શોધખોળ કરો

Heeraben Modi Passed Away: ભાજપના સૌરાષ્ટ્રના ક્યા દિગ્ગજ નેતાએ કહ્યું, હીરાબા જેવી માતા સૌને મળે, હીરાબામાંથી પ્રેરણા લેવી જોઈએ........

સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે.

Heeraben Modi Passed Away:  રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ પ્રધાનમંત્રીના માતાને શ્રદ્ધાંજલિ પાઠવી છે. ભાજપના તમામ કાર્યકર્તાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

વજુભાઈ વાળાએ શ્રદ્ધાંજલિ પાઠવતા કહ્યું કે, માણસ કેટલું જીવો એ મહત્વનું નથી કેવું જીવ્યો એ મહત્વનું છે. હીરાબાઈ આધ્યાત્મિક રીતે પોતાનું જીવન જીવ્યું. મારે પ્રધાનમંત્રી સાથે વર્ષો સુધી સાથે કામ કરવાનું થયું ખૂબ જ લાગણીના સંબંધો છે પ્રધાનમંત્રી સાથે. પ્રધાનમંત્રી હીરાબાને મળવા માટે જતા ત્યારે આપણે જોતા માતા દીકરાને જોવાથી કેટલા પ્રફુલિત થતા. વજુભાઈ વાળા એ કહ્યું આવી માતાઓ સૌને મળે. લોકોએ હીરાબામાંથી પ્રેરણા લેવા ની જરૂર છે.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવનાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે. પંજકભાઈ મોદીના ઘરેથી સવાર 9 વાગ્યાની આસપાસ અંતિમયાત્રા નિકળશે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા પછી સીધા પંકજભાઈના નિવાસસ્થાને ગયા હતા. પંકજભાઈના નિવાસસ્થાનેથી નિકળીને અંતિમયાત્રા ગાંધીનગરમાં સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે.

હીરાબાના નિધનની દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામા, મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ

પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.

હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking News: લેટ લતિફ સરકારી બાબુઓને લઈને સરકારે શું કર્યો પરિપત્ર?,જુઓ વીડિયોમાંNavsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયોRajkot Bus Accident: 60થી વધુ જાનૈયાઓ ભરેલી બસ પલટાઈ | Abp Asmita | 20-2-2025Gujarat Budget 2025: નાણામંત્રી કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત ગુજરાતનું બજેટ કરશે રજુ | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Delhi CM Oath Ceremony Live: 'શીશમહેલ' પર રેખા ગુપ્તાનું મોટુ નિવેદન, કહ્યું- તેને બનાવી દેશું મ્યૂઝિયમ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat Budget: બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષનો હંગામો, ગૃહ પરિસરમાં સુત્રોચ્ચાર સાથે વિરોધ શરૂ
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Gujarat budget: આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ રજૂ કરશે ગુજરાતનું બજેટ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય ક્ષેત્ર પર મુકાશે ભાર
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
Rajkot: પાયલ હૉસ્પિટલમાં કાંડ પર મોટો ખુલાસો, પ્રજવલ તૈલી મુખ્ય આરોપી, CCTVના વીડિયો ઓનલાઇન વેચતો હોવાનું ખુલ્યુ
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
IND Vs BAN Playing 11: આજે બાંગ્લાદેશ વિરુદ્ધ આવી હોઇ શકે છે ભારતની પ્લેઇંગ-11, શું ઋષભ પંતને મળશે તક?
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
Myths Vs Fact: શું દૂધમાં મખાના ઉકાળીને ખાવાથી વજન વધી જાય છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જનરલ ટિકિટને લઇને નિયમ બદલી શકે છે ભારતીય રેલવે, કરોડો મુસાફરો પર થશે અસર
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને પૂરજોશમાં તૈયારી, 1200 પોલીસ જવાનો રહેશે તૈનાત
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.