુનેગાર સાથે ડીલ કરવાની તાલીમ અપાય છે ? તેવી ટિપ્પણી મોઢવાડિયાએ કરી હતી.

27 વર્ષે બીજેપી સરકારને વેદના સમજાઈ

ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેર આયે દુરસ્ત આયે. પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના, આશા, અપેક્ષા અને માણસો ફૂટે છે. આ વિધેયક માત્ર કાયદો બનીને ન રહી જાય પરંતુ તેની અમલવારી કડક થાય તે જરુરી છે. એક કે બે વાર પેપર ફૂટે તો તેને ભૂલ કહેવાય. 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પેપર ફૂટ્યા છે. જે ગતિથી બહુમતી મળી એ જ ગતિથી છેલ્લે પેપર ફૂટ્યા. આ સરકારને અનુભવી સરકાર કહી શકાય. વિધેયક પાસ થઈ કાયદો બને તેની અમલવારી 2014થી કરવાનું મારું સૂચન છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
ઓડિશા પ્લેન ક્રેશ: ભુવનેશ્વરથી રાઉરકેલા જતું વિમાન તૂટી પડ્યું, 7 લોકો હતા સવાર
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
‘ભાગ્યમાં લખેલ કોઈ છીનવી શકતું નથી’: T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર કેપ્ટન શુભમન ગિલનું મોટું નિવેદન
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
બંગાળની ખાડીમાં જ કેમ આવે છે સૌથી વધુ ચક્રવાત? કયા કયા દેશનું હવામાન બદલી દે છે આ મહાસાગર?
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
ક્યાં, ક્યારે અને કેટલા વાગ્યે શરુ થશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી વનડે? જાણો Live સ્ટ્રીમિંગની તમામ વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
પત્ની સાથે મળી પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે ₹9,250; જાણો વિગતો
Embed widget