શોધખોળ કરો

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ

મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક થશે સરળ, બાયપાસમાં બનશે બે મોટા બ્રિજ અને એક રેલવે ઓવરબ્રિજ.

Idar-Badoli bypass project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના ૧૪ કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકારે ₹ ૭૦૫ કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. આ ફોર લેન બાયપાસ બનવાથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મહેસાણા તેમજ શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સરળ બનશે.

ગુજરાતને મળેલી આ ભેટ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને અંબાજી તેમજ રાજસ્થાન સાથેની કનેક્ટિવિટી પણ વધશે, જેનાથી મુસાફરી વધુ સલામત અને ઝડપી બનશે. મુખ્યમંત્રીએ ડબલ એન્જિન સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આનાથી રાજ્યમાં માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે.

નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાયપાસ સાબરકાંઠામાં નેશનલ હાઇવે-૧૬૮જી પર બનશે. આ હાઇવે મહેસાણાથી શરૂ થઈને વિસનગર, વડનગર, ખેરાલુ, ઇડર, બડોલી, ભીલોડા થઈને શામળાજી પાસે નેશનલ હાઇવે-૪૮ સુધી જાય છે. ઇડરમાંથી આ હાઇવે પસાર થતો હોવાથી શહેરમાં ભારે ટ્રાફિક રહે છે. આ ઉપરાંત, મહેસાણા અને શામળાજી તરફ જતા વાહનો માટે ઇડર એક મહત્વનું જંકશન છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ રોડને ચાર લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે.

આ ૧૪.૨ કિલોમીટરનો બાયપાસ મણિયોરથી શરૂ થઈને સાપાવાડા, લાલોડા, સવગઢ છાવણી, બુઢિયા અને વાંસડોલ થઈને બડોલી પાસે શામળાજી હાઇવેને જોડશે. આ બાયપાસમાં ૨ મોટા બ્રિજ, ૧ નાનો બ્રિજ, ૧ રેલવે ઓવરબ્રિજ (આર.ઓ.બી.) અને ૪ વ્હિકલ અંડરપાસ (વીયુપી) બનાવવામાં આવશે. મહેસાણાથી શામળાજી સુધીના ૧૬૮-જી નેશનલ હાઇવેનું નિર્માણ ત્રણ અલગ-અલગ પેકેજમાં ચાલી રહ્યું છે અને આ મંજૂરી બીજા પેકેજ એટલે કે ઇડર-બડોલી બાયપાસ માટે આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget