Heeraben Modi Passed Away: ભાજપના સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, હીરાબા જેવી માતા સૌને મળે, હીરાબામાંથી પ્રેરણા લેવી જોઈએ........
સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે.
![Heeraben Modi Passed Away: ભાજપના સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, હીરાબા જેવી માતા સૌને મળે, હીરાબામાંથી પ્રેરણા લેવી જોઈએ........ BJP leader Vajubhai Vala said that everyone should get a mother like Heeraba, inspiration should be taken from Heeraba. Heeraben Modi Passed Away: ભાજપના સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, હીરાબા જેવી માતા સૌને મળે, હીરાબામાંથી પ્રેરણા લેવી જોઈએ........](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/129fb44c82cd38052dd1b5cc19c24e2f1672366262961234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Heeraben Modi Passed Away: રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પ્રધાનમંત્રીના માતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભાજપના તમામ કાર્યકર્તાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વજુભાઈ વાળાએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, માણસ કેટલું જીવો એ મહત્વનું નથી કેવું જીવ્યો એ મહત્વનું છે. હીરાબાઈ આધ્યાત્મિક રીતે પોતાનું જીવન જીવ્યું. મારે પ્રધાનમંત્રી સાથે વર્ષો સુધી સાથે કામ કરવાનું થયું ખૂબ જ લાગણીના સંબંધો છે પ્રધાનમંત્રી સાથે. પ્રધાનમંત્રી હીરાબાને મળવા માટે જતા ત્યારે આપણે જોતા માતા દીકરાને જોવાથી કેટલા પ્રફુલિત થતા. વજુભાઈ વાળા એ કહ્યું આવી માતાઓ સૌને મળે. લોકોએ હીરાબામાંથી પ્રેરણા લેવા ની જરૂર છે.
નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવનાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે. પંજકભાઈ મોદીના ઘરેથી સવાર 9 વાગ્યાની આસપાસ અંતિમયાત્રા નિકળશે,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા પછી સીધા પંકજભાઈના નિવાસસ્થાને ગયા હતા. પંકજભાઈના નિવાસસ્થાનેથી નિકળીને અંતિમયાત્રા ગાંધીનગરમાં સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે.
હીરાબાના નિધનની દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામા, મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.
100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ
પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.
હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)