શોધખોળ કરો

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના વિરોધમાં આવ્યા લોકસાહિત્યકાર દેવાયત ખવડ, જાણો શું કહ્યું

શહેરી વિસ્તારમાં કાયદાની અમલવારીથી લોકો પરેશાન, સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરી.

Devayat Khawad helmet law: લોકસાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટ શહેરના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાના કાયદાની કડક અમલવારી સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો અપલોડ કરીને રાજ્ય સરકારને આ કાયદામાંથી સામાન્ય લોકોને રાહત આપવા માટે અપીલ કરી છે.

દેવાયત ખવડે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને અંતર ઓછું હોય છે, જેથી ઘણા લોકો હેલ્મેટના કાયદાના કારણે ભારે હેરાનગતિ અનુભવી રહ્યા છે. તેમણે રજૂઆત કરી કે, આ કાયદાની અમલવારીથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, અને તેથી સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિયમમાં ફેરફાર કરવો જોઈએ. તેમની આ અપીલને સોશિયલ મીડિયા પર અનેક લોકોનો ટેકો મળી રહ્યો છે.

રાજકોટમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી સામે જબરજસ્ત વિરોધ: લોકોમાં આક્રોશ

રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટમાં આજે ટ્રાફિક પોલીસે હેલ્મેટ ફરજિયાત કાયદાની કડક અમલવારી શરૂ કરી હતી, જેના કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. શહેરના ૪૦ જેટલા મુખ્ય સ્થળોએ ૪૦૦થી વધુ પોલીસ જવાનો દ્વારા સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ વગરના વાહનચાલકો પાસેથી ₹૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસની આ કડક કાર્યવાહી સામે લોકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક નાગરિક બુખારીભાઈએ હેલ્મેટના બદલે માથા પર તપેલી પહેરીને 'હેલ્મેટ હટાવો'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હેલ્મેટ પહેરવાથી સિનિયર સિટિઝન મૂંઝાઈ જાય છે અને અકસ્માતોનું મૂળ કારણ ખરાબ રસ્તાઓ છે, હેલ્મેટ નહીં. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, "જો તમે લેખિતમાં આપો કે હેલ્મેટ પહેરવાથી મૃત્યુ નહીં થાય, તો અમે હેલ્મેટ પહેરીશું."

બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓએ પણ પ્રયા ચોકડી ખાતે હેલ્મેટ પછાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓ અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ અને લોકોના મંતવ્યો: ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, હેલ્મેટનો કાયદો ૧૯૮૮થી અમલમાં છે અને તેનો હેતુ અકસ્માતમાં હેડ ઇન્જરીથી બચાવવાનો છે. તેમણે ઉમેર્યું કે, રાજકોટ પોલીસે ૩,૦૦૦થી વધુ હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ પણ કર્યું છે.

જોકે, લોકોનું કહેવું છે કે, શહેરમાં અનેક રસ્તાઓ ખાડાવાળા છે, જેના કારણે અકસ્માતો થાય છે. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, "પહેલા ખાડા પૂરો, પછી હેલ્મેટની અમલવારી કરો." લોકોએ દલીલ કરી હતી કે શહેરી વિસ્તારોમાં ટૂંકા અંતર માટે હેલ્મેટ ફરજિયાત કરવું યોગ્ય નથી. પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરી વિસ્તારના નાગરિકોને આ નિયમમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget