શોધખોળ કરો

ગાંધીનગરઃ સિંચાઈના પાણી માટે કોંગ્રેસના કયા MLAએ કહ્યું નર્મદા કેનાલમાં પાણી નાખીને સી-પ્લેન ઉડાવો, જાણો MLAએ શું માંગ કરી

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળાએ દસ્તક દિધી છે અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળતું નર્મદા કેનાલનું પાણી ઉનાળામાં બંધ કરવામાં આવે છે.

ગાંધીનગરઃ ગુજરાતમાં ઉનાળાએ દસ્તક દિધી છે અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે. એવામાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈ માટે મળતું નર્મદા કેનાલનું પાણી ઉનાળામાં બંધ કરવામાં આવે છે. ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પુરતુ પાણી આપવાની માંગ સાથે આજે કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈનું પાણી અને ખેડૂતોને મળતી 8 કલાકની વીજળી એમ બંનેની કટોકટી છે.

નર્મદા કેનાલમાં જ પાણી નાખો અને સી-પ્લેન ઉડાવોઃ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર સિંચાઈ માટે ખેડૂતોને નર્મદા કેનાલથી મળતા પાણીની ફરિયાદો ઉઠતી રહે છે. હવે ઉનાળાની શરુઆતમાં જ ખેડૂતોને પુરતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું. આજે વિધાનસભા સંકુલમાં મીડિયા સાથે વાતચીતમાં ગુલાબસિંહ રાજપૂતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણી આપવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટમાં નર્મદા કેનાલનું પાણી નાખવામાં આવે છે અને સી-પ્લેન ઉડાવામાં આવે છે. ત્યારે અમારી માંગ છે કે નર્મદા કેનાલમાં જ પાણી નાખો અને સી-પ્લેન ઉડાવો. થરાદ, વાવ, સુઈગામ અને લાખણીમાં આજથી પાણી બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેથી ખેડૂતોને ઉનાળામાં પાણી નહી મળે. સુજલામ સુફલામ કેનાલમાં માત્ર ચૂંટણી આવે ત્યારે જ પાણી નખાય છે. ગુલાબસિંહે માંગ કરી હતી કે, મુખ્યમંત્રી આગામી મહિના સુધી પાણી આપવા નિર્ણય કરે. 

ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, હાલ બનાસકાંઠામાં ખેડૂતોને 8 કલાક માટે મળતી વીજળી પણ નથી મળી રહી અને ટુકડે-ટુકડે ફક્ત 4 કલાક જ વીજળી મળે છે. પુરતી વીજળી ના મળતાં ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન થઈ રહ્યું છે. સળંગ આઠ કલાક વીજળી આપવા માટે ખેડૂતો અવાર-નવાર માંગ કરતા રહે છે.

આ પણ વાંચોઃ

પાક બચાવવા સિંચાઈના પાણી માટે ખેડૂતોની ઉગ્ર માંગ વચ્ચે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
Putin India Visit: 'ટ્રમ્પનું દબાણ બિનઅસરકારક, મોદી પ્રેશરમાં આવે તેવા નેતા નથી...', ભારત આવતા પહેલા બોલ્યા પુતિન
Putin India Visit: 'ટ્રમ્પનું દબાણ બિનઅસરકારક, મોદી પ્રેશરમાં આવે તેવા નેતા નથી...', ભારત આવતા પહેલા બોલ્યા પુતિન
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Advertisement

વિડિઓઝ

Patan news: પાટણના સિદ્ધપુરમાં નકલી નોટના રેકેટનો થયો પર્દાફાશ
Gujarat ATS Busts Espionage Network: પાકિસ્તાની જાસૂસી નેટવર્ક અંગે ગુજરાત ATSનો મોટો ખુલાસો
Laalo Film controversy: લાલો ફિલ્મના નિર્માતા-નિર્દેશક આવ્યા વિવાદમાં | abp Asmita
Jamnagar News:  જામનગરના બેડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ
FIR registered against Kirti Patel: વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
ડિસેમ્બરમાં માવઠુંઃ આગામી 17 થી 24 વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલની આગાહી
Putin India Visit: 'ટ્રમ્પનું દબાણ બિનઅસરકારક, મોદી પ્રેશરમાં આવે તેવા નેતા નથી...', ભારત આવતા પહેલા બોલ્યા પુતિન
Putin India Visit: 'ટ્રમ્પનું દબાણ બિનઅસરકારક, મોદી પ્રેશરમાં આવે તેવા નેતા નથી...', ભારત આવતા પહેલા બોલ્યા પુતિન
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
IndiGo Crisis: 250થી વધુ ફ્લાઈટ રદ્દ થતા એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ, ત્રીજા દિવસે પણ મુસાફરો રઝળી પડ્યા 
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ
ચેતવણીઃ બાબા વેન્ગાની 2026 માટે ખતરનાક ભવિષ્યવાણી, જાણી લો શું-શું થવા જઇ રહ્યું છે ?
ચેતવણીઃ બાબા વેન્ગાની 2026 માટે ખતરનાક ભવિષ્યવાણી, જાણી લો શું-શું થવા જઇ રહ્યું છે ?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?
Embed widget