શોધખોળ કરો

ખંભાતમાં હિંસા માટે ઉશ્કેરણી બદલ ભાજપ-હિંદુવાદી સંગઠનોના ક્યા 18 નેતા સામે નોંધાઈ એફઆઈઆર? જાણો વિગત

મંગળવારે સાડા નવ કલાકે પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત ભાજપના કેટલાક કાઉન્સિલર અને કાર્યકરો ગવારા ટાવર ખાતે એકઠાં થયા હતા.

ખંભાતઃ ખંભાતમાં થયેલાં કોમી રમખાણોના સંદર્ભમાં પોલીસે ભાજપના માજી ધારાસભ્ય સંજય પટેલ સહિત 18 લોકો સામે ગુનો નોંધ્યો છે. જેમની સામે એફઆઈઆર નોંધાઈ છે તેમાં મોટા ભાગના ભાજપ તથા હિંદુવાદી સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો છે. તેમની સામે મંજૂરી વિના ટોળાં એકઠાં કરવા અને ઉશ્કેરણીજનક ભાષણ કરવાનો ગુનો નોંધાયો છે. ખંભાતમાં જેમની સામે ગુનો નોંધાયો છે તેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય સંજય પટેલ ઉપરાંત પિનાકિન બ્રહ્મભટ્ટ (શહેર ભાજપ પ્રમુખ), કલ્પેશ પંડિત (શહેર ભાજપ ઉપપ્રમુખ), યોગેશ શાહ (ભાજપ કાર્યકર), નાનકાભાઈ પટેલ (રામસેના), જયવીર જોષી (રામસેના), નંદકિશોર બ્રહ્યભટ્ટ (વીએચપી), કેતન પટેલ (હિન્દુ જાગરણ મંચ), નીરવ જૈન(હિન્દુ જાગરણ મંચ), અશોક ખલાસી (ભાજપ કાઉન્સિલર), રાજુભાઈ રાણા (ભાજપ કાઉન્સિલર), બલરામ પંડિત (ભાજપ કાર્યકર), પાર્થિવ પટેલ (ભાજપ કાર્યકર) અને મંગો શાહ (પૂર્વ કાઉન્સિલર)નો સમાવેશ થાય છે. ખંભાતમાં રવિવારે થયેલાં કોમી રમખાણના પગલે પોલીસે કોઈ પણ સમાજના માણસોને કે આગેવાનોને કોઈ રેલી , સભા, સરઘસ કે અન્ય કોઈ પણ પ્રકારની જાહેર સભાને પરવાનગી નહીં આપવાની જાહેરાત કરી હતી. આમ છતાં મંગળવારે સાડા નવ કલાકે પૂર્વ ધારાસભ્ય સંજય પટેલ સહિત ભાજપના કેટલાક કાઉન્સિલર અને કાર્યકરો ગવારા ટાવર ખાતે એકઠાં થયા હતા. તેમણે ઉશ્કેરણીજનક ભાષણો કર્યાં હતાં અને સૂત્રોચ્ચાર કરવા માટે આહવાન કર્યું હતું. ખંભાતમાં ગત રવિવારે અકબરપુર વિસ્તારમાં બે કોમના ટોળાં સામ-સામે આવી ગયાં હતાં અને પથ્થરમારો અને આગચંપી કરી હતી. આ મામલે હિન્દુ સમાજના આગેવાનોએ મંગળવારે બંધનું એલાન જાહેર કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget