શોધખોળ કરો

યાત્રાધામ અંબાજી ખાતે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત, યાત્રાળુઓનો ખુબ સારો પ્રતિસાદ

ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવામાં આવેલ છે.

અંબાજી: ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવામાં આવેલ છે અને પે-પાર્કિંગ કરતા ઓછા દરે છે.  જેને યાત્રાળુઓનો ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શને પધારે છે. જેના લીધે અંબાજીનો વિકાસ પૂરઝડપે થઇ રહ્યો છે અને નવી-નવી ટેક્નોલોજીનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ હવે પાર્કિંગની લાઈનો અને કેશ પૈસાને બદલે ફાસ્ટ ટેગ પાર્કિંગની સવલત ઉભી કરવામાં આવી છે.  અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગ જે પહેલા મેન્યુ ચલાવવામાં આવતા હતા તેમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં ટ્રસ્ટને કોઈપણ જાતનો ખર્ચ ન થાય તે રીતે પદ્માવતી નામની સંસ્થા દ્વારા એરપોર્ટમાં હોય તેવું પાર્કિંગ આધુનિક ફાસ્ટ ટેક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. 

જેના લીધે યાત્રિકોને સરળતાથી પાર્કિંગની વ્યવસ્થા મળી રહે. આ પાર્કિંગમાં આવતી ગાડીઓ જયારે પાર્કિંગ માં પ્રવેશે છે ત્યારે આપોઆપ ફાસ્ટ ટેગના માધ્યમથી પાર્કિગનો ચાર્જ કપાઈ જાય છે જેને લઇને યાત્રાળુઓને લાંબી લાઈનો કે કેશ અને છુટ્ટા પૈસાની માથાકૂટ રહેતી નથી. ગાડી જયારે પાર્કિંગમાં પ્રવેશીને ફાસ્ટ ટેગ માંથી પૈસા કપાય ત્યાર બાદ તેની એક સ્લીપ પણ પ્રિન્ટ થાય છે જે યાત્રિકોને આપવામાં આવતી હોય છે.  જેને બતાવી  યાત્રિકો પોતાનું વાહન પાર્કિંગમાંથી બહાર લઇ જઈ શકે છે. આ સવલતને યાત્રિકો ખુબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વખાણ પણ કરી રહ્યા છે. 

પોરબંદરના ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પૂરા, શિવરાત્રિ પર સોનાના આભૂષણનો શણગાર કરાયો 

પોરબંદરમાં રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પુરા થયા છે. ભોજેશ્વર પ્લોટમા આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સામાન છે. આ મંદીરને પોરબંદરના રાજવીઓ  વિક્રમાજીએ સવા કીલોના સોનાના આભુષણ ભેટ સ્વરૂપે આપ્યા હતા.  વર્ષો પહેલા  ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભુશણનો શણગાર કરવામા આવતો હતો. પરંતુ સમય જતા સોના આભૂષણો સરકારે હસ્તગત કરી લીધા હતા અને તિજોરી ઓફીસમા રાખવામા આવે છે.  માત્ર શિવરાત્રીના દિવસે સોના આભૂષણનો શણગાર કરવામા આવે છે. 

આ આભૂષણોને પોલીસની દેખરેખમાં લાવવામાં આવ છે અને લઈ જવા આવે છે. આજે મહાશિવરાત્રિના પાવન દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાનો  કંદોરો જેમા સોનાની 59 ઘુધરી છે, સોનાનો કળશ, સોનાનો ટોપ, સોનાનું બિલીપત્રનો શણગાર તેમજ પર્વતી માતાને સોનાના જાંઝર  જેમાં સોનાની ઘુઘરી છે. સોનાનો મુગટ, જયપુરી જળતર અને સોનાના ચાંદલાનો શણગાર કરવામા આવે છે. તેમજ એક કીલો ચાંદીનુ છતર ચડવામા આવ્યુ હતુ. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Gujarat Weather Update: ગુજરાત પર એક બાદ એક સિસ્ટમ થશે એક્ટિવ, આ તારીખથી ફરી માવઠાનું સંકટ
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
Navsari News : વાંસદાના સરા ગામમાં નિવૃતિ સન્માન સમારોહની આડમાં ધર્માંતરણની પ્રવૃતિ? જાણો શું છે મામલો
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી
કચ્છમાં કરા સાથે ખાબક્યો કમોસમી વરસાદ: ખેડૂતોની ચિંતા વધી, જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની નવી આગાહી

વિડિઓઝ

CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
Nayara Fuel Hike: યુદ્ધની સ્થિતિ વચ્ચે નાયરાએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો
Rajkot news: રાજકોટ પેટ્રોલ પંપ ડીલર એસો.ના પ્રમુખનું લાઈસન્સ સસ્પેન્ડ
Navsari News : નવસારીના વાંસદાના સરા ગામમાં ધર્માંતરણની પ્રવૃતિનો આરોપ
Ahmedabad Fire Incident : અમદાવાદમાં શેલાની સોસાયટીમાં ભીષણ આગ લાગતા દોડધામ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
IPL 2026 Schedule: BCCIએ IPL 2026 બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
મિડલ ઈસ્ટ સંકટ: PM મોદી કાલે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક, રાજ્યોની તૈયારીઓની થશે સમીક્ષા 
હાઈવે પર મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી Fastag માં થશે મોટો બદલાવ, જાણો 
હાઈવે પર મુસાફરી કરનારા માટે મોટા સમાચાર, 1 એપ્રિલથી Fastag માં થશે મોટો બદલાવ, જાણો 
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
હોર્મુઝ તણાવ વચ્ચે સરકારે કહ્યું, પેટ્રોલ-ડીઝલ અને LPG ની કોઈ અછત નથી, દેશમાં 60 દિવસનો તેલ ભંડાર
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલે આ તારીખ સુધી વરસાદ અને માવઠાની કરી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Heat stroke: કાળઝાળ ગરમીમાં 'હીટસ્ટ્રોક'થી બચવા માટે કરો આ ઉપાય, થશે સ્વાસ્થ્ય લાભ
Heat stroke: કાળઝાળ ગરમીમાં 'હીટસ્ટ્રોક'થી બચવા માટે કરો આ ઉપાય, થશે સ્વાસ્થ્ય લાભ
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
યુદ્ધ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'હોર્મુઝ બંધ કરનાર ઈરાનના નૌસેના કમાન્ડરને ઉતાર્યો મોતને ઘાટ'
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Silver Price: રેકોર્ડ હાઈથી ₹1.85 લાખ રુપિયા સસ્તી થઈ ગઈ ચાંદી, શું હવે આ રોકાણની શાનદાર તક?
Embed widget