શોધખોળ કરો

Gujarat: ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ, આ દિગ્ગજ નેતા બની શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ

ગુજરાત ભાજપના પ્રમુખને  લઇને મોટા સમાચાર આવ્યા છે

ગુજરાત ભાજપના પ્રમુખને  લઇને મોટા સમાચાર આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ બદલે તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારમાં સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાને ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપે તેવી શક્યતા છે.


Gujarat: ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ, આ દિગ્ગજ નેતા બની શકે છે ભાજપ પ્રદેશ પ્રમુખ

સૂત્રોના જણાવ્યા અનુસાર, માંડવિયાને લોકસભા ચૂંટણી લડવા તૈયારી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. એટલું જ નહી મનસુખ માંડવિયા સુરતથી લોકસભા ચૂંટણી લડી શકે છે. માંડવિયાએ જે.પી નડ્ડા સાથે 40 મિનિટ સુધી બેઠક બાદ ચર્ચા શરૂ થઇ હતી.

ભાજપ નીતિન પટેલને સોંપી શકે છે મોટી જવાબદારી

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલને મોટી જવાબદારી સોંપાઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિન પટેલને ભાજપ મોટી જવાબદારી આપે તેવી સંભાવના છે. ભાજપ નીતિન પટેલને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી બનાવે તેવી શક્યતા છે. ભૂપેન્દ્ર ચૌધરી સાથે મુલાકાત બાદ ચર્ચાએ જોર પકડ્યું હતું. 

ઉપરાંત નીતિન પટેલને રાજ્યસભામાં મોકલવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે અગાઉ મહેસાણામાં સભા દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ આ અંગેના સંકેત આપ્યા હતા. ભૂપેન્દ્ર ચૌધરી અને નીતિન પટેલ વચ્ચે દિલ્હીમાં બેઠક યોજાઇ હતી. યુપી ભાજપ કોર ગ્રુપે ગુજરાતી નેતાને પ્રભારી બનાવવા માંગ કરી છે. 

BJPએ ચાર રાજ્યોમાં બદલ્યા પ્રદેશ પ્રમુખ

લોકસભા 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ બદલ્યા છે. પંજાબમાં સુનીલ જાખડ, તેલંગાણામાં કિશન રેડ્ડી, આંધ્રમાં ડી પુરંદેશ્વરી અને ઝારખંડમાં બાબુલાલ મરાંડીને કમાન સોંપવામાં આવી છે. આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ કિરણ કુમાર રેડ્ડીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બનાવવામાં આવ્યા છે. તેઓ એપ્રિલમાં ભાજપમાં જોડાયા. તેલંગાણામાં ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિના અધ્યક્ષ તરીકે ઈટેલા રાજેંદરની નિમણૂક કરવામાં આવી છે. 

સુનીલ જાખડ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ લોકસભા ચૂંટણી પહેલા જે રીતે સુનીલ જાખડને પંજાબમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભાજપ સુનિલ જાખડને પંજાબમાં મોટા હિન્દુ ચહેરા તરીકે લાવી છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ ફરીથી અકાલી દળ સાથે ગઠબંધન કરી શકે છે.

કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક બાદ કરવામાં આવ્યા ફેરફાર 

 કેન્દ્રીય મંત્રી પરિષદમાં ફેરબદલની સંભાવનાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સોમવારે (3 જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા ભાજપના ટોચના નેતૃત્વ સમક્ષ અનેક રાઉન્ડની બેઠકો યોજાઈ હતી.

 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget