શોધખોળ કરો

Vadodara: વડતાલના સાધુએ બળતામાં ઘી હોમ્યું, કહ્યુ- 'ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે'

Vadodara: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભિંતચિત્ર વિવાદ મામલો વધુ ગરમાયો છે

Vadodara:  સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભિંતચિત્ર વિવાદ મામલો વધુ ગરમાયો છે. સમાધાનની વાતોની વચ્ચે વડતાલના સ્વામીએ ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. વડોદરા ગુરૂકુળના દર્શન સ્વામીએ કહ્યું હતું કે ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે. તારા જેટલા સંતો ભેગા થાય તો પણ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે. મારા ઈષ્ટદેવ સર્વોપરી છે. સ્વામિનારાયણ ભગવાન વિરૂદ્ધ સાખી લેવામાં આવશે નહીં. અન્ય સંતો કરતા પહેલા અમે સનાતની છીએ. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે.


Vadodara:  વડતાલના સાધુએ બળતામાં ઘી હોમ્યું, કહ્યુ- 'ચલમ પિનારા સનાતનીની વાતો ના કરે

દર્શન સ્વામીએ કહ્યું હતું કે મિત્રો આપણે કોઈનાથી દબાવાનું નથી. એ લોકો ચલમ પીને પોતાને સનાતની કહેતા હોય તો અમે છાતી કાઢીને તિલક કરીએ છીએ એટલે તમારા કરતા પહેલા અમે સનાતની છીએ. મહેરબાની કરી સ્વામિનારાયણ વાળાને છંછેડવાના ધંધા બંધ કરી દો.

વિવાદ વકરતા સાળંગપુર કષ્ટભંજન મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મંદિરની સુરક્ષામાં બે SRPની ટુકડી, પાંચ ડિવાયએસપી, 10 PI, 8 PSI, 275 પોલીસકર્મી, 115 GRD અને હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

તે સિવાય અમદાવાદ, ભાવનગર સહિતના સ્વામિનારાયણ મંદિરોની સુરક્ષા વધારવામાં આવી છે. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિર બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસથી સ્વામિનારાયણ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો હતો. ગઢડા, વડતાલ સ્વામિનારાયણ મંદિરની પણ સુરક્ષા વધારાઇ છે.

ગઇકાલે સાળંગપુરમાં ચાલી રહેલા વિવાદ મામલે સ્વામિનારાયણના સંતોની બેઠક મળી હતી. આ બેઠક અંદાજે ત્રણ કલાક ચાલી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના 6 મુખ્ય મંદિરો અમદાવાદ, ધોલેરા, જૂનાગઢ, ભૂજ, ગઢડા અને વડતાલના 50 જેટલા સંતોની બેઠક મળી હતી. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના સંતો પણ હાજર રહ્યાં હતા. આ બેઠક બાદ વડતાલના ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયા સામે નિવેદન આપ્યું હતું.

ડો.સંત વલ્લભ સ્વામીએ  કહ્યું કે, સાળંગપુર મંદિર ખાતે ચાલતા વિવાદનો સુખદ ઉકેલ લાવવા પ્રયાસ કર્યા છે. આ મામલે સંત સમિતિની નિમણુક કરાઈ છે. સમિતિ ચર્ચા વિચારણાના આંતે નિર્ણય લેવામાં આવશે. જો કે, મહત્વની વાત એ છે કે, 3 કલાકના અંતે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓએ ભીંતચિંત્રો હટાવવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.  ડો.સંત વલ્લભ સ્વામીએ મીડિયાના એકપણ સવાલનો જવાબ આપ્યો નહોતો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jeet Adani weds Diva Shah: લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહHun To Bolish : હું તો બોલીશ :  'ઠગી' ડ્રો યથાવત ?Hun To Bolish : હું તો બોલીશ : એક જ સમાજના આંદોલનકારી આરોપમુક્ત કેમ?Patidar case: પાટીદાર કેસ બાદ OBC અને આદિવાસી કેસ પણ પરત ખેંચો: અલ્પેશ ઠાકોર અને ચૈતર વસાવાની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
મહારાષ્ટ્રમાં રાજકીય તોફાનના એંધાણઃ શિંદે જૂથને પડકાર ફેંકતા ઉદ્ધવ ઠાકરે કહ્યું – ‘મરદના ફાડીયા હોય તો.....’
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
પાટીદાર વિરૂદ્ધના 14 નહીં પણ આટલા કેસ પરત ખેંચાયા, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ચક્રવાતી તોફાન ફરી ઉથલો મારશે? વાવાઝોડું અને ગાજવીજ સાથે આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
લગ્નના બંધનમાં બંધાયા જીત અદાણી અને દિવા શાહ, ગૌતમ અદાણીએ સોશિયલ મીડિયામાં શેર કરી તસવીરો  
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ, 10,000 કરોડની માતબર સખાવતની જાહેરાત કરી 
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
પાટીદાર આંદોલન કેસ પરત ખેંચવા મુદ્દે સરકારની પ્રથમ પ્રતિક્રિયા: નિર્દોષોના નામ હતા એટલે કેસ……
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
શું પાટીદારો આંદોલનના કેસ પાછા ખેચવાની વાત હવાબાજી છે? ભાજપના પ્રવક્તા યગ્નેશ દવેએ કર્યો મોટો ખુલાસો
Embed widget