શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 324 નવા કેસ, 20નાં મોત, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9592
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 324 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં વધુ નવા 324 કેસ સામે આવ્યા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 191 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 9592 પર પહોંચી છે અને 586 લોકોના મોત થયા છે. 38.4 રિકવરી રેટ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં 265, વડોદરા 13, સુરતમાં 16, ભાવનગર 3,આણંદ 2, ગાંધીનગર 4, પાટણ 3, પંચમહાલ 2,બનાસકાંઠા 1, છોટા ઉદેપુર 4, મહેસાણા 6, પોરબંદર 1 અને ગીર સોમનાથમાં 4 નવા કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 20 લોકોનાં મોત થયા છે. જેમાંથી 7નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 13નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. અમદાવાદમાં 19 અને સુરતમાં 1 દર્દીનું મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ 9592 કોરોના કેસમાંથી 43 દર્દી વેન્ટિલેટર પર છે અને 5210 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3753 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 124709 ટેસ્ટ થયા જેમાંથી 9592 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
દુનિયા
દુનિયા
Advertisement