શોધખોળ કરો
દાહોદઃ 25 વર્ષીય યુવતીએ કરી લીધો આપઘાત, કારણ અકબંધ
ગોદિરોડ પર આવેલા નૂરે કુત્બી એપાર્ટમેન્ટમાં 25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે.

પ્રતિકાત્મક તસવીર.
દાહોદઃ શહેરના ગોદિરોડ વિસ્તારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીએ પંખા સાથે ગળફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે, યુવતીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ જાણી શકાયું નથી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગોદિરોડ પર આવેલા નૂરે કુત્બી એપાર્ટમેન્ટમાં 25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કરીને જીવન ટૂંકાવી લીધું છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે.
Before You Go
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ





















