શોધખોળ કરો

Maharashtra CM Swearing in Ceremony: મહારાષ્ટ્રમાં 25 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ, CMને લઈ સસ્પેન્સ યથાવત 

2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધન આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે.

Maharashtra's New Chief Minister: 2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપ સમર્થિત મહાયુતિ ગઠબંધન આગામી સરકાર બનાવવા માટે તૈયાર છે. શપથ ગ્રહણ સમારોહ સોમવાર, 25 નવેમ્બરના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાશે તેવા અહેવાલ  છે.

શપથ ગ્રહણ સમારોહની જાહેરાત થઈ ગઈ હોવા છતાં મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ યથાવત છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદેની આગેવાની હેઠળ) અને NCP (અજિત પવારની આગેવાની હેઠળ) નો સમાવેશ કરીને મહાયુતિએ જંગી જીત મેળવી અને વિપક્ષ મહા વિકાસ અઘાડી (MVA) ને હરાવીને સત્તામાં વાપસી કરી છે. 

ભાજપે  288 વિધાનસભા બેઠકોમાંથી 132 બેઠકો જીતીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે અને 148 બેઠકોમાંથી 132 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો છે. શિવસેનાએ 57 બેઠકો અને NCP (અજિત પવાર જૂથ) 41 બેઠકો જીતીને તેના સહયોગીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે. તેનાથી વિપરીત MVA ગઠબંધનને મોટો આંચકો લાગ્યો હતો. શિવસેના (UBT)એ 20 બેઠકો જીતી, કોંગ્રેસને 16 બેઠકો અને NCP (શરદ પવાર જૂથ)ને માત્ર 10 બેઠકો મળી હતી.

ચૂંટણી પરિણામોમાં ઉલટફેર

આ ચૂંટણી મહાયુતિ માટે મોટો ઉલટફેર સાબિત થયો. પાંચ મહિના પહેલા મહાયુતિ ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકોમાંથી માત્ર 17 બેઠકો જીતી હતી. 

મુખ્યમંત્રી પદને લઈને સસ્પેન્સ

જો કે જીત બાદ મહાયુતિ ફરી સત્તામાં આવી છે, પરંતુ મુખ્યમંત્રી પદને લઈને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. એકનાથ શિંદે, જેમણે મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી, શિવસેનાને 57 બેઠકો જીતી હતી.  ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંકેત આપ્યો હતો કે આ નિર્ણય ત્રણ  પક્ષોના રાષ્ટ્રીય નેતૃત્વ પર છોડવામાં આવશે. આ નિવેદનથી એવી અટકળોને વેગ મળ્યો છે કે ભાજપ મુખ્યમંત્રી પદ પર પોતાનો દાવો રાખી શકે છે.

ભાજપની જીત અને ભવિષ્ય

20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ સ્પષ્ટ કર્યું છે કે ભાજપે તેનો રાજકીય આધાર મજબૂત કર્યો છે અને તેના સાથી પક્ષોને એક કરીને અસરકારક રીતે ચૂંટણી લડી છે. જ્યારે કેટલાક એક્ઝિટ પોલ્સે કાંટે કી ટક્કર  હોવાની આગાહી કરી હતી, ત્યારે મહાયુતિની નિર્ણાયક જીતે તેની રાજકીય તાકાત સાબિત કરી હતી. વિધાનસભાની 288 બેઠકોમાંથી 145 બેઠકોની બહુમતી જરૂરી હતી, જેને મહાયુતિએ સરળતાથી પાર કરી લીધી. આ જીતથી મહારાષ્ટ્રમાં ભાજપની તાકાત તો વધી જ છે, પરંતુ પાર્ટીને એક નવી રાજકીય ઉર્જા પણ મળી છે. આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં શું રાજકીય ગતિવિધિઓ સામે આવે છે તે જોવું રસપ્રદ રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Embed widget