શોધખોળ કરો

Devayat Khavad: હવે રાજનીતિમાં મોરેમોરો ઉતરવાની તૈયીરમાં દેવાયત ખવડ, જાણો કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે?

લોકગાયકના મામા રામકુભાઈએ એબીપી અસ્મિતા સાથે કરી વાત, આગામી ચૂંટણીમાં ભાજપ તરફથી લડવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરી.

Devayat Khavad politics: ગુજરાતના લોકપ્રિય લોકગાયક દેવાયત ખવડ હવે સ્ટેજ અને કલાની દુનિયા છોડીને રાજકારણમાં સક્રિય થવા માટે ઉત્સુક છે. છેલ્લા બે વર્ષથી તેઓ રાજકીય કારકિર્દી બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં ધારાસભ્ય બનીને વિધાનસભા પહોંચવા માટે આતુર છે.

દેવાયત ખવડના મામા રામકુભાઈએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડ કઈ બેઠક પરથી અને કયા પક્ષમાંથી ચૂંટણી લડશે, તે અંગેનો અંતિમ નિર્ણય તેઓ પોતે જ લેશે. જોકે, રામકુભાઈના મતે, દેવાયત ખવડના વિશાળ મિત્રવર્તુળ અને રાજકીય નેતાઓ સાથેના ગાઢ સંપર્કો જોતા, તેઓ ભાજપમાંથી ચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવના છે.

આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ દેવાયત ખવડના નજીકના કૌટુંબિક સગા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સંભવિત રાજકીય પ્રવેશથી તેમના ચાહકોમાં ઉત્સુકતા વધી છે અને રાજકીય વર્તુળોમાં પણ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે.

હાલમાં જ દેવાયત ખવડના જામીન રદ થયા છે

થોડા દિવસ પહેલા જ ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા હતા. પોલીસે તેમના જામીન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. આશ્ચર્યજનક રીતે, આ નિર્ણયનો દેવાયત ખવડના વકીલ દ્વારા કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો.

પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર મુક્ત રહે તો તપાસ પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. કોર્ટે આ દલીલને ધ્યાનમાં રાખીને તેમના જામીન રદ કરવાનો નિર્ણય કર્યો. મીડિયા અહેવાલો અનુસાર, હવે દેવાયત ખવડ આગામી સમયમાં તાલાલા પોલીસ મથકે હાજર થાય તેવી શક્યતા છે.

શું હતો સમગ્ર મામલો?

દેવાયત ખવડ અને તેમના સાથીઓ સામે જાહેર સ્થળે ઝઘડો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધાયો હતો. આ ઘટના બાદ ગીર સોમનાથ પોલીસે તેમની અને અન્ય સાત આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં થઈ હતી. પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિતના આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આરોપી પક્ષના વકીલે તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે બંધારણના આર્ટિકલ ૨૨(બી)નું ઉલ્લંઘન થયું હોવાની દલીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને જામીન આપવાની માંગ કરી હતી.

૧૮ ઓગસ્ટના રોજ કોર્ટે આ મામલે ચૂકાદો આપતા તમામ સાત આરોપીઓને ₹૧૫,૦૦૦ની જામીન રકમ પર મુક્ત કરવાની શરત સાથે જામીન મંજૂર કર્યા હતા અને પોલીસની રિમાન્ડની માંગને ફગાવી દીધી હતી. પરંતુ હવે, પોલીસે ફરીથી જામીન રદ કરવાની અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર રાખતા દેવાયત ખવડ માટે મુશ્કેલીઓ વધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Advertisement

વિડિઓઝ

Rajkot News: રાજકોટના HDFC બેંક બહાર નવી નકોર ચલણી નોટ લેવા માટે લાગી લાંબી લાઈન
Vadodara Accident News: વડોદરામાં કચરાની ગાડીનો કહેર, ડોર ટુ ડોર કચરો ઉઠાવતી ગાડીએ 3 લોકોને લીધા અડફેટે Garbage truck accident in Vadodara, door-to-door garbage truck hits 3 people
Patan stone pelting: પાટણ- શિહોરી હાઈવે પર અસામાજિક તત્વોનો આતંક, બસ અને ડમ્પર પર કરાયો પથ્થરમારો
Rajkot Khetla Aapa Temple:  રાજકોટમાં ખેતલાઆપા મંદિરમાંથી 52 સાપ મળતા ખળભળાટ
Hardik Patel: નિકોલના કેસમાં ભાજપ MLA હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જફ્રેમ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યો; NIA કરશે ધરપકડ; અમેરિકાથી કરવામાં આવ્યો છે ડિપોર્ટ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Embed widget