![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cyclone Biparjoy: કુદરતી આફતે એક જ પરિવારના બે લોકોનો લીધો ભોગ, પિતા-પુત્રે ગુમાવ્યો જીવ
ગઇ કાલે વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી પસાર થઇ ગયું પરંતુ કચ્છમાં હજુ પણ તેની અસર યથાવત છે, ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડામાં ભાવનગરમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો છે. મોટાપાયે પશુધનને પણ નુકસાન થયું છે.
![Cyclone Biparjoy: કુદરતી આફતે એક જ પરિવારના બે લોકોનો લીધો ભોગ, પિતા-પુત્રે ગુમાવ્યો જીવ due to biparjoy cyclone two people died in bhavnagar Cyclone Biparjoy: કુદરતી આફતે એક જ પરિવારના બે લોકોનો લીધો ભોગ, પિતા-પુત્રે ગુમાવ્યો જીવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/16/1e3b61ddd7dbac2809615d310bdf397f168688507807081_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyclone Biparjoy: વાવાઝોડાના કારણે કચ્છ અને દ્રારકા અને જામનગરમાં સૌથી વધુ નુકસાન થયું છે. ભાવનગરમાં 2 લોકોએ જીવ ગુમાવ્યાં છે. મોટાપાયે પશુધનને પણ નુકસાન થયું છે.
બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો અને થાંભલાઓ પડી ગયા છે. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ઠપ્પ થઇ ગયો છે. ગુરુવારે સાંજે બિપરજોયનું લેન્ડફોલ થયું હતું. તેની અસરને જોતા NDRF, SDRFની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે.
પિતા અને પુત્રનું મૃત્યુ
ભાવનગર જિલ્લામાં પૂરના ખાડામાં ફસાયેલી તેમની બકરીઓને બચાવવાના પ્રયાસમાં પિતા અને પુત્રનું મોત થયું છે હતા. તો સાથે જ દેવભૂમિ દ્વારકામાં પણ વૃક્ષો પડવાથી ત્રણ લોકો ઘાયલ થયા છે. હાલ તોફાન 13-14 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. જે રાજસ્થાન તરફ વધી રહ્યું છે. વાવાઝોડાને કારણે આજે પણ કચ્છ, દ્વારકા અને જામનગરમાં ભારે પવન સાથે વરસાદ પડશે.વાવાઝડુ ગઇકાલે સાંજે સૌરાષ્ટ્ર કચ્છમાંથી પસાર થયું છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા તો હજારો વૃક્ષો ધરાશાયી થયા છે. કચ્છમાં અનેક વિસ્તારમાં અનેક ઠેકાણે વીજળી ગૂલ છે.
વાવાઝોડાને નબળું પડવામાં થોડો સમય લાગશે, હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે
વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે 10.30 થી 11.30 વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે 11 વાગ્યાથી 11:30 સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે 115 થી 125 કિલોમીટર પ્રતિ કલાક થી લઈને 140 કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી 10 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ 10:30 થી 11:30 સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.
સવારના સમય દરમિયાન વાવાઝોડું વિક પડી શકે છે તેવી સંભાવના છે. આજે સાંજે અથવા તો આવતીકાલે સવાર સુધીમાં વાવાઝોડું સીવીયર સાયકલોન માંથી સાયકલોનિક સ્ટોર્મ અને બાદમાં ડિપ્રેશનમાં પરિણમશે. વાવાઝોડાને કારણે હજુ 60 થી 70 km ની ઝડપે પવન ફૂંકાશે તેમજ ભારે વરસાદ પણ રહેશે.
જો કે કાલ કરતાં પવનની ગતિ ઓછી રહેશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે.
હજુ પણ ફિશરમેન વોર્નિંગ યથાવત છે. તેમજ દરિયામાં Lcs 3 સિગ્નલ લગાવાશે. આ પહેલા ગ્રેડ લાઈન 9 અને ગ્રેડ લાઈન 10 સિગ્નલ આપવામાં આવ્યું હતું જે હટાવવામાં આવશે. Lcs 3 સિગ્નલ નો મતલબ હજુ પણ પૂર આવવાની શક્યતા રહેલી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)