શોધખોળ કરો

રાજ્યની યુનિવર્સિટી અને કૉલેજોમાં મેરીટ પ્રમાણે અપાશે  પ્રોગ્રેશન, જાણો મહત્વના સમાચાર

રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી કૉલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે. 

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી-કોલેજો અને સરકારી કોલેજમાં ઉચ્ચશિક્ષણ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યના યુવા વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે નિર્ણય કર્યો છે કે, રાજ્યની સરકારી અને ખાનગી યુનિવર્સિટી કૉલેજોમાં સ્નાતક કક્ષાના મેડીકલ પેરામેડિકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન અપાશે. 

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીના આ નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે કોવિડ-19 કોરોના સંક્રમણની વ્યાપક પરિસ્થિતીમાં શાળા કોલેજોમાં શિક્ષણકાર્યને પડેલી અસરને ધ્યાનમાં લઇને આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન માત્ર આ વર્ષ પૂરતું આપવાનો નિર્ણય કર્યો છે.

વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કરેલા આ મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનના નિર્ણયનો લાભ સરકારી અને ખાનગી યુનિવર્સિટી તથા કોલેજોના મેડીકલ પેરામેડીકલ સિવાયના તમામ અભ્યાસક્રમો માટે ઇન્ટરમિડીયેટ સેમેસ્ટર 2,4 અને  સેમેસ્ટર 6 પણ ઇન્ટરમિડીયેટ હોય તેવા વિદ્યાર્થીઓને મળશે. આવા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા અંદાજે 9 લાખથી વધારે  થવા જાય છે એમ તેમણે ઉમેર્યુ હતું. 

શિક્ષણ મંત્રીએ ઇન્ટરમિડીયેટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને અપાનારા મેરિટ બેઇઝડ પ્રોગ્રેશનની પદ્ધતિ અંગે વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આ હેતુસર માર્કસની ગણતરી માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનના આધારે અને બાકીના 50  ટકા ગુણ  અગાઉના-પ્રિવીયસ-સેમેસ્ટરના આધારે આપવામાં આવશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટ કર્યુ કે, જો યુનિવર્સિટી-કોલેજો દ્વારા પ્રાયોગિક પરીક્ષા લેવામાં નહિં આવી હોય તો ત્યાં 50  ટકા ગુણ આંતરિક મુલ્યાંકનના આધારે અને બાકીના 50  ટકા ગુણ તુરતના અગાઉના પ્રિવીયસ સેમિસ્ટરના આધારે ગણાશે. જે કિસ્સાઓમાં પ્રાયોગિક પરીક્ષા લેવાઇ હશે તેવા કિસ્સામાં પરીક્ષામાં મેળવેલ ખરેખર ગુણ ધ્યાને લેવાશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 18  થી 44 ની વયજૂથના લોકોની કોરોના વેકસીનેશન કામગીરી ચાલી રહી છે. આવા યુવા વિદ્યાર્થીઓમાંથી બહુધા વિદ્યાર્થીઓને રસીકરણ થવાનું બાકી છે ત્યારે સમગ્ર વિદ્યાર્થી જગતના વિશાળ આરોગ્ય હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
Mumbai Rain : મુંબઇમાં મુશળધાર વરસાદ બન્યો આફત, અનેક વિસ્તાર જળબંબાકાર, BMCની ખૂલ્લી પોલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલ કાકા પર સવાલ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : મુંબઈ પહોંચ્યું ચોમાસું
Hun To Bolish : હું તો બોલીશ : ચક્રવ્યૂહમાં ચૈતર!
Ambalal Patel Prediction: અંબાલાલ પટેલે ખેડૂતોને આપ્યા રાહતના સમાચાર, વરસાદને લઈ શું કરી આગાહી?
AAP MLA Chaitar Vasava convicted : ચૈતર વસાવાને 7 વર્ષની જેલ, શું ધારાસભ્ય પદ પણ જશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
અંબાલાલ પટેલની મોટી આગાહી, 29 જૂનથી આ તારીખ સુધી રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Mumbai Rains: મુંબઈમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
Gold-Silver Rate Fall: 3 દિવસમાં ₹11000 સસ્તી થઈ ચાંદી,  બજાર ખુલતા જ સોનામાં પણ મોટો ઘટાડો 
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં સૌથી વધુ 4.33 ઈંચ વરસાદ ખાબક્યો, ખેડૂતો ખુશખુશાલ
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
મુંબઈ લોકલ ટ્રેનમાં હડકંપ; ગેટ બંધ કરવા બાબતે વિવાદ થતાં વ્યક્તિની છરીના ઘા ઝીંકી હત્યા
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીની વધી મુશ્કેલી, લગ્નની લાલચ આપી સંબંધ બાંધ્યાનો લાગ્યો આરોપ
RBIમાં બહાર પડી ભરતી, દર મહિને મળશે લાખો રૂપિયાનું સ્ટાઈપેન્ડ
RBIમાં બહાર પડી ભરતી, દર મહિને મળશે લાખો રૂપિયાનું સ્ટાઈપેન્ડ
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
ગિફ્ટ સિટીમાં વિદેશી દારુ પરના કરમાં મોટી રાહત, નાણા વિભાગે બહાર પાડ્યું નવું જાહેરનામું
Embed widget