શોધખોળ કરો

યાત્રાધામ અંબાજી ખાતે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત, યાત્રાળુઓનો ખુબ સારો પ્રતિસાદ

ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવામાં આવેલ છે.

અંબાજી: ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે હવે ફાસ્ટ ટેગ પાર્કિંગની શરૂઆત કરવામાં આવી છે. આ પાર્કિંગ અંબાજી મંદિર દ્વારા બનાવામાં આવેલ છે અને પે-પાર્કિંગ કરતા ઓછા દરે છે.  જેને યાત્રાળુઓનો ખુબ સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

યાત્રાધામ અંબાજી મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ માતાજીના દર્શને પધારે છે. જેના લીધે અંબાજીનો વિકાસ પૂરઝડપે થઇ રહ્યો છે અને નવી-નવી ટેક્નોલોજીનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ હવે પાર્કિંગની લાઈનો અને કેશ પૈસાને બદલે ફાસ્ટ ટેગ પાર્કિંગની સવલત ઉભી કરવામાં આવી છે.  અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગ જે પહેલા મેન્યુ ચલાવવામાં આવતા હતા તેમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. જેમાં ટ્રસ્ટને કોઈપણ જાતનો ખર્ચ ન થાય તે રીતે પદ્માવતી નામની સંસ્થા દ્વારા એરપોર્ટમાં હોય તેવું પાર્કિંગ આધુનિક ફાસ્ટ ટેક પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. 

જેના લીધે યાત્રિકોને સરળતાથી પાર્કિંગની વ્યવસ્થા મળી રહે. આ પાર્કિંગમાં આવતી ગાડીઓ જયારે પાર્કિંગ માં પ્રવેશે છે ત્યારે આપોઆપ ફાસ્ટ ટેગના માધ્યમથી પાર્કિગનો ચાર્જ કપાઈ જાય છે જેને લઇને યાત્રાળુઓને લાંબી લાઈનો કે કેશ અને છુટ્ટા પૈસાની માથાકૂટ રહેતી નથી. ગાડી જયારે પાર્કિંગમાં પ્રવેશીને ફાસ્ટ ટેગ માંથી પૈસા કપાય ત્યાર બાદ તેની એક સ્લીપ પણ પ્રિન્ટ થાય છે જે યાત્રિકોને આપવામાં આવતી હોય છે.  જેને બતાવી  યાત્રિકો પોતાનું વાહન પાર્કિંગમાંથી બહાર લઇ જઈ શકે છે. આ સવલતને યાત્રિકો ખુબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના વખાણ પણ કરી રહ્યા છે. 

પોરબંદરના ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પૂરા, શિવરાત્રિ પર સોનાના આભૂષણનો શણગાર કરાયો 

પોરબંદરમાં રાજાશાહી વખતમા નિમાર્ણાધીન ભોજેશ્વર મહાદેવ મંદીરને 201 વર્ષ પુરા થયા છે. ભોજેશ્વર પ્લોટમા આવેલા ભોજેશ્વર મહાદેવનું મંદીર શ્રદ્ધાળુઓ માટે આસ્થાના કેન્દ્ર સામાન છે. આ મંદીરને પોરબંદરના રાજવીઓ  વિક્રમાજીએ સવા કીલોના સોનાના આભુષણ ભેટ સ્વરૂપે આપ્યા હતા.  વર્ષો પહેલા  ભોજેશ્વર મહાદેવને નિયમિત સોનાના આભુશણનો શણગાર કરવામા આવતો હતો. પરંતુ સમય જતા સોના આભૂષણો સરકારે હસ્તગત કરી લીધા હતા અને તિજોરી ઓફીસમા રાખવામા આવે છે.  માત્ર શિવરાત્રીના દિવસે સોના આભૂષણનો શણગાર કરવામા આવે છે. 

આ આભૂષણોને પોલીસની દેખરેખમાં લાવવામાં આવ છે અને લઈ જવા આવે છે. આજે મહાશિવરાત્રિના પાવન દીવસે ભોજેશ્વર મહાદેવને સોનાનો  કંદોરો જેમા સોનાની 59 ઘુધરી છે, સોનાનો કળશ, સોનાનો ટોપ, સોનાનું બિલીપત્રનો શણગાર તેમજ પર્વતી માતાને સોનાના જાંઝર  જેમાં સોનાની ઘુઘરી છે. સોનાનો મુગટ, જયપુરી જળતર અને સોનાના ચાંદલાનો શણગાર કરવામા આવે છે. તેમજ એક કીલો ચાંદીનુ છતર ચડવામા આવ્યુ હતુ. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલનું મોટું એલર્ટ
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલનું મોટું એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની આગાહી: આગામી 3 કલાક માટે 7 જિલ્લાઓમાં રેડ અને 6 માં ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની આગાહી: આગામી 3 કલાક માટે 7 જિલ્લાઓમાં રેડ અને 6 માં ઓરેન્જ એલર્ટ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Ahmedabad Jal Yatra : અમદાવાદમાં નીકળી ભગવાન જગન્નાથી જળયાત્રા
Europe Hit Wave : યુરોપમાં ગરમીથી હાહાકાર, ફ્રાંસમાં ગરમીને કારણે 1 હજાર લોકોના મોત
El Nino Effect : અલ નીનોની અસરને પગલે જૂન પૂર્ણ થવા છતાં અનેક રાજ્યોમાં નથી વરસ્યો વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
હવામાન વિભાગનું એલર્ટ અને અંબાલાલની આગાહી; જાણી લો ક્યારે ક્યાં તૂટી પડશે વરસાદ
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
ગુજરાતના 5 જિલ્લામાં બનશે 8 નવી સ્માર્ટ GIDC, હજારો યુવાનોને મળશે રોજગારી, સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ambalal patel: આ તારીખથી ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
થ્રી-લેંગ્વેજ પોલિસી પર CBSE નો મોટો નિર્ણય, ત્રીજી ભાષામાં નહીં આપવી પડે બોર્ડની પરીક્ષા
Embed widget