શોધખોળ કરો

Rain: ગુજરાતમાં વરસાદે વિનાશ નોતર્યો, ચાર હજાર ગામોમાં ખેડૂતોનો ઉભો પાક ધોવાયો, જાણો

Rain: ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે

Rain: ગુજરાતમાં છેલ્લા બે અઠવાડિયાથી વધુ સમયથી પડી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યુ છે. તાજા આંકડા પ્રમાણે, રાજ્યમાં વરસાદે વિનાશ નોતર્યો છે. શ્રાવણ માસમાં પડેલા અવિરત વરસાદના કારણે ખેડૂતોના મોટાભાગના પાકો બળીને ખાખ થઇ ગયો છે. હજુ પણ રાજ્યમાં અતિવૃષ્ટીનો કહેર યથાવત છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી ઉત્તરથી લઇને દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મેઘતાંડવ થઇ રહ્યું છે. વરસાદે રાજ્યમાં ખેડૂતોને પાયમાલ કરી દીધા હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. કુદરતના પ્રકોપથી ગુજરાતનો ખેડૂત લાચાર બન્યો છે. અતિવૃષ્ટિનો કહેરથી ચાર હજાર ગામોમાં પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં મગફળી, કપાસ, શેરડી પકવતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ડાંગર, શાકભાજી સહિતના પાકો પણ વરસાદી પાણીમાં ધોવાઇ ગયા છે. ખેડૂતોને ઉભા પાક ઉપરાંત ખેતરોમાં જમીનનું ધોવાણ થવાનો બેવડો માર સહન કરવો પડ્યો છે. ગુજરાતમાં અતિવૃષ્ટીના કારણે રાજ્યમાં ખેડૂતો અને ખેતીને મોટુ નુકસાન પહોંચ્યુ છે. 

રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો?

પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 છલોછલ છે.  કચ્છ સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે.  તો દક્ષિણ ગુજરાતના નવ, મધ્ય ગુજરાતના  છ અને ઉત્તર ગુજરાતનો એક ડેમ  છલોછલ ભરાઇ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર.. 90 ટકાથી વધુ ભરાયેલા 134 જળાશયો હાઈએલર્ટ પર છે.  80થી 90 ટકા ભરાયેલા 14 ડેમ એલર્ટ, તો 70થી 80 ટકા ભરાયેલા નવ ડેમ વોર્નિંગ પર છે.

ગુજરાતમાં સિઝનનો  કેટલો વરસાદ વરસ્યો?

ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં  116.22 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધીમાં 179.34 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 125.50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 117.42 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.તો મધ્ય ગુજરાતમાં 113.56 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 94 ટકા વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો

Gujarat Rain forecast: રાજ્યના આ 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

                                                                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો આતંકHun To Bolish | હું તો બોલીશ | દારૂડિયા ડ્રાઈવરના ભરોસે વિદ્યાર્થીઓPM Modi In Ahmedabad | આપણે ગુજરાતમાં હિન્દી ચાલે કાં..., અમદાવાદમાં મોદીએ લોકોને કેમ કહ્યું આવું?Vande Metro Train | દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન પહોંચી ભૂજ, જુઓ અંદરનો નજારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના 27 જિલ્લામાં આજે વરસાદનું અનુમાન, હવામાન વિભાગની આગાહી
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Kolkata doctors protest: મમતા સરકારે માની ડોક્ટરોની માંગ, પોલીસ કમિશનરને હટાવ્યા, વિરોધ ખત્મ કરવાની અપીલ
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
Happy Birthday PM Modi: વડાપ્રધાન ન બન્યા હોત તો શંકરાચાર્ય બન્યા હોત નરેન્દ્ર મોદી, કોણે કરી હતી આ ભવિષ્યવાણી?
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
USA: ન્યૂયોર્કમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
RRB NTPC 2024 : ભારતીય રેલવેમાં 11,000થી વધુ પદો પર બહાર પડી ભરતી, જાણો કેટલો મળશે પગાર?
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
ગૌતમ અદાણી 71,100 લોકોને નોકરી આપશે, 4 લાખ કરોડનો 'માસ્ટર પ્લાન' બનાવ્યો
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
મુસ્લિમોને દેશ છોડવા માટે આ દેશ લાખો રૂપિયા આપી રહ્યો છે, જાણો શું છે કારણ
Embed widget