શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 1083 દર્દી સ્વસ્થ થયા, રિકવરી રેટ 90 ટકાથી વધારે
આજે રાજ્યમાં કોરોનાના નવા 987 કેસ નોંધાયા છે, જેની સામે 1083 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યા છે. આજે રાજ્યમાં કોરોનાના નવા 987 કેસ નોંધાયા છે, જેની સામે 1083 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોના વાયરસનો રિકવરી રેટ 90.08 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે માત્ર 4 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે કુલ 1083 દર્દી સાજા થયા હતા અને 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 59,50,616 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3708 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1,54,078 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 13,254 એક્ટિવ કેસ છે, રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,193 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,71,040 પર પહોંચી છે.
રાજ્યમાં આજે કુલ 1083 દર્દી સાજા થયા હતા અને 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 59,50,616 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.08 ટકા છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 મોત થયા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મહેસાણા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion