શોધખોળ કરો

હવે પ્રાથમિક શાળામાં પણ બાળકો બોલશે ‘ભગવાન ઉવાચ’, સરકારે બહાર પાડ્યો પરિપત્ર

ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, હવે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાથમિક શાળાથી જ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. હવે રાજયના શિક્ષણ વિભાગે આ અંગે પરીપત્ર બહાર પાડ્યો છે.

ગાંધીનગર:  ગુરુવારે ગુજરાત સરકારે જાહેરાત કરી હતી કે, હવે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાથમિક શાળાથી જ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. હવે  રાજયના શિક્ષણ વિભાગે આ અંગે પરીપત્ર બહાર પાડ્યો છે. નોંધનિય છે કે, નવી રાષ્ટ્રીયશિક્ષણ નિતિ અનુસાર શ્રીમદ ભગવદ ગીતાના સિધ્ધાંતો અને મુલ્યોના પરીચય કરાવતા અભ્યાસક્રમ ભણાવાશે.
વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરાશે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રથમ તબક્કામાં ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવત ગીતામા સમાવીષ્ટ મુલ્યો અને સિધ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરીચય કરાવાનો રહેશે. ધો 6 થી 8માં પાઠયપુસ્તકમાં વાર્તા પઠન પાઠન સ્વરૂપે આપવામાં આવશે જેનુ મૂલ્યાકન પણ કરવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભગવતગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠયપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન સ્વરૂપે આપવામાં આવશે. આપણા વિદ્ધાનો પણ કહે છે ભગવદ્ ગીતામાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે. ભગવદ્ ગીતા દરેક માનવીની પથ દર્શક છે.

ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે ભગવત ગીતાનો પરિચય અભ્યાસ ક્રમમાં દાખલ કરવમાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપી છે. ભગવત ગીતાના અલગ અલગ ભાગો ભણાવવામાં આવશે. જેમા ભગવત ગીતાના સ્લોકો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે.

શિક્ષણ મંત્રીએ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, શિક્ષણ વિભાગનું બજેટ વધાર્યુ છે.  આ ઉપરાંત ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 22 ગણું વધારાનું બજેટ રાજ્ય સરકારે આ વખતે શિક્ષણ વિભાગમાં જાહેર કરાયું છે. એટલું જ નહીં છેલ્લા બે વર્ષમાં માત્ર 87 શાળાઓ જ બંધ થઈ છે અને 200 જેટલી શાળાઓ જ મર્જ થઈ છે. તેમણે વધુમાં કહ્યું કે, શૂન્ય વિધાથી વાળી જ શાળાઓ બંધ કરી છે. આ ઉપરાંત અગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું પણ નક્કી કરાયું છે. 

હવેથી અંગ્રેજી વિષયને ધોરણ 1 અને 2 મા દાખલ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્રથી જ આ અંગેની અમલવારી થશે. આ માટે વિધાર્થી માટે કોઈ પાઠ્યપુસ્તક નહિ હોય, માત્ર શિક્ષણ શ્રવણ અને કથન દ્વારા વિધાર્થીઓને શીખવામામાં આવશે. જ્યારે ધોરણ 3થી અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક શરૂ કરવામાં આવશે. વિધાર્થીના ફ્રી પાસ માટે બજેટમાં 200 કરોડની જોગવાઈ કરવામા આવી હોવાની પણ માહિતી મંત્રી વાધાણીએ આપી છે.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget