શોધખોળ કરો

હીરાની મંદીએ ફરી એક યુવાનનો જીવ લીધો, નવસારીમાં બેરોજગારીથી કંટાળી રત્નકલાકારે નદીમાં કૂદી આપઘાત કર્યો

જલાલપુરમાં રહેતા ૩૪ વર્ષીય જીગર ભંડેરીએ પૂર્ણ નદીમાં છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું, સુરત બાદ નવસારીમાં પણ હીરા ઉદ્યોગની કફોડી હાલત.

Diamond Industry Crisis: નવસારી જિલ્લામાં હીરા ઉદ્યોગની ચાલી રહેલી કારમી મંદીએ વધુ એક યુવાનનો ભોગ લીધો છે. જલાલપુર તાલુકામાં રહેતા ૩૪ વર્ષીય જીગર ભંડેરી નામના યુવકે હીરાના કારખાનામાં કામ ન મળતા અને બેરોજગારીથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. જીગરે પોતાના જીવનનો અંત લાવવા માટે જલાલપુર નજીક આવેલી પૂર્ણ નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

મળતી માહિતી મુજબ, જીગર ભંડેરી જલાલપુરમાં હીરા પોલિશિંગનું કામ કરતો હતો. છેલ્લા કેટલાક સમયથી હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાથી તેને કામ મળવાનું બંધ થઈ ગયું હતું. લાંબા સમય સુધી બેરોજગાર રહેવાના કારણે તે હતાશ થઈ ગયો હતો અને આખરે તેણે આ અંતિમ પગલું ભરી લીધું. જીગરના આ પગલાથી તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સુરત બાદ હવે નવસારીમાં પણ હીરા ઉદ્યોગની મંદીને કારણે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ છે. નવસારી જિલ્લાના અનેક રત્ન કલાકારો કામ વગર બેસી રહેવા માટે મજબૂર બન્યા છે. ઘણા કારીગરોએ તો આ મંદીથી કંટાળીને પોતાના વતનની વાટ પકડી છે, જ્યારે કેટલાક લોકોએ પોતાનો પરંપરાગત વ્યવસાય છોડીને અન્ય કામ શોધવાની ફરજ પડી છે.

હીરા ઉદ્યોગમાં મંદીના કારણે માત્ર કારીગરો જ નહીં પરંતુ તેમની સાથે જોડાયેલા અન્ય નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

જીગર ભંડેરીની આત્મહત્યાની ઘટનાએ હીરા ઉદ્યોગમાં મંદીની ગંભીરતાને ફરી એકવાર ઉજાગર કરી છે. સરકાર અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં કોઈ યુવાને આ રીતે પોતાનો જીવ ગુમાવવો ન પડે. હાલમાં તો જલાલપુર પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

નોંધનીય છે કે, સુરતનો હીરા ઉદ્યોગ હાલમાં ખૂબ જ ગંભીર મંદીનો સામનો કરી રહ્યો છે. છેલ્લા પાંચ મહિનામાં રફ હીરાની આયાતમાં મોટો ઘટાડો થયો છે. કુદરતી હીરાની માંગ વૈશ્વિક સ્તરે ઘટી છે, જેના ઘણા કારણો છે, જેમાં વૈશ્વિક મંદી અને લેબગ્રોન ડાયમંડનો વધતો ઉપયોગ મુખ્ય છે. છેલ્લા બે વર્ષથી મંદી હોવા છતાં હજુ સુધી તેજી જોવા મળી નથી, જે હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે. આના કારણે હીરા ઉદ્યોગકારોને નાણાકીય નુકસાન થઈ રહ્યું છે. વિશ્વભરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ અને રફ ડાયમંડ પરના પ્રતિબંધોએ પણ પરિસ્થિતિને વધુ ખરાબ કરી છે. હાલમાં રિયલ ડાયમંડનો વેપાર ખૂબ જ ઓછો થઈ ગયો છે અને આ મંદીનો સમયગાળો ખૂબ લાંબો હોવાથી ઉદ્યોગ માટે ચિંતાજનક બાબત છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
વાલીઓ સાવધાન! જામનગરની 14 વર્ષની માસૂમ દીકરીને આવ્યો હાર્ટ અટેક, રમતાં-રમતાં ગુમાવ્યો જીવ
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
12 રાજ્યોમાં ચોમાસું પહોંચ્યું, આ તારીખ પછી ગુજરાતમાં હવામાન બદલાશે; 7 દિવસ વરસાદની આગાહી
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત
ગુજરાતના 9 જિલ્લામાં વરસાદની આગાહી, ચોમાસું ક્યાં પહોંચ્યું? જુઓ વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget