Porbandar: પોરબંદરમાં કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ખળભળાટ, જાણો વધુ વિગતો
પોરબંદર શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે.
![Porbandar: પોરબંદરમાં કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ખળભળાટ, જાણો વધુ વિગતો Dead bodies of a young man and woman were found in a car in Porbandar Porbandar: પોરબંદરમાં કારમાંથી યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા ખળભળાટ, જાણો વધુ વિગતો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/87ac08b16e42b7da87561684a78d0af3171241154916878_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પોરબંદર: પોરબંદર શહેરમાં એક ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક કારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવક-યુવતીના મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમા સર્વિસ સ્ટેશનમા કારમા યુવક-યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે તપાસ શરુ કરી છે.
સર્વિસ સ્ટેશનમાં કાર રાખી કારમા યુવક-યુવતી હતા. સર્વિસ સ્ટેશનના ગેરેજ આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે કારમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
પોરબંદર શહેરમાં યુવક-યુવતીના શંકાસ્પદ મોત અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી છે. હાલ તો બનાવને લઈ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
ગોંડલના કમઢિયા ગામ નજીક જોરદાર અકસ્માત, બે બાઈક અથડાતા બે મિત્રોનાં મોત
રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામ નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. આ અકસ્માતમાં બે મિત્રોના મોત થયા છે. કમઢિયા ગામ નજીક મામદેવનાં મંદિર પાસે બે બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં જેતપુરનાં નવાગઢ તથા સરધારપુરનાં બે મિત્રોનાં ગંભીર ઇજાઓને કારણે ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. બનાવ બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા બન્નેનાં મૃતદેહોને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બન્ને મિત્રોના ઘટના સ્થળે મોત નીપજતા પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો છે. નવાગઢ ગામથી બન્ને મિત્રો કમઢીયા ખાતે મામાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા તે સમયે અકસ્માતની ઘટના બની હતી.
બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક ગોંડલની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં હાજર ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક હિતેશભાઈ હરિભાઈ મકવાણા તેમજ પ્રકાશભાઈ ભોવાનભાઈ મેણીયા યુવાનોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની સમગ્ર ઘટના અંગે સુલતાનપુર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.
ટ્રક બ્રીજ નીચે પલટી મારતા જોરદાર અકસ્માત, ડ્રાઈવરનું દબાઈ જતા મોત
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લામાં એક ટ્રકનો જોરદાર અકસ્માત થયો છે. ભાવનગરના તળાજા તાલુકાના શેત્રુંજી પુલ પાસે આવેલ બ્રિજ નીચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરનું મોત થયું છે.
ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા માલ ભરેલ ટ્રક ફાતિમાના પાટીયા પાસે આવેલ બ્રિજ નીચે પલટી મારી ગયો હતો. અકસ્માત એટલો ભંયકર હતો કે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ચુક્યો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવરનું દબાઈ જવાથી મોત થયું છે. અકસ્માત વહેલી સવારે થયો છે. ટોરસ ટ્રકનો ડ્રાઇવર કોણ છે ક્યાં રહે છે તે અંગે તળાજા પોલીસ તપાસ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)