![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાજકોટથી ડેઇલી આ શહેર માટેની ફ્લાઇસ થશે શરૂ, આ બે રાજ્ય સાથે સૌરાષ્ટ્રની ક્નેક્ટિવિટ વધશે
રાજકોટ: સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર છે. હવે રાજકોટથી આ શહેરની સીધી જ ફ્લાઇટ મળશે. ઇન્ડીગોએ કરી મહત્વની જાહેરાત કરી છે.
![રાજકોટથી ડેઇલી આ શહેર માટેની ફ્લાઇસ થશે શરૂ, આ બે રાજ્ય સાથે સૌરાષ્ટ્રની ક્નેક્ટિવિટ વધશે Daily flights to this city will start from Rajkot, connectivity of Saurashtra with these two states will increase રાજકોટથી ડેઇલી આ શહેર માટેની ફ્લાઇસ થશે શરૂ, આ બે રાજ્ય સાથે સૌરાષ્ટ્રની ક્નેક્ટિવિટ વધશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/09/ea823c024a62f2837a2738bd379264301673251069029637_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટ: સૌરાષ્ટ્રના લોકો માટે સારા સમાચાર છે. હવે રાજકોટથી આ શહેરની સીધી જ ફ્લાઇટ મળશે. ઇન્ડીગોએ કરી મહત્વની જાહેરાત કરી છે.
1 લી મે થી રાજકોટ થી ઉદયપુર અને ઇન્દોર થી ડેલી ફ્લાઈટ શરૂ કરવાની ઇન્ડિગોએ જાહેરાત કરી છે. સૌરાષ્ટ્રના લોકો માટે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની કનેક્ટિવિટી વધી જશે. ઈન્ડિગો એ૨ લાઈન્સ કંપની દ્વારા ટુક સમયમાં શિડયુલ જાહે૨ કરાશે. માર્ચ મહિનાથી રાજકોટ ઈન્દો૨, ઉદયપુ૨, બેંગ્લો૨, ગોવા, મુંબઈ દિલ્હીની સીધી ફલાઈટથી હવાઈ સેવાનો વ્યાપ વધશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વેપા૨-ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને મુસાફરોને હવાઈ સેવા ઉપયોગી નિવડશે.
Crime News: 2 દિવસ પહેલા મળેલી મહિલાના મૃતદેહ મુદ્દે થયો મોટો ખુલાસો, કેસમાં આવ્યો નવો વળાંક
Crime News:સુરત નજીક બાવડીયા જંગલમાંથી 2 દિવસ પહેલા મહિલાનો મૃતદેહ મળ્યો હતો. આ કેસમાં પીએમ રિપોર્ટ બાદ એક નવો ખુલાશો થયો છે.
સુરત નજીક બાવડીયા જંગલમાંથી 2 દિવસ પહેલા મહિલાનો મૃતદેહ મળ્યો હતો. અજાણી મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો. પીએમ રિપોર્ટ આવ્યા બાદ અનેક ખુલાસા થાય છે. જે મુજબ મહિલાને કોઇ બોથડ પદાર્થ મારીને હત્યા કરાઇ હતી. તેમજ મૃતક મહિલા પ્રેગન્ન્ટ હોવાનું પણ સામે આવ્યું છે. મહિલાને 6 મહિનાનો ગર્ભ હતો. મહિલાના શરીર પર ટેટુ પણ જોવા મળ્યું હતું. મહિલાના પરિવારની હજું સુધી કોઇ ભાળ નથી મળી. જેથી તેની ઓળખ નથી થઇ શકી. મહિલાની ઉંમર 30થી 35 વર્ષની હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. મહિલાનો મૃતદેહ સુરત નજીક નવસારી મેઇન રોડથી થોડે દૂર બાવડિયાના જંગલમાંથી મળ્યો હતો. સચિન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દેવાયત ખવડે જેલમાંથી બહાર આવતા જાણો શું આપી પ્રથમ પ્રતિક્રિયા
રાજકોટ: દેવાયત ખવડ અંતે 72 દિવસ બાદ જેલમુક્ત થયો છે. મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં દેવાયત ખવડ રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ હતો. આખરે હાઇકોર્ટ દ્વારા રાજકોટમાં છ મહિના સુધી પ્રવેશ ન કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.
જેલમાંથી બહાર આવ્યા બાદ સૌપ્રથમ તેણે જેલના પંટાગણમાં આવેલા માતાજીના મંદિરે શીશ ઝૂકાવ્યું હતું. ગત સાતમી ડિસેમ્બરે દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ મયુરસિંહ રાણા ઉપર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સર્વેશ્વર ચોક નજીક હુમલો કર્યો હતો. જે અંતર્ગત દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન મથકમાં આઇપીસીની કલમ 307 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે જેલમાંથી મુક્તિ મેળવવા બાબતે દેવાયત ખવડ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ હાઇકોર્ટ દ્વારા દેવાયત ખવડને છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ ન કરવાની શરત સાથે જામીન આપ્યા છે.
શાયરાના અંદાઝમાં વાતચીત
દેવાયત ખવડ જેલમાંથી બહાર આવતા મીડિયા સાથેની વાતચીત કરતા તેને સૌપ્રથમ પોતાના અઢારે વર્ણના ચાહક વર્ગ તેમજ માતાજીનો આભાર માન્યો હતો. ત્યારબાદ અમૃત ઘાયલની રચનાથી તેને મીડિયા સાથે પોતાની વાતચીત શરૂ કરી હતી. અમૃત ઘાયલની રચના કહેતા તેણે શેર કહ્યો હતો કે, ‘જેમની સંસારમાં વસમી સફર હોતી નથી, તેમને શું છે જિંદગી તેની ખબર હોતી નથી’.
જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે
જુનિયર ક્લાર્કની મોકુફ રખાયેલી પરીક્ષા 9 એપ્રિલે લેવાશે. ગુજરાત પંચાયત પસંદગી મંડળે સત્તાવાર જાહેરાત કરી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પંચાયત સેવા પસંદગી બોર્ડ જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા 9 એપ્રિલના રોજ યોજશે. ત્યારે પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી હતી જે બાદ પરીક્ષાની ફાઈનલ તારીખ જાહેર કરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)