શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જાણો કેટલી ઝડપે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું, હવામાન વિભાગે આપી જાણકારી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાયુ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાયું છે.
![જાણો કેટલી ઝડપે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું, હવામાન વિભાગે આપી જાણકારી CYCLONE VAYU UPDATES: VAYU CYCLONE 130 km SW of Veraval and 180 km S. Porbandar જાણો કેટલી ઝડપે ટકરાશે ‘વાયુ’ વાવાઝોડું, હવામાન વિભાગે આપી જાણકારી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/13075934/cyclone-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ વાયુ વાવાઝોડું વેરાવળથી 130 કિલોમીટર દૂર છે જ્યારે પોરબંદરથી 180 કિલોમીટર છે. હવામાન વિભાગે હાલમાં જ જાણકારી આપી છે કે આજે બપોરે 135-145 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, વાયુ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ ફંટાયું છે. આ પહેલા સોમનાથ મંદિરના પ્રવેશમાં ઊભા કરવામાં આવેલા શેડને ભારે પવન ફુંકાવાના કારણે નુકસાન થયાના અહેવાલ છે.
આ પહેલા ગઈરાતથી જ ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાત્રી દરમિયાન ભારે પવન સાથે ઝરમર વરસાદ પડ્યો છે. જોકે વહેલી સવારથી પવનની ગતિમાં ઘટાડો થયો છે. હાલ ઝરમર વરસાદ સાથે પવનના ફુંકાઈ રહ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)