શોધખોળ કરો

બારડોલીના AAPના ઉમેદવારની કારમાંથી 20 લાખની ચિલઝડપમાં આવ્યો નવો વળાંક, હર્ષ સંઘવીએ આપ્યું નિવેદન

ગઈકાલે સુરતના બારડોલી ખાતે કારનો કાચ તોડીને થયેલી 20 લાખ રુપિયાની રોકડની ચિલઝડપની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે.

Bardoli AAP Candidate Rajendra solanki: ગઈકાલે સુરતના બારડોલી ખાતે કારનો કાચ તોડીને થયેલી 20 લાખ રુપિયાની રોકડની ચિલઝડપની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. આ કાર આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર સોલંકીની હોવાનું ખુલ્યું છે. મહત્વનું છે કે, આ 20 લાખ રુપિયાની ચિલઝડપ મામલે પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર બાદ બારડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી હતી. 

20 લાખ રુપિયાની રકમની લૂંટની તપાસ કરી રહેલી પોલીસે આ અંગે ઈન્કમટેક્ષ વિભાગને (IT) જાણ કરી હતી. મળતી માહિતી મુજબ આ લૂંટ થયેલા 20 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીની દિલ્હી કચેરીથી આંગડિયામાં આવ્યા હતા.

ઈન્કમટેક્ષ વિભાગે શરુ કરી તપાસઃ

બારડોલી ખાતે ઇન્કમટેક્સ વિભાગે ધામાં નાખી રાજેન્દ્ર સોલંકી અને તેમના ડ્રાઈવરની સઘન પૂછપરછ ચાલુ કરી છે. ચૂંટણીમાં વાપરવા માટે નાણાં આવેલ હોવાની માહિતી મળી છે. આ સાથે અગાઉ પણ દિલ્હીથી આંગડિયા મારફતે માતબર રકમ આવેલ હોવાનુ ખૂલ્યું છે. હાલ આ મામલે ઈન્કમટેક્ષ વિભાગ સહિત પોલીસ તપાસ ચાલી રહી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ કારમાં રાજેન્દ્ર સોલંકી સાથેનો ડ્રાયવર આમ આદમી પાર્ટી બિહારનો કાર્યકર છે.

સુરત SPએ આપી માહિતીઃ

સુરત જિલ્લા પોલીસ વડા હિતેષ જોયશરે જણાવ્યું કે, આટલી મોટી રકમ આમ આદમી પાર્ટીના નેતાની છે જે આંગડિયા મારફતે બારડોલી આવી હતી. ફરિયાદના આધારે IT વિભાગને જાણ કરી તપાસ કરવામાં આવી રહી છે. આ બાબતે તપાસ જિલ્લા SOGને સોંપવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ આપ્યું નિવેદનઃ

આ લૂંટ મામલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પુછવામાં આવતાં તેમણે કહ્યું કે, રોકડા ક્યાંથી આવ્યા એ સવાલ મને નહી એમને પૂછો કે આ રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ આવ્યા. નામ લીધા વગર રાજેન્દ્ર સોલંકી અને આપ પર પ્રહાર કરતાં હર્ષ સંઘવીએ કહ્યું કે, ટેક્ષ ભરતા નથી અને રૂપિયા દિલ્હી થી કેમ આવ્યા?. શું ગુજરાતમાં અશાંતિ ફેલાવા માટે રૂપિયા મોકલ્યા હતા. 

આ પણ વાંચો....

Gopal Italiaને દિલ્હી પોલીસે છોડ્યા બાદ અરવિંદ કેજરીવાલે કહ્યું - "આ ગુજરાતના લોકો...."

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mansukh Vasava Vs Chaitar Vasava | ચૈતર વસાવાને નોર્મલ જ્ઞાન નથી.. બધા પીધેલા હતા એટલે એલફેલ બોલ્યાGujarat Heat Wave | આગામી પાંચ દિવસ ગરમીને લઈને સૌથી મોટી આગાહી, આ શહેરોમાં અપાયું ઓરેન્જ એલર્ટAhmedabad Heat Wave | કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો કરી રહ્યા છે આવા પ્રયોગ, જુઓ વીડિયોMansukh Vasava | ચૈતર વસાવાને જ્યારે મન ફાવે ત્યારે ગમે તેને મારી દેવાનું ...દાદાગીરી તો એ કરે છે..

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Raghunandan Kamath Death: આઈસક્રીમ મેન રઘુનંદન કામથનું નિધન, રેસ્ટોરંટમાં નોકરી કરીને ઉભો કર્યો 400 કરોડનો કરોબાર
Raghunandan Kamath Death: આઈસક્રીમ મેન રઘુનંદન કામથનું નિધન, રેસ્ટોરંટમાં નોકરી કરીને ઉભો કર્યો 400 કરોડનો કરોબાર
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
ભારતમાં કેવી રીતે બદલાઈ ઘઉંની ખેતી: ઉત્પાદનમાં 1000 ગણો વધારો; અગાઉ 2 કિલો તો હવે ખેડૂત 10 કિલો ઉત્પાદન કરે છે
Embed widget