શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 498 નવા કેસ, 29નાં મોત, કુલ સંક્રમિતોની સંખ્યા 19617
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13324 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5074 એક્ટિવ કેસ છે.
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 498 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 29 દર્દીઓના મોત થયા છે અને આજે 313 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 19617 થઇ છે અને મૃત્યુઆંક 1219 પર પહોંચ્યો છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 289, સુરતમાં 92, વડોદરામાં 34, ગાંધીનગરમાં 20, રાજકોટ-8, વલસાડ-8, મહેસાણા-6, સાબરકાંઠા-5, કચ્છ-5, પાટણ 6, સાબરકાંઠા-4, પંચમહાલ-4, ભરૂચ-3, છોટા ઉદેપુર-3, ભાવનગર,અરવલ્લી, આણંદ, ખેડા, ગીર સોમનાથ અને નવસારીમાં બે-બે કેસ નોંધાયા છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 29લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 26, સુરતમાં 2 અને વડોદરામાં 1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1219 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13324 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5074 એક્ટિવ કેસ છે, જેમાંથી 61 વેલ્ટીલેટર પર છે અને 5013 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 45 હજાર 606 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 216130 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 209391 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 6739 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
વડોદરા
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion