શોધખોળ કરો

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોકડાઉનની ચર્ચાઓને લઈ મુખ્યમંત્રી રૂપાણીએ ફરી એક વખત શું કરી સ્પષ્ટતા ? જાણો

ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે.

 

પાટણ: રાજ્યમાં કોરોના સંક્રમણ વકરતા લોકડાઉનની ચર્ચાઓને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફરી એક વખત સ્પષ્ટતા કરી છે. પાટણમાં મુખ્યમંત્રીએ કહ્યું રાજ્ય સરકાર સતત કેંદ્ર સરકારના સંપર્કમાં છે. કેંદ્રના માર્ગદર્શન હેઠળ સરકાર સમય-સમય અને આવશ્યકતા મુજબ નિર્ણય લેશે. હાલમાં માત્ર 20 શહેરોમાં જ નાઈટકફર્યૂનો નિર્ણય લેવાયો છે. 

રાજ્યમાં બીજા તબક્કામાં કોરનાના સંક્રમણ વધવાના પગલે અનેક શહેરોમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે. પાટણ શહેરમાં પણ કોરોનાના સંક્રમણની ચેન તોડવા વેપારીઓએ રવિવારે વેપાર ધંધા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પાટણ શહેરમાં આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ દુકાનો રવિવારે બંધ રહી હતી. પાટણ શહેરના લોકો પણ જરૂરિયાત સિવાય ઘર બહાર નહીં નીકળી પોતાનો સહયોગ આપતા દ્રશ્યો સામે આવ્યા હતા. પાટણ શહેરના રસ્તાઓ બિલકુલ સુમસામ ભાસી રહ્યા હતા. છેલ્લા 5 દિવસમાં પાટણમાં કોરોના સંક્રમણમાં વધારો થતાં લોકો અને વેપારીઓ આજે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો જેનું ચુસ્ત પાલન જોવા મળ્યું હતું. 

ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં કોરોનાનો સૌપ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો અને કુલ કેસનો આંક ૫ હજાર સુધી પહોંચવામાં ૪૫ દિવસનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે ભયાવહ થઇ ગઇ છે કે ૨૪ કલાકમાં જ કોરોનાના ૫ હજાર કેસ સામે આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાએ વધુ એક સપાટી વટાવતા ૫,૦૧૧ નવા કેસ સામે આવ્યા છે. આમ, રાજ્યમાં હાલ પ્રતિ કલાકે સરેરાશ ૨૦૯ નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ, સુરતમાં ૧૬-૧૬ સહિત કુલ ૪૯ના મૃત્યુ થયા છે. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાથી નોંધાયેલો આ સર્વોચ્ચ મરણાંક છે. ગુજરાતમાં કુલ કેસનો આંક ૩,૪૨,૦૨૬ -કુલ મરણાંક ૪,૭૪૬ છે અને આ પૈકી છેલ્લા ૧૦ દિવસમાં ૩૪,૩૨૮ કેસ-૨૨૭ મૃત્યુ થયા છે.  

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાથી સૌથી વધારે મોત કઈ તારીખે

5 મે, 2020 અને 10 એપ્રિલ 2021ના રોજ રાજ્યમાં કોરોનાથી 49-49 મોત થયા હતા. જે રાજ્યમાં નોંધાયેલા સર્વોચ્ચ મોતનો આંકડો છે. જે પછી9 એપ્રિલિ 2021ના રોજ 42, 11 જૂન 2020ના રોજ 38, 18 મે 2020ના રોજ 35, 5 જૂન 2020ના રોજ 35 અને 8 એપ્રિલ 2021ના રોજ 35 લોકોના મોત થયા હતા.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: ગુજરાતમાં માવઠાનું સંકટ, બે દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી
Ambalal patel: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ, સોસાયટીમાં દોડધામ
Ahmedabad News: અમદાવાદના શેલામાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ, સોસાયટીમાં દોડધામ
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ભયંકર બસ દુર્ધટના, ઢાકાથી પરત આવતી બસ પદ્મા નદીમાં ખાબકી, 16નાં મૃત્યુ અનેક ઇજાગ્રસ્ત
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026 Live Streaming: IPL મેચ ક્યારે અને ક્યાં જોઈ શકશો લાઈવ? જાણો ટાઈમિંગ અને સ્ટ્રીમિંગ ડિટેઈલ્સ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
IPL 2026: KKRની ટીમમાં સામેલ થયો નવદીપ સૈની, આ બોલરને કરશે રિપ્લેસ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
Brian Lara: બ્રાયન લારાને મોકલાયો હતો IPLનો પ્રથમ કોન્ટ્રાક્ટ, કરી દીધો હતો રિજેક્ટ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
વંદે ભારત ટ્રેનમાં પીરસ્યું ખરાબ ભોજન, કંપનીને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
Embed widget