Election 2024 Live Update: રોહન ગુપ્તાના ગંભીર આરોપ-‘હું ચૂંટણી લડવા માંગતો હતો,પણ મને હેરાન કરાયો’
Election 2024 Live Update: વડોદરાના સાવલી બેઠકના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધુ છે.
LIVE

Background
કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું
ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનારા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું. સીઆર પાટીલ સાથેની બેઠક બાદ તેમણે પત્રકાર પરિષદ યોજી આ અંગે જાણકારી આપી હતી. કેતન ઈનામદારે આ અંગે વાત કરતા કહ્યું કે, મેં મારી વેદના સીઆર પાટીલ સમક્ષ રજૂ કરી હતી. સીઆર પાટીલ સાથે અંતર આત્માની વાત કરી. પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મંત્રીએ મારી વાતને ગંભીરતાથી લીધી છે.
કોગ્રેસ નેતા રોહન ગુપ્તાએ નામ લીધા સિવાય ગંભીર આરોપ લગાવ્યા હતા
કોગ્રેસ નેતા રોહન ગુપ્તાએ નામ લીધા સિવાય ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે કૉંગ્રેસના કેટલાક નેતા ગદ્દારીના સંદેશ મોકલે છે. પક્ષના જ કેટલાક નેતાઓ હેરાન કર્યા છતા પક્ષ સાથે છું. મને હેરાન કરવા શીખામણ આપવાની કોઈ જરૂર નથી. હિંમતસિંહ પટેલે મારા પર વિશ્વાસ મુક્યો છે.
તેમણે આરોપ લગાવ્યો હતો કે હું ચૂંટણી લડવા માંગતો હતો,પણ મને હેરાન કરવામાં આવ્યો છે. મેં ચૂંટણી લડવાની ઈમાનદારીથી તૈયારી કરી હતી. મુશ્કેલ બેઠક પર ચૂંટણી લડવાની ટિકિટ સ્વીકારી હતી. મારા પિતા હું ચૂંટણી લડુ તેવું નહોતા ઈચ્છતા. મારા પિતાને કૉંગ્રેસના કેટલાક લોકો ઉશ્કેરતા હતા. ચૂંટણી લડવા મુદ્દે મેં મારા પિતાને સમજાવ્યા હતા. મારા પિતાનું આરોગ્ય મારા માટે વધુ મહત્વનું છે. પિતાના આરોગ્યનો સવાલ હતો એટલે જ ચૂંટણી લડતો નથી. પિતાને સમજાવવામાં નિષ્ફળ રહ્યો, ચૂંટણી લડી રહ્યો નથી. મારી સાથે કઈ ખોટું થશે તેવો મારા પિતાને ડર હતો.
'કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા હતા'
ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય પર કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા હતા. પાટીલે કહ્યું હતું કે પીએમ મોદીએ સર્વાંગી વિકાસની વ્યાખ્યા સાબિત કરી છે. વડાપ્રધાન મોદી દરરોજ ઇતિહાસ લખે છે. તેમણે રેલવેની કાયાપલટ કરી છે. રેલવેની ગતિમાં વધારો કર્યો. મહિલાઓનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ વધારવા પ્રયાસ છે. રામ મંદિર બનાવવાનો નિર્ધાર PM મોદીએ સાકાર કર્યો છે. દિશાહિન નેતૃત્વના કારણે કૉંગ્રેસના નેતાઓ પક્ષ છોડી રહ્યા છે. કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે. સરકાર અને સંગઠન તમામના પડખે છે. 25 કરોડ નાગરિકોને PM મોદી ગરીબીની રેખામાંથી બહાર લાવ્યા છે. પાકિસ્તાનના ઘરમાં ઘુસીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોદી સરકારની વિદેશ નીતિથી દુનિયામાં ભારતની શાખ વધી છે. રાજ્યની તમામ 26 બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતાડીશુ.
હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા
અમદાવાદ ભાજપ કાર્યાલય પર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકરની ઉપસ્થિતિ કોગ્રેસના અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
તેમણે કહ્યું હતું કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે
સી.આર પાટીલે કેતન ઇનામદારના રાજીનામા પર પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. મનાવવાની પ્રક્રિયા મુદ્દે કોઈ પ્રતિક્રિયા નહીં. કોને કઈ જવાબદારી સોંપશે તે પક્ષ નક્કી કરશે
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
