શોધખોળ કરો

જૂનાગઢમાં ઉપરકોટ વિસ્તારમાં દબાણો કરાયા દૂર, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કરાયુ ડિમોલિશન

જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટમાં દબાણો પર દૂર કરાયા હતા

જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટમાં દબાણો પર દૂર કરાયા હતા.  ગઈકાલે મોડી રાતે શરૂ થયેલી દબાણ દૂર કરવાની કામગીરી આજે વહેલી સવાર સુધી ચાલી હતી.  જિલ્લા કલેક્ટર, આઈ.જી. સહિતના અધિકારીઓ આખી રાત હાજર રહ્યા હતા. ખૂબ જ ગુપ્ત રીતે દબાણ તોડવાની સમગ્ર પક્રિયા હાથ ધરાઈ હતી. આઠથી વધુ બુલડોઝર સહિત મશીનરીની મદદથી ડિમોલિશન હાથ ધરાયું હતું.

ઉપરકોટમાં દબાણ કરીને બનાવાયેલી મજાર અને મંદિર દૂર કરાયા હતા.  સૂત્રોના મતે નાના-મોટા 18 દબાણ દૂર કરાયા હતા. અહીં છેલ્લા 40 વર્ષથી દબાણ હતું. આઠથી વધુ બુલડોઝર અને હેવી મશીનરીની મદદથી દબાણ તોડી પડાયા હતા.  આ મામલે હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ થઈ હતી. મહત્વનું છે કે, ઉપરકોટનું 60 કરોડના ખર્ચે રિનોવેશન થઈ રહ્યું છે. થોડા જ સમયમાં ઉપરકોટ કિલ્લાને ખુલ્લો મૂકાશે.

તે સિવાય કચ્છના યાત્રાધામ કોટેશ્વરમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા. લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ કોટેશ્વર ખાતે આજે શનિવાર સવારથી બિનઅધિકૃત દબાણોને વહીવટી તંત્ર દ્વારા દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  ગામના મુખ્ય માર્ગેમાં આવેલી 36 જેટલી કાચી પાકી દુકાનોને નોટિસ પાઠવ્યા બાદ હટાવવામાં આવી હતી. સલામતીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

Ahmedabad: ધર્માંતરણ બાદ પણ જનજાતિ તરીકેનો લાભ લેતા લોકો સામે આદિવાસી સમાજે કરી લાલ આંખ, અમદાવાદમાં યોજી વિશાળ રેલી

અમદાવાદ: જનજાતિ સુરક્ષા મંચ દ્વારા આદે અમદાવાદમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીમાંથી ધર્માંતરિત થયા પછી પણ જનજાતિ તરીકે લાભ લેનાર વ્યક્તિઓને અનુસુચિત જનજાતિની યાદીમાંથી દૂર કરાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.  "સિંહગર્જના" ડી-લિસ્ટીંગ મહારેલીનું આયોજન આજે રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે.

સામે આવેલી વિગતો અનુસાર ગુજરાતમાંથી લગભગ એક લાખ જનજાતિ સમુદાયના લોકો આ રેલીમાં ભાગ લેશે. આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓ જગન્નાથ મંદિર દર્શન કરી રેલીની શરૂઆત કરાવશે. આદિવાસીમાંથી ઈસાઈ, મુસ્લિમ ધર્મ અંગિકાર કરનારને લાભો ન આપવાની માગ કરવામાં આવી રહી છે. ધર્માતરણ બાદ અનુસૂચિત જનજાતિના લાભો ન આપવાનો કાયદો બનાવવાની પણ માગ કરવામાં આવી છે.

ધર્માતરિત વ્યક્તિઓને અનુસૂચિત જનજાતિની યાદીમાંથી કાઢવા બંધારણીય રાહે પગલા લેવાની માગ કરવામાં આવી છે. સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યભરમાંથી આદિવાસીઓ પહોંચી રહ્યાં છે. NID બ્રિજ, દધીચી બ્રિજ અને રાણીપથી રેલી સ્વરૂપે આદિવાસી લોકો સભા સ્થળે પહોંચશે. મહારેલી બાદ સભા સ્થળે હજારો આદિવાસીઓને સંબોધન કરાશે. સાબરમતી રિવરફ્રન્ટના ગ્રાઉન્ડ પર વિશાળ મંચ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અંગ્રેજોના સમયથી આદિવાસી સમાજને છેતરીને ધર્મ પરિવર્તન કરાતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણ

રાજકોટ: સિવિલ હોસ્પિટલમાં ભગવાકરણનો મામલો સામે આવ્યો છે. હકિકતમાં સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચરમાં અચાનક સફેદને બદલે ભગવો કલર કરવામાં આવતા વિવાદ સર્જાયો છે. 150 જેટલાં સ્ટ્રેચરમાં એકાએક ભગવો કેસરી કલર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સ્ટ્રેચરનો કલર મોટે ભાગે સફેદ જ઼ હોઈ છે પરંતુ અહીં પરિવર્તનની લહેર જોવા મળી છે. તો બીજી તરફ વિવાદ વધતા ઇન્ચાર્જ સિવિલના સુપ્રીટેન્ડેટએ બચાવ કરતા કહ્યું કે,  આ પ્રાઇમર કલર છે ઉપર સફેદ કલર લાગશે. મીડિયા સુધી વાત પહોંચતા ભગવા કલરને પડતો મુકાયાની વાત વહેતી થઈ છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલનું મોટું એલર્ટ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલનું મોટું એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની આગાહી: આગામી 3 કલાક માટે 7 જિલ્લાઓમાં રેડ અને 6 માં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની આગાહી: આગામી 3 કલાક માટે 7 જિલ્લાઓમાં રેડ અને 6 માં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
Embed widget