શોધખોળ કરો

રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના વિરોધમાં આવ્યા લોકસાહિત્યકાર દેવાયત ખવડ, જાણો શું કહ્યું

શહેરી વિસ્તારમાં કાયદાની અમલવારીથી લોકો પરેશાન, સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરી.

Devayat Khawad helmet law: લોકસાહિત્યકાર દેવાયત ખવડે રાજકોટ શહેરના વિસ્તારોમાં હેલ્મેટ પહેરવાના કાયદાની કડક અમલવારી સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો અપલોડ કરીને રાજ્ય સરકારને આ કાયદામાંથી સામાન્ય લોકોને રાહત આપવા માટે અપીલ કરી છે.

દેવાયત ખવડે પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં ટ્રાફિક અને અંતર ઓછું હોય છે, જેથી ઘણા લોકો હેલ્મેટના કાયદાના કારણે ભારે હેરાનગતિ અનુભવી રહ્યા છે. તેમણે રજૂઆત કરી કે, આ કાયદાની અમલવારીથી વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે, અને તેથી સરકારે લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિયમમાં ફેરફાર કરવો જોઈએ. તેમની આ અપીલને સોશિયલ મીડિયા પર અનેક લોકોનો ટેકો મળી રહ્યો છે.

રાજકોટમાં હેલ્મેટની ફરજિયાત અમલવારી સામે જબરજસ્ત વિરોધ: લોકોમાં આક્રોશ

રાજ્ય સરકારના આદેશ બાદ રાજકોટમાં આજે ટ્રાફિક પોલીસે હેલ્મેટ ફરજિયાત કાયદાની કડક અમલવારી શરૂ કરી હતી, જેના કારણે શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. શહેરના ૪૦ જેટલા મુખ્ય સ્થળોએ ૪૦૦થી વધુ પોલીસ જવાનો દ્વારા સવારથી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને હેલ્મેટ વગરના વાહનચાલકો પાસેથી ₹૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.

પોલીસની આ કડક કાર્યવાહી સામે લોકોએ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક નાગરિક બુખારીભાઈએ હેલ્મેટના બદલે માથા પર તપેલી પહેરીને 'હેલ્મેટ હટાવો'ના સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, હેલ્મેટ પહેરવાથી સિનિયર સિટિઝન મૂંઝાઈ જાય છે અને અકસ્માતોનું મૂળ કારણ ખરાબ રસ્તાઓ છે, હેલ્મેટ નહીં. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું કે, "જો તમે લેખિતમાં આપો કે હેલ્મેટ પહેરવાથી મૃત્યુ નહીં થાય, તો અમે હેલ્મેટ પહેરીશું."

બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ના કાર્યકર્તાઓએ પણ પ્રયા ચોકડી ખાતે હેલ્મેટ પછાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના પગલે પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓ અને આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ અને લોકોના મંતવ્યો: ડીસીપી ટ્રાફિક હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું કે, હેલ્મેટનો કાયદો ૧૯૮૮થી અમલમાં છે અને તેનો હેતુ અકસ્માતમાં હેડ ઇન્જરીથી બચાવવાનો છે. તેમણે ઉમેર્યું કે, રાજકોટ પોલીસે ૩,૦૦૦થી વધુ હેલ્મેટનું નિઃશુલ્ક વિતરણ પણ કર્યું છે.

જોકે, લોકોનું કહેવું છે કે, શહેરમાં અનેક રસ્તાઓ ખાડાવાળા છે, જેના કારણે અકસ્માતો થાય છે. તેમણે સૂત્રોચ્ચાર કર્યા હતા કે, "પહેલા ખાડા પૂરો, પછી હેલ્મેટની અમલવારી કરો." લોકોએ દલીલ કરી હતી કે શહેરી વિસ્તારોમાં ટૂંકા અંતર માટે હેલ્મેટ ફરજિયાત કરવું યોગ્ય નથી. પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે પણ મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરી વિસ્તારના નાગરિકોને આ નિયમમાંથી મુક્તિ આપવા વિનંતી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
Rajkot News: રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ ફેલાવી અંધશ્રદ્ધા, ભૂત-પ્રેત કાઢતા હોવાના કર્યા નાટકો
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'
રાજકોટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, કહ્યું-'દક્ષિણ ગુજરાત ધર્માંતરણ, લવ જેહાદથી દૂષિત'

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget