શોધખોળ કરો

Explained: ગુજરાત રમખાણો મામલે PM મોદી સામે લડ્યો કેસ, લાગ્યો કાવતરાનો આરોપ – જાણો તિસ્તા સેતલવાડની પૂરી કહાની

Teesta Setalvad: સુપ્રીમ કોર્ટે સેતલવાડને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી હાઈકોર્ટ નિયમિત જામીન પર પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી તેમનો પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવે.

Teesta Setalvad:  સુપ્રીમ કોર્ટે 2002ના ગુજરાત રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે કથિત રીતે બનાવટી પુરાવાઓ બનાવવા બદલ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. 25 જૂને તેની ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સેતલવાડને આદેશ આપ્યો છે કે જ્યાં સુધી હાઈકોર્ટ નિયમિત જામીન પર પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી તેમનો પાસપોર્ટ નીચલી કોર્ટમાં જમા કરાવે. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને આ કેસની તપાસમાં એજન્સીને સહકાર આપવાનો પણ નિર્દેશ આપ્યો છે.

2002ના ગુજરાત રમખાણોના કેસમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત વરિષ્ઠ અધિકારીઓને સંડોવવા માટે કથિત બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા, જેની તૈયારી કરવાનો આરોપ તિસ્તા સેતલવાડ પર હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવારે ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાની બેન્ચે દલીલો સાંભળ્યા બાદ તિસ્તાને વચગાળાના જામીન આપ્યા હતા.

કોણ છે તિસ્તા સેતલવાડ

તિસ્તા સેતલવાડ ગુજરાત રમખાણોના પીડિતોને ન્યાય આપવા માટે 'સિટીઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ' નામની એનજીઓની સેક્રેટરી છે. તેમની સંસ્થાએ કોર્ટમાં નરેન્દ્ર મોદી અને અન્ય 62 લોકો સામે રમખાણોમાં સંડોવણીનો આરોપ લગાવતી અરજી દાખલ કરી હતી અને ફોજદારી કાર્યવાહીની માંગ કરી હતી. તિસ્તા સેતલવાડના પિતા અતુલ સેતલવાડ વકીલાતના વ્યવસાયમાં હતા, દાદા એમસી સેતલવાડ દેશના પ્રથમ એટર્ની જનરલ હતા. તિસ્તાએ પત્રકારત્વ પણ કર્યું છે અને તેના પતિ જાવેદ આનંદનો પણ મીડિયા સાથે સંબંધ રહ્યો છે.


Explained: ગુજરાત રમખાણો મામલે PM મોદી સામે લડ્યો કેસ, લાગ્યો કાવતરાનો આરોપ – જાણો તિસ્તા સેતલવાડની પૂરી કહાની

વિદેશી ભંડોળના દુરુપયોગના આરોપો

2013માં અમદાવાદની ગુલબર્ગ સોસાયટીના 12 લોકોએ પોલીસ કમિશનરને પત્ર લખીને વિદેશી ફંડ કેસમાં તિસ્તા વિરુદ્ધ તપાસની અપીલ કરી હતી. 2002ના ગુજરાત રમખાણોમાં કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકો માર્યા ગયા હતા. ફરિયાદીઓનો આરોપ છે કે તિસ્તાએ સોસાયટીમાં મ્યુઝિયમ બનાવવાનું વચન આપ્યું હતું અને આ માટે તેણે વિદેશમાંથી લગભગ 1.5 કરોડ રૂપિયા મેળવ્યા હતા.

જાન્યુઆરી 2014માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદ ઉપરાંત એહસાન જાફરીના પુત્ર તનવીર અને અન્ય બે વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. તપાસ બાદ પોલીસે દાવો કર્યો હતો કે તિસ્તા અને જાવેદે મ્યુઝિયમ માટે એકત્રિત વિદેશી નાણાંમાંથી ક્રેડિટ કાર્ડના બિલ ચૂકવ્યા હતા. ઉપરાંત દાગીના અને દારૂ ખરીદવામાં આવ્યા હતા. ગુજરાત સરકારે કહ્યું હતું કે તિસ્તાએ યુએસ સ્થિત ફોર્ડ ફાઉન્ડેશનમાંથી તેના NGO માટે એકત્ર કરેલા નાણાંનો ઉપયોગ સાંપ્રદાયિક સંવાદિતાને ખલેલ પહોંચાડવા અને ભારતની છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ પછી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોર્ડ ફાઉન્ડેશનને વોચ લિસ્ટમાં મૂક્યું હતું. બાદમાં તિસ્તા પર સીબીઆઈ કેસ શરૂ થયો.

કોર્ટમાંથી રાહત મળ્યા બાદ તિસ્તાએ CBI દ્વારા ધરપકડ કરવાના અનેક પ્રયાસો ટાળ્યા હતા. તિસ્તા અને તેના પતિ જાવેદ આનંદનું કહેવું છે કે તેમની સામેની કાર્યવાહી દુર્ભાવનાપૂર્ણ અને પ્રાયોજિત છે. ગુલબર્ગ સોસાયટી વિવાદ કેસ અંગે તિસ્તાએ તે સમયે કહ્યું હતું કે 24 હજાર પાનાના પુરાવા આપવા છતાં તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી નથી. તેમણે ગુજરાત સરકાર પર તેમને કાયદાકીય મુશ્કેલીમાં રાખવાનો આરોપ લગાવ્યો હતો.

તિસ્તા સેતલવાડે અરજદાર ઝાકિયા જાફરીને સમર્થન આપ્યું હતું, જેમણે ગુજરાત રમખાણો સંબંધિત કેસ લડ્યો હતો. ઝાકિયા જાફરી ગુજરાતની ગુલબર્ગ સોસાયટીમાં રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના સાંસદ એહસાન જાફરીની પત્ની છે. તેમણે ગુજરાત રમખાણો પર આધારિત SITના ક્લોઝર રિપોર્ટને કોર્ટમાં પડકાર્યો હતો અને તેને સાર્વજનિક કરવાની માંગ કરી હતી. ઝાકિયા પહેલા ગુજરાત કોર્ટમાં ગયા હતા અને પછી સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. SITના ક્લોઝર રિપોર્ટમાં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય 63 અધિકારીઓને ક્લીનચીટ આપવામાં આવી હતી.


Explained: ગુજરાત રમખાણો મામલે PM મોદી સામે લડ્યો કેસ, લાગ્યો કાવતરાનો આરોપ – જાણો તિસ્તા સેતલવાડની પૂરી કહાની

મળ્યા છે આ એવોર્ડ 

તિસ્તા સેતલવાડને 2007માં તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 2002માં કોંગ્રેસે તેમને રાજીવ ગાંધી રાષ્ટ્રીય સદભાવના એવોર્ડ આપ્યો હતો. આ ઉપરાંત, તેમને 2000માં પ્રિન્સ ક્લોઝ એવોર્ડ, 2003માં ન્યુરેમબર્ગ ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એવોર્ડ, 2006માં નાની-એ-પાલકીવાલા એવોર્ડ અને 2009માં કુવૈતમાં ગ્રુપ ઓફ ઈન્ડિયન મુસ્લિમ એસોસિએશન દ્વારા એક્સેલન્સ એવોર્ડ મળ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
Team India Welcome: PM મોદીએ વિશ્વ વિજેતા ટીમની કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વીડિયો
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
ગુજરાતનો એ બ્રિજ અકસ્માત... જેના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા, પણ આપણે ભૂતકાળમાંથી કેમ શીખતા નથી?
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રાજ્યમાં હવામાન વિભાગની મોટી આગાહી, ચાર જિલ્લામાં રેડ તો 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગે કરી મોટી આગાહી
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
મુકેશ અંબાણી પહોંચ્યા 10 જનપથ, સોનિયા ગાંધીને પુત્રના લગ્નનું આમંત્રણ આપવા આવ્યા - સૂત્રો
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
RBI ગવર્નરે બેન્કોને કહ્યું-  બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
RBI ગવર્નરે બેન્કોને કહ્યું- બેન્કના આ એકાઉન્ટ્સ વિરુદ્ધ કરો કાર્યવાહી
Embed widget