શોધખોળ કરો

Kutch: ભુજ નગરપાલિકાની ભરતી પરીક્ષા અચાનક રદ, ઉમેદવારોમાં રોષ

કચ્છ જિલ્લાની ભુજ નગરપાલિકા વિવાદમાં આવી છે. એક તો બે વર્ષ બાદ ભરતી પરીક્ષા યોજાવાની હતી. જેને અચાનક રદ કરી દેવાતા ઉમેદવારો રોષે ભરાયા છે.

કચ્છ જિલ્લાની ભુજ નગરપાલિકા વિવાદમાં આવી છે. એક તો બે વર્ષ બાદ ભરતી પરીક્ષા યોજાવાની હતી. જેને અચાનક રદ કરી દેવાતા ઉમેદવારો રોષે ભરાયા છે.  વર્ષ 2022માં ભુજ નગરપાલિકાએ આસિસ્ટન્ટ ઈજનેર સહિત અલગ-અલગ નવ જગ્યા માટે કાયમી ભરતી બહાર પાડી હતી. આ માટે 600 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

આગામી ચાર ફેબ્રુઆરીએ પરીક્ષાનું આયોજન કરાયું હતું અને કોલ લેટર પણ જાહેર કરી દેવાયા હતા.  પરંતુ 30 જાન્યુઆરીએ મળેલી સામાન્ય સભામાં અચાનક પરીક્ષા રદ કરવાનો ઠરાવ કરાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સમગ્ર મામલે કૉંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. કૉંગ્રેસ મહામંત્રી અંજલિ ગોર અનુસાર, મળતિયાઓને ગોઠવવા અંતિમ ઘડીએ પરીક્ષા રદ કરી દેવાઈ છે. નગરપાલિકાના પ્રમુખ રશ્મીબેન પટેલેને સવાલ પૂછાતા તેમણે ગોળ ગોળ જવાબો આપ્યા હતા.  તેઓ એક જ રટણ કરતા રહ્યા કે, કમિટીની રચના કર્યા બાદ પરીક્ષાની નવી તારીખ જાહેર કરાશે.  

જેલમાંથી બહાર આવતા જ  ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર

 ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આખરે 50 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે.  જેલમાંથી બહાર આવતા  ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.  ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે, મને ખોટા કેસમાં ફસાવી ભાજપે જેલમાં ધકેલ્યો હતો.  જો કે, આદિવાસીઓના હકની લડત ચાલુ રહેશે.

ચૈતર વસાવાએ હુંકાર કર્યો કે, તેઓ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડશે અને જીતશે. જો કે, જ્યારે તેમને સવાલ પૂછાયો કે, સ્વર્ગીય અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ભરૂચ લોકસભા બેઠકથી ચૂંટણી લડવા ઈચ્છુક છે. ત્યારે ચૈતર વસાવાએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન ઉમેદવાર નક્કી કરશે. કોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધીની શરતો પર જામીન આપ્યા છે. એવામાં ચૈતર વસાવા ગાંધીનગરમાં રહેશે.  

હાઇકોર્ટમાં અપીલ કરીશુઃ ચૈતર વસાવા 

જેલમાંથી બહાર આવતા ચૈતર વસાવાએ કહ્યું હતું કે મને રાજકીય ષડયંત્ર હેઠળ ફસાવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે હાઇકોર્ટમાં અપીલ કરીશું. આદિવાસીઓ માટે અમે બોલીએ છીએ. રાજ્ય સરકાર ખોટા ષડયંત્ર કરે છે.

વસાવાએ કહ્યું હતું કે આદિવાસીઓના અધિકાર માટે અમે લડીશું. આદિવાસી સમાજ માટે વિધાનસભામાં પણ લડીશું. તેમણે કહ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડીશું અને જીતીશું. લોકહિત,લોકશાહી માટે અમે લડીશુ. ગઠબંધન જે પણ હશે તે મુજબ લડીશુ. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જે નક્કી કરશે તે મુજબ લડત આપીશું.                      

શું છે કેસ? 

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર અમુક લોકોએ ગેરકાયદેસર રીતે કબજો કર્યો હતો. આ જમીનનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો હતો જે  તંત્રના ધ્યાને જતા વન વિભાગના અધિકારીઓ દોડી ગયા હતા અને કામગીરી અટકાવી હતી. દરમિયાન જમીન પર ખેડાણની બાબતમાં ત્યાં ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો ઉગ્ર બન્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થતા અમુક લોકોની ધરપકડ પણ થઈ હતી. જે સમગ્ર મામલે ચૈતર વસાવા વિરૂદ્ધ વિન વિભાગે ફરિયાદ નોંધી હતી. ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યા અનુસાર, ફોરેસ્ટ વિભાગે નર્મદા પોલીસ સ્ટેશનમાં આ મામલે રજૂઆત કરી હતી. ફરિયાદ બાદ પોલીસે IPCની કલમ 386 હેઠળ ચૈતર વસાવા સામે ગુનો દાખલ કર્યો હતો.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
પૂર્વ પટ્ટામાં વિકાસનો ધોધ! CM ભૂપેન્દ્ર પટેલે બે જીલ્લાને આપી ₹1100 કરોડના વિકાસ કામોની ભેટ
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
ગોપાલ ઇટાલિયાની હાજરીમાં AAP સમર્થકે કોંગ્રેસના MLA કિરીટ પટેલને કહ્યું, 'ફાવતું ન હોય તો અમારી પાર્ટીમાં આવી જાવ!'
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
અમરેલીમાં ફરી કૌભાંડ: ઈંગોરાળામાંથી ઝડપાયું 220 લીટર નકલી દૂધ, ફૂડ વિભાગ અને પોલીસના સપાટાથી ભેળસેળિયાઓમાં ફફડાટ
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા
Surat: ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ, એક સગીર સહિત 4 નરાધમો ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભગવાધારીઓના પ્રપંચ!
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસની આંગળી ટ્રિગર પર!
Gujarat Assembly : ફાવતું ન હોય તો AAPમાં આવી જાવ, ઇટાલિયાના સમર્થકની કિરીટ પટેલને અપીલ
Election Dates 2026 Announcement : 4 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચૂંટણીની જાહેરાત
Gujarat By Election 2026 : ઉમરેઠમાં પેટાચૂંટણીની જાહેરાત, 23મી માર્ચે મતદાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
આવતીકાલે 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો પર ખરાખરીનો જંગ: જાણો કયા રાજ્યમાં કોનું પલ્લું છે ભારે
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
IPL 2026: સંજૂ સેમસન, સરફરાઝ સહિત આ પાંચ ખેલાડીઓ આ સીઝનમાં ચેન્નઈ માટે કરશે ડેબ્યૂ
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
5 રાજ્યોની ચૂંટણીની તારીખો જાહેર: આસામ, કેરળ અને પુડુચેરીમાં 9 એપ્રિલે તો બંગાળમાં 23 અને 29 એપ્રિલે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
ચૂંટણી પંચની મોટી જાહેરાત: 6 રાજ્યોની 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું એલાન, જાણો ક્યારે થશે મતદાન
તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
તમે તમારા ઘરમાં કેટલા LPG સિલિન્ડર રાખી શકો છો? જાણી લો નિયમ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
BCCI નમન એવોર્ડ્સ 2026 માં છવાયા શુભમન ગિલ અને સ્મૃતિ મંધાના: રાહુલ દ્રવિડ-મિતાલી રાજનું પણ સન્માન, જુઓ સંપૂર્ણ લિસ્ટ
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની સીધી અસર: ભર ઉનાળે રાજકોટમાં પાણીની બોટલના ભાવમાં ભડકો!
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
કેરળ ઓપિનિયન પોલ: 140 બેઠકો માટે ડાબેરીઓ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કોણ મારશે બાજી?
Embed widget