![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગુજરાતમાં નવા વરસમાં ખાનગી સ્કૂલોની 50 ટકા ફી માફ કરવા વિધાનસભામાં રજૂઆત, જાણો મોટા સમાચાર
આ વખતે પણ કોરોનાના કારણે સ્થિતી ગંભીર છે અને રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા આદેશ આપ્યો છે પણ આ વખતે ફી કેટલી હશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી.
![ગુજરાતમાં નવા વરસમાં ખાનગી સ્કૂલોની 50 ટકા ફી માફ કરવા વિધાનસભામાં રજૂઆત, જાણો મોટા સમાચાર Congress mla demands to reduce 50 percent school fees in Gujarat Assembly season from new academic year ગુજરાતમાં નવા વરસમાં ખાનગી સ્કૂલોની 50 ટકા ફી માફ કરવા વિધાનસભામાં રજૂઆત, જાણો મોટા સમાચાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/24/a9c5785dab9a97dcc86a4448bb6e283a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ કોરોના વાયરસે ફરી માથું ઉંચક્યું છે. જેના કારણે મહિનાઓ બાદ શરૂ થયેલી સ્કૂલો ફરી બંધ કરવી પડી છે. આ દરમિયાન આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચામાં 50 ટકા ફી માફ કરવાની માંગણી કરી હતી.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં ગૃહમાં કોવિડની સ્થિતિના કારણે ખાનગી શાળાઓમાં ફી 50 ટકા માફ કરવા માંગણી કરીને કહ્યું, એક વર્ષની ફી હપ્તાથી આપી શકાય તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું હતું.
વાલીઓને કેમ છે ચિંતા
આ વખતે પણ કોરોનાના કારણે સ્થિતી ગંભીર છે અને રાજ્ય સરકારે સ્કૂલોને ઓફલાઈ શિક્ષણ બંધ કરીને ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રાખવા આદેશ આપ્યો છે પણ આ વખતે ફી કેટલી હશે એ મુદ્દે કોઈ સ્પષ્ટતા કરી નથી. સીબીએસઈ સ્કૂલોમાં 30 એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે સરકારે ફીમાં રાહત અંગે કોઈ નિર્ણય નથી લીધો તેથી વાલીઓ મૂંઝવણમાં છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટતા કરે એવું સંચાલકો અને વાલીઓ ઈચ્છે છે.
રાજ્ય સરકારના આદેશના પગલે જિલ્લા શિક્ષાધિકારીઓએ સ્કૂલોને શૈક્ષણિક વર્ષ 2021-22 માટેની ફી નક્કી કરવા માટે પોતાની દરખાસ્ત કે એફિડેવિટ 31 માર્ચ સુધીમાં બીટ નિરીક્ષકોને આપવાનો આદેશ કર્યો છે પરંતુ 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા ન કરાતા સ્કૂલ સંચાલકોમાં પણ મૂંઝવણ છે.
સંચાલકોના જણાવ્યા પ્રમાણે, ડીઇઓએ સ્કૂલોને આવનારા શૈક્ષણિક વર્ષ માટેની ફી નક્કી કરવા માટેનો પરિપત્ર મોકલાયો છે અને તેમાં છેલ્લા ત્રણ વર્ષની ફીના આધારે અને હિસાબો મંગાવાયા છે. આ પરિપત્રમાં 25 ટકા ફી માફી અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. સંચાલકોએ માગ કરી છે કે 25 ટકા માફ કરેલી ફીને ખોટ ગણવાની કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઇએ.
અમદાવાદ શહેર ડીઇઓ દ્વારા પણ તમામ ખાનગી સ્કૂલોને પરિપત્ર મોકલાયો છે. દરેક સ્કૂલને સ્પષ્ટ સૂચના અપાઇ છે કે તમામ સ્વનિર્ભર સ્કૂલોએ વર્ષ 2021-22 માટે દરખાસ્ત કે એફિડેવિટ નક્કી કરેલા નમૂનામાં 31 માર્ચ સુધીમાં પોતાના એસવીએસ અધિકારીને આપવી. આ માટે સ્કૂલો પાસેથી 1 હજાર ચલણ, સ્કૂલ ઇન્ફોર્મેશન ફોર્મ, ટ્રસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઓથોરિટીની માહિતી, સ્કૂલ એફિલેશન લેટર, યુ ડાયસ ડિટેઇલ, ખર્ચ અંગેનું સર્ટિફિકેટ, ઓપ્શન એક્ટિવિટીની માહિતી, લેન્ડ ડોક્યુમેન્ટ વગેરે દસ્તાવેજો મંગાવાયા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)