શોધખોળ કરો

ગુજરાતના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં આજથી ફરી અન્નક્ષેત્ર ધમધમતું થશે, ભાવિકો લઈ શકશે પ્રસાદીનો લાભ

અન્નક્ષેત્રમાં પ્રસાદનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજે સાડા 6 વાગ્યાથી રાત્રીના સાડા આઠ વાગ્યા સુધીનો રહેશે.

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ મંદિર (Jalaram Temple) માં આજથી ફરી અન્નક્ષેત્ર ધમધમતું થશે. આજથી ભાવિકો માટે અન્નક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેરને લઈને સંક્રમણ વધે નહિ તે માટે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ કરાયું હતું. જો કે બાદમાં કોરોનાના કેસો ઘટતા સોશલ ડિસ્ટન્સ અને કોવિડ નિયમોને આધીન 14 જૂનથી શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. પરંતુ અન્નક્ષેત્ર બંધ હતું.

જો કે આજથી ફરી અન્નક્ષેત્ર ધમધમતુ થશે. અન્નક્ષેત્રમાં પ્રસાદનો સમય સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી અને સાંજે સાડા 6 વાગ્યાથી રાત્રીના સાડા આઠ વાગ્યા સુધીનો રહેશે. દરેક દર્શનાર્થીઓએ સૌ પ્રથમ રજિસ્ટ્રેશન કાર્યાલયેથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી ટોકન મેળવી સેનેટાઇઝ થયા બાદ જ મંદિરમાં પ્રવેશ લઈ શકશે. સાથે જ માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. ભાવિકો દર્શન કરી જલારામ બાપાનો પ્રસાદ લઇ શકશે.

નોંધનીય છે કે, વીરપુરનું સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર તારીખ 14 જૂનથી દર્શન માટે ખુલ્લુ મુકાયું છે. અગાઉ 11 એપ્રિલથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે  યાત્રાધામ વીરપુર જલારામ બાપાનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારીની બીજી લહેરને લઈને પૂજ્ય શ્રી જલારામબાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપા દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. જોકે 14 જૂન સોમવારથી ભક્તો માટે પૂજ્ય જલારામબાપાના મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવ્યું હતું.

સરકારી નિયમોને આધીન ભક્તો દર્શન કરી શકશે. દર્શનાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવી ટોકન સિસ્ટમથી પૂજ્ય બાપાના દર્શન કરી શકશે. દર્શનનો સમય સવારે ૭ થી બપોરના ૧ વાગ્યા સુધી અને બપોરે ૩ થી સાંજના ૭ વાગ્યા સુધીનો રહેશે. જોકે, ભક્તોને સવાર-સાંજની આરતીમાં પ્રવેશ આપવામાં આવશે નહિ. સાથે જ દર્શનાર્થીઓ માટે અન્નક્ષેત્ર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે આજે એટલે કે 5 જુલાઈથી અન્નક્ષેત્ર ફરીથી શરૂ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ, તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં
Embed widget