શોધખોળ કરો

ગુજરાતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે ઇડર-બડોલી બાયપાસ, કેન્દ્ર સરકારે મંજૂર કર્યા ₹ ૭૦૫ કરોડ

મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક થશે સરળ, બાયપાસમાં બનશે બે મોટા બ્રિજ અને એક રેલવે ઓવરબ્રિજ.

Idar-Badoli bypass project: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Modi) નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ એક મોટી ભેટ આપી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના ૧૪ કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકારે ₹ ૭૦૫ કરોડ મંજૂર કર્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે આ અંગેની જાહેરાત કરી હતી. આ ફોર લેન બાયપાસ બનવાથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને મહેસાણા તેમજ શામળાજી તરફ જતો ટ્રાફિક પણ સરળ બનશે.

ગુજરાતને મળેલી આ ભેટ બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે અને અંબાજી તેમજ રાજસ્થાન સાથેની કનેક્ટિવિટી પણ વધશે, જેનાથી મુસાફરી વધુ સલામત અને ઝડપી બનશે. મુખ્યમંત્રીએ ડબલ એન્જિન સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે આનાથી રાજ્યમાં માળખાગત સુવિધાઓનો અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે.

નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ બાયપાસ સાબરકાંઠામાં નેશનલ હાઇવે-૧૬૮જી પર બનશે. આ હાઇવે મહેસાણાથી શરૂ થઈને વિસનગર, વડનગર, ખેરાલુ, ઇડર, બડોલી, ભીલોડા થઈને શામળાજી પાસે નેશનલ હાઇવે-૪૮ સુધી જાય છે. ઇડરમાંથી આ હાઇવે પસાર થતો હોવાથી શહેરમાં ભારે ટ્રાફિક રહે છે. આ ઉપરાંત, મહેસાણા અને શામળાજી તરફ જતા વાહનો માટે ઇડર એક મહત્વનું જંકશન છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આ રોડને ચાર લેનમાં અપગ્રેડ કરવામાં આવશે, જેથી ટ્રાફિકની અવરજવર સરળ અને સુરક્ષિત બનશે.

આ ૧૪.૨ કિલોમીટરનો બાયપાસ મણિયોરથી શરૂ થઈને સાપાવાડા, લાલોડા, સવગઢ છાવણી, બુઢિયા અને વાંસડોલ થઈને બડોલી પાસે શામળાજી હાઇવેને જોડશે. આ બાયપાસમાં ૨ મોટા બ્રિજ, ૧ નાનો બ્રિજ, ૧ રેલવે ઓવરબ્રિજ (આર.ઓ.બી.) અને ૪ વ્હિકલ અંડરપાસ (વીયુપી) બનાવવામાં આવશે. મહેસાણાથી શામળાજી સુધીના ૧૬૮-જી નેશનલ હાઇવેનું નિર્માણ ત્રણ અલગ-અલગ પેકેજમાં ચાલી રહ્યું છે અને આ મંજૂરી બીજા પેકેજ એટલે કે ઇડર-બડોલી બાયપાસ માટે આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી આ વિસ્તારના લોકોની મુસાફરી વધુ સુવિધાજનક બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget